SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આવસ્સયં - ૬/૬૯ પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ધણ અને ધનના પ્રમાણમાં ૨-ક્ષેત્ર-વસ્તુના પ્રમાણમાં ૩-સોના-ચાંદીના પ્રમાણમાં ૪-દ્વીપદ-ચતુષ્પદના પ્રમાણમાં અને પ-કુપ્પ-ધાતુ વગેરેના પ્રમાણમાં અતિક્રમ થવો તે. [૬૯] દિશાવ્રત ત્રણ પ્રકારે જાણવું ઉર્ધ્વ-અધો-તિર્યક્ દિશાવ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ઉર્ધ્વ, ૨-અધો, ૩-તિર્યક્ દિશાના પ્રમાણનું અતિક્રમણ. ક્ષેત્ર વૃદ્ધિ અને સ્મૃતિ ભૂલથી કેટલું અંતર થયું તે ખ્યાલ ન રહેવો તે. [૭૦-૭૧] ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારે - ભોજનવિષયક પરિમાણ અને કર્માદાનવિષયક પરિમાણ ભોજનસંબંધિ પરિમાણ કરનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. અચિત્તઆહાર કરે, સચિત્તપ્રતિબદ્ધ આહાર કરે, અપક્વ દુષ્પક્વ આહાર કરે, તુચ્છ વનસ્પતિનું ભક્ષણ કરે. કર્માદાન સંબંધિ નિયમ કરનારે આ પંદર કર્માદાનો જાણવા. અંગાર-વન-શકટ-ભાટક-સ્ફોટક એ પાંચકર્મ, દાંત-લાખ-રસ- કેશવિષ એ પાંચ વાણિજ્ય, યંત્ર પીલણ - નિછન-દવદાન-જળશોષણ-અત્તિ પોષણ. [૭૨] અનર્થદંડ ચાર પ્રકારે કહ્યો છે તે આ પ્રમાણે અપધ્યાન - પ્રમાદાચરણ હિંસાપ્રદાન અને પાપકર્મોપદેશ. અનર્થદંડવિરમણ વ્રતધારક શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા તે આ પ્રમાણે - કામ વિકાર સંબંધે થયેલ અતિચાર, કુત્સિત ચેષ્ટા, મૌખર્ય - વાચાળપણું, હિંસા અધિકરણનો ઉપયોગ, ભોગનો અતિરેક. . [9૩-૭૭] સામાયિક એટલે સાવઘ યોગનું વર્જન અને નિરવઘ યોગનું સેવન એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે. ઉપરાંત સ્થિતિ, ઉપપાત, ગતિ, કષાયસેવન, કર્મબંધ અને કર્મવેદન આ પાંચ અતિક્રમણ વર્જવા, સામાયિક જ કર્યું હોય ત્યારે શ્રાવક સાધુ જેવા થાય છે માટે વારંવાર સામાયિક કરવું જોઈએ... બધેજ વિરતિની વાત કહેવાઈ છે. ખરેખર સર્વત્ર વિરતિ હોતી નથી. તેથી સર્વવતિ કહેનારે સર્વથી અને દેશથી (સામાયિક) કહેલ છે. સામાયિક વ્રતધારી શ્રમણોપાસકને આ પાંચ અતિચાર જાણવા. ૧-મન, ૨-વચન, ૩-કાયાનું દુષ્પ્રણિધાન, ૪-સામાયિકમાં અસ્થિરતા અને પ-સામાયિકમાં વિસ્તૃતિકરણ. [૭૮] દિવ્રત ગ્રહણ કરેલે પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેસાવકાશિક વ્રત. દેશાવકાસિક વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - બહારથી કોઈ વસ્તુ લાવવી, બહાર કોઇ વસ્તુ મોકલવી, શબ્દ કરી હાજરી જણાવવી, રૂપથી હાજરી જણાવવી અને બહાર કાંકરો વગેરે ફેંકવા. - [૭૯] પૌષધોપવાસ ચાર પ્રકારે કહેવાય છે તે આ પ્રમાણે - આહારપૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપારપૌષધ, પૌષધોપવાસ વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા તે આ પ્રમાણે - અપ્રતિલેખિત દુષ્કૃતિલેખિત શય્યા સંથારો, અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત શય્યા સંથારો, અપ્રતિલેખિત - દુષ્કૃતિલેખિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, અપ્રમાર્જિત - દુષ્પ્રમાર્જિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, પૌષધો પવાસની સમ્યક્ પરિપાલના ન કરવી. [૮૦] અતિથિ સંવિભાગ એટલે સાધુ-સાધ્વીને કલ્પનિય અન્ન-પાણી આપવા, દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર યુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિએ સંયનોને દાન આપવું. તે અતિથિ સંવિભાગ વ્રતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy