SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન- ૬ ૨૧ (અધ્યયન-ક-પચ્ચખાણ [૩] ત્યાં) શ્રમણોપાસકો - શ્રાવકો પૂર્વે જ અથતિ શ્રાવક બનતા પહેલા મિથ્યાત્વને છોડો અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં. (શું ન કહ્યું તે જણાવે છે) આજ પર્યન્ત અન્યતીથિક, અન્યતીથિના દેવો, અન્યતીથિકે ગ્રહણ કરેલ અહતની પ્રતિમાને વંદન-નમસ્કાર કરવો ન કલ્પે. (તેમ કરતાં જે દોષ લાગે તે જણાવે છે.) પૂર્વે ભલે ગ્રહણ કરી ન હોય પણ હવે તે (પ્રતિમા) અન્યતીથિક ગ્રહણ કરેલી છે. તેથી તેની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને છે. તેમ કરવાથી તે અન્યતીર્થિકોને અશન-પાન-ખાદિમ-સ્વાદિમ દેવાનું કે પુનઃ પુનઃ દેવાનું બને છે, કલ્પતું નથી. જો કે રાજા - બળાત્કાર - દેવોના અભિયોગ અથત્ કારણોથી કે ગુરુ નિગ્રહથી, કાંતાર વૃત્તિથી આ પાંચ કારણથી અશન-આદિ આપે તો ધર્મનું અતિક્રમણ થતું નથી. આ સમ્યકત્વ પ્રશસ્ત છે. તે સમ્યકત્વ મોહનીય કર્મના ક્ષય અને ઉપશમથી પ્રાપ્ત થાય છે. પ્રથમ-સંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિકય એ પાંચ ચિહ્નોથી યુક્ત છે. તેનાથી શુભ આત્મ પરિણામ ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા અને આચરવા નહીં - તે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડપ્રશંસા, પરપાખંડસંસ્તવ. [૬૪] શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખ્ખાણ ત્યાગ) કરે. તે પ્રાણાતિપાત બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે - સંકલ્પથી અને આરંભથી. શ્રાવકે સંકલ્પ હિંસાનું જાવજીવ માટે પચ્ચખ્ખાણ-(ત્યાગ) કરે પણ આરંભ હિંસાનો ત્યાગ ન કરે. સ્થળ પ્રાણાતિપાત વિરમણના આ પાંચ અતિચારો જાણવા તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજન-પાનનો વ્યવચ્છેદ કરે. [૬૫] શ્રાવકો સ્થૂળ મૃષાવાદનું પચ્ચખાણ ત્યાગ) કરે. તે મૃષાવાદ પાંચ પ્રકારે કહ્યો છે. કન્યા સંબંધિ જૂઠ, ગો (ચાર પગા) સંબંધિ જૂઠ, ભૂમિ સંબંધિ જૂઠ, ન્યાસાપહાર અર્થાત્ થાપણ મેળવવી, ખોટી સાક્ષી પૂરવી, ધૂળ મૃષાવાદથી વિરમેલા. શ્રમણોપાસક આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે-સહસા અભ્યાખ્યાન, રહસ્ય ઉદ્ઘાટન, સ્વપત્નીના મર્મપ્રકાશવા, જૂઠો ઉપદેશ આપવો અને ખોટા લેખ કરવા. [૬૬] શ્રમણોપાસકે ધૂળ અદત્તાદાનનું પચ્ચકખાણ કરવું અથતું ત્યાગ કરવો. તે અદત્તાદાન બે પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે - સચિત્ત અને અચિત્ત. સ્થળ અદત્તાદાનથી વિરમેલ શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ચોર કે ચોરીથી લાવેલ માલને અનુમોદન, તસ્કર પ્રયોગ, વિરુદ્ધ રાજ્યોતિક્રમ, ખોટા તોલ-માપ કરવા. [૬૭] શ્રમણોપાસકે પરદારાગમનનો ત્યાગ કરવો અથવા સ્વપત્નીમાં સંતોષ રાખવો અર્થાતુ પોતાની પત્ની સાથેના અબ્રહ્મ આચરણમાં પણ નિયમ કરવો પરદારાગમન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે - ઔદારિક અને વૈક્રિય. સ્વદારા સંતોષનો નિયમ કરનારે શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે – અપરિગૃહિતાગમન, બીજા દ્વારા પરિગૃહિત સાથે ગમન, અનંગક્રીડા, પારકા વિવાહ કરવા અને કામભોગને વિશે તીવ્ર અભિલાષ કરવો. [૬૮] શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરે અથતિ પરિગ્રહનું પરિમાણ કરે. તે પરિગ્રહ બે પ્રકારે છે. સચિત્ત અને અચિત્ત. ઇચ્છા (પરિગ્રહ)નું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy