SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકા - મમત્વ ભાવ પણ કદી ન કરે. [પ૩૩-૫૩૪] મુનિ, ગૃહસ્થોની વૈયાવૃત્ય, અભિવાદન, વંદન કે નમન પણ ન કરે. સંકલેશ રહિત સાધુના સંગમાં રહે કે જેના સંસર્ગથી તેના ચારિત્રની હાનિ ન થાય. ભિક્ષુ; પોતાથી અધિક ગુણવાન કે સમાન ગુણવાળા અથવા સંયમક્રિયામાં નિપુણ કોઇ સાધુને મેળવી ન શકે તો કામભોગમાં અનાસક્ત રહી તથા પાપોનો ત્યાગ કરી સાવધાનતાપૂર્વક એકાકી વિચરે, [૫૩૫] જૈનભિક્ષુને વર્ષાઋતુમાં એક સ્થાને ચારમાસ સુધી અને અન્ય ૠતુઓમાં એક માસ સુધી રહેવાની આજ્ઞા છે. તેજ સ્થાનપર બીજું ચાતુર્માસ અથવા માસ-કલ્પ કરવું ન જોઇએ. ૧૮૩ - [૫૩૬-૫૩૯] ભિક્ષુ, રાત્રિના પ્રથમ પ્રહરમાં અથવા અંતિમ પ્રહરમાં પોતાના આત્માની આલોચના કરે કે - મેં આજે શું કર્યું ? શું કરવાનું બાકી છે ? મારાથી આચરવાનું શક્ય હોવા છતાં મેં શું નથી આચર્યું ? મારી સ્કૂલનાને અન્યલોકો અને હું કેવી રીતે જોઈ છીએ ? હું મારી સ્કૂલનાને શા માટે છોડતો નથી ? આ પ્રમાણે જે સાધુ વિચા૨ ક૨શે તે ભવિષ્યમાં અસંયમ સંબંધી દોષ નહિ કરે ધૈર્યવાન્ સાધું, મન, વચન, કાયાથી સ્ખલના થાય તેજ સમયે, ઉત્તમ અશ્વ જેમ લગામથી તુરત વશ થાય છે, તેમ પોતાના આત્માને વશ કરી સન્માર્ગે સ્થાપે. જે જિતેન્દ્રિય, ધૈર્યશાળી છે, જેના ત્રણયોગ હમેશા વશમાં હોય છે તેવા સત્પુરુષોને વિદ્વાનો પડિબુદ્ધજીવી કહે છે, કારણ કે તેઓ સંયમમયજ જીવન વ્યતીત કરે છે.. [૫૪૦] સુસમાધિવંત મુનિએ પોતાના આત્માની હંમેશા રક્ષા કરવી જોઈએ. કારણકે અરક્ષિત આત્મા જાતિપથ જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. જ્યારે સુરક્ષિત આત્મા સર્વ દુઃખોથી મુક્ત થયા છે. એમ હું (તમને) કહું છું. બીજી ચૂલિકાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૪૨ ‘દસવેયાલિયં’– ગુર્જર છાયા પૂર્ણ ત્રીજું મૂળસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy