SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૪] s नमो नमो निम्मल दसणस्त પંચગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ * uuuuuuuu ૪૩ | ઉત્તરાયણ ચોથું મૂળસૂત્રગુર્જરછાયા '. - (અધ્યયન-વિનયકૃત) [૧] જે સાંસારિક સંયોગો અથતું બંધનોથી મુક્ત છે. અણગાર ભિક્ષુ છે. તેના વિનયધર્મનું અનુક્રમથી નિરૂપણ કરું છું. તેને ધ્યાનપૂર્વક મારી પાસે સાંભળો. [-૩] જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે ગુરુના સાનિધ્યમાં રહે છે. ગુરૂના ઈગિતઆકાર અથતુ સંકેત અને મનોભાવો જાણે છે, તે વિનીત કહેવાય છે. જે ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા, ગુરુના સાનિધ્યમાં નથી રહેતા, ગુરુને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અસંબદ્ધ અણસમજુ નેઅવિનીત કહેવાય છે. [૪-૬] જેવી રીતે સડેલા કાનવાળી કૂતરીને ઘણાની સાથે સર્વ સ્થાનોમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેવી રીતે દુરશીલ અને અયોગ્ય આચરણ કરવાવાળા, વાચાળ શિષ્યને પણ સર્વ જગ્યાએથી કાઢી મૂકવામાં આવે છે. જેવી રીતે ડુક્કર ભાત આદિ સારો ખોરાક છોડીને વિષ્ઠા ખાય છે તેવી રીતે પશુબુદ્ધિ મૃગની જેમ અજ્ઞાની શિષ્ય, શીલ-સદાચારને છોડીને દુશીલ-દુરાચારમાં રમણ કરે છે. પોતાનું હિત ઇચ્છવાવાળા ભિક્ષને, સડેલા કાનવાળી કૂતરી અને વિષ્ઠા ખાનાર સુવરની સમાન, દુશીલથી મનુષ્યને ન શોભે તેવી હીનસ્થિતિ થાય છે, એમ સમજીને વિનયધર્મ અંગીકાર કરવો. [૭] જેનાથી શીલની પ્રાપ્તિ થાય છે એવા વિનયનું આચરણ મનુષ્ય કરવું જોઈએ. એ બુદ્ધપુત્ર છે- મોક્ષાર્થી શિષ્ય છે, તેને ક્યાંથી પણ કાઢી મૂકવામાં નહીં આવે. [૮] શિષ્ય પ્રજ્ઞાવંત ગુરુજનોની પાસે હંમેશા પ્રશાંત ભાવે રહે,વાચાળ ન બને, અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતો છોડી દે. [] ગુરુ દ્વારા અનુશાસિત હોવાથી સમજદાર શિષ્ય ક્રોધ ન કરે, ક્ષમાની આરાધના કરે, શાંત રહે. ક્ષુદ્ર વ્યક્તિઓના સંપર્કથી દૂર રહે, તેની સાથે હંસી, મજાક અને અન્ય કોઈ ક્રીડા પણ ન કરે. [૧૦-૧૧] શિષ્ય આવેશમાં આવી કોઈ ચાંડાલિક-આવેશમૂલક અપકર્મ ન કરે, ખોટી ચર્ચા ન કરે. અધ્યયનકાલમાં અધ્યયન કરે અને ત્યારબાદ એકાન્તમાં રહી ધ્યાન ધરે. આવેશવશ જો શિષ્ય કોઈ ચાંડાલિક-ખોટો વ્યવહાર પણ કરી બેસે તો તેને કદી પણ છુપાવે નહીં. કરેલું હોય તો કરેલું કહે અને ન કરેલું હોય તો ન કરેલું કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy