SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ ૧૮૫ [૧૨] જેમ દૂર્બળ ઘોડાને વારંવાર ચાબુકની જરૂર પડે છે. તેમ શિષ્ય ગુરુના વારંવાર આદેશ વચનોની અપેક્ષા ન કરે. કારણકે ઉત્તમ શિક્ષિત ઘોડો ચાબુકને જોઈને જ ઉન્માર્ગને છોડી દે તેવીરીતે યોગ્ય શિષ્ય ગુરુના સંકેતમાત્રથી પાપકર્મ છોડી દે. [૧૩-૧૪] આજ્ઞામાં ન રહેવાવાળા, વગર વિચાર્યે કંઈ ને કંઈ બોલવાવાળા, અવિનીત શિષ્ય મૃદુ સ્વભાવવાળા ગુરુને પણ ક્રોધી બનાવી દે છે અને ગુરુના મનોનુકૂલ ચાલવાવાળા તથા પટુતાથી કાર્યસંપન્ન કરવાવાળા શિષ્ય જલદી જ કુપિત થવાવાળા ગુરુને પણ પ્રસન્ન કરી દે છે. (વળી) વગર પૂછ્યું કંઈ પણ ન બોલે, પૂછવાથી પણ અસત્ય ન કહે, અને ક્યારેય પણ ક્રોધ આવી જાય તો ક્રોધને આગળ ન વધારી ત્યાં જ તેને શાંત કરે છે તથા આચાર્યની પ્રિય અને અપ્રિય બંને શિક્ષાઓને ધારણ કરે છે. [૧૫-૧૬] આત્મા પરની વિજયપ્રાપ્તિ કઠિન છે છતાં આત્મા પર વિજય પ્રાપ્તકરવો જ જોઈએ. આત્મવિજેતાજ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. શિષ્ય એમ વિચાર કરે કે બંધન અને વધના દ્વારા બીજાથી દમાતો હોઉં તેના કરતાં હું પોતે જ સંયમ અને તપદ્વારા આત્મા પર વિજય પ્રાપ્ત કરું. એ વધારે સારું છે. [૧૭] બધાની સમક્ષ અથવા એકાંતમાં વાણીથી અથવા કર્મથી ક્યારેય પણ આચાર્યને પ્રતિકૂળ આચરણ નહીં કરવું જોઈએ. [૧૮-૧૯] આચાર્યોની બરાબર ન બેસે, આગળ ન બેસે, પીઠની પાછળ ન બેસે, ગુરુની અતિ નજીક ગોઠણથી ગોઠણનો સ્પર્શ થાય એમ ન બેસે. સંથારામાં બેઠાં બેઠાં જ ગુરુના કથિત આદેશોનો સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે ગુરુની સમક્ષ પલાંઠી વાળી બેસવું નહીં, બંને હાથોથી શરીરને બાંધીને કે પગોને ફેલાવીને પણ બેસવું નહીં. [૨૦-૨૧] ગુરુના કૃપાભાવને ઇચ્છાવાળા મોક્ષાર્થી શિષ્ય, કોઈ પણ સ્થિતિમાં આચાર્યના બોલ સાંભળી મૌન રહીને નિરંતર તેની સેવામાં ઉપસ્થિત રહે. ગુરુ એકવાર અથવા અનેકવાર બોલાવે તો બુદ્ધિમાન શિષ્ય ક્યારેય પણ બેસી ન રહે, પરંતુ આસન છોડી તેમના આદેશનો યત્નાપૂર્વક સાવધાનતાથી અમલ કરે. [૨૨-૨૩] આસન અથવા શય્યામાં બેઠા બેઠા ક્યારે પણ ગુરુને કોઈ વાત ન પૂછે, પરંતુ તેમની સામે આવી ઉત્કટ આસને બેસી અને હાથ જોડીને જે પણ પૂછવું હોય તે પૂછે. વિનીત શિષ્ય આ પ્રકારે વિનીત સ્વભાવે પૂછે તો ગુરુ, સૂત્ર, અર્થ અને તદુભયબંનેનું યથાશ્રુત (શ્રુત અનુસાર) નિરૂપણ કરે. [૨૪-૨૫] ભિક્ષુ અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે. ભાષાના અન્ય પરિહાસ તથા સંશય આદિ દોષોને પણ છોડે, માયાનો સદા પરિત્યાગ કરે. કોઇના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે અથવા બંનેને માટે પાપકારી ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભેદક વચન પણ ન કહે. [૨૬] લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચેની ગલીમાં અને રાજમાર્ગમાં એકલા મુનિ એકલી સ્ત્રી સાથે ઊભા ન રહે, તથા વાત ન કરે. [૨૭-૨૯] પ્રિય અથવા કઠોર શબ્દોથી આચાર્ય મારા પર જે અનુશાસન કરે છે, ‘તે મારા લાભ માટે છે’ - એવો વિચાર કરી યત્નપૂર્વક તેના અનુશાસનનો સ્વીકાર કરે. આચાર્યનું પ્રસંગોચિત કોમલ અથવા કઠોર અનુશાસન દુષ્કૃતનો નિવારક થાય છે. આ અનુશાસનને બુદ્ધિમાન શિષ્ય હિતકર માને છે. પરંતુ અયોગ્ય વ્યક્તિ માટે તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy