SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -૪૩ ૧૩૭ ભિક્ષા લેવી કલ્પ. પ્રગલિત-ગળતો કોઢ વગેરે ચામડીનો રોગ જેને થયેલો હોય તેની પાસેથી ભિક્ષા. લેવી કહ્યું નહિ. ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, પડી જાય, ઝાડો-પેશાબ બરાબર સાફ કરી શકે નહિ તેથી અપવિત્ર રહે. તેની પાસેથી ભિક્ષા લેવામાં લોકોમાં જુગુપ્સા થાય, છ જીવનિકાયની વિરાધના વગેરે દોષો થાય, માટે તેની પાસેથી ભિક્ષા ન કલ્પે. અપવાદ-ઉપર કહેલ દોષોનો જે પ્રસંગમાં સંભવ ન હોય અને આજુબાજુમાં બીજા લોકો ન હોય તો ભિક્ષા લેવી કહ્યું. આરૂઢ-પગમાં પાદુકા-જોડા વગેરે પહેરેલ હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે. હસ્તાબ્દુ-બંને હાથ લાકડાની હેંડમાં નાખેલ હોય તેની પાસે ભિક્ષ લેવી ને કહ્યું. નિગડ-પગમાં બેડી હોય તેની પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. છિનહસ્તપાદ-હાથ કે પગ કપાયેલા હોય તેવા ઠુંઠા કે લંગડા પાસેથી ભિક્ષા લેવી નકલ્પ. - ત્રિરાશિક-નપુંસક પાસેથી ભિક્ષા લેવી ન કહ્યું. નપુંસક પાસેથી ભિક્ષા લેવામાં સ્વ-પર અને ઉભયને દોષો રહેલો છે. નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા લેવાથી અતિ પરિચય થાય તેથી સાધુને જોઇને તેને વેદોદય થાય અને કુચેષ્ટા કરે એટલે બનેને મૈથુનકર્મનો દોષ લાગે. વારંવાર ન જાય પણ કોઈક વખતે જાય તો મૈથુન દોષનો પ્રસંગ ન આવે પરંતુ લોકોમાં જુગુપ્સા થાય કે “આ સાધુ નપુંસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે, તેથી સાધુ પણ નપુંસક હશે.' ઇત્યાદિ દોષો લાગે. અપવાદ-નપુંસક અનાસેવી હોય, કૃત્રિમ રીતે નપુંસક થયો હોય, મંત્ર કે તંત્રથી નપુંસક થયો હોય, શ્રાપથી નપુંસક થયો હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું. | ગુહિણી-નજીકમાં પ્રસવકાળ-ગર્ભ રહે નવ મહિના થયા હોય તેવી ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવામાં સ્ત્રીને ઉઠતા-બેસતા અંદર રહેલા ગર્ભના જીવને પીડા થાય, માટે તેની પાસેથી ભિક્ષા ન લેવી. અપવાદ-ગર્ભ રહે નવ મહિના થયા ન હોય, ભિક્ષા આપતાં કષ્ટ પડે એમ ન હોય, બેઠેલી હોય તો બેઠા બેઠા અને ઉભેલી હોય તો ઊભા ઊભા ભિક્ષા આપે તો લેવી કલ્પી શકે. જિનકલ્પી સાધુ માટે તો જે દિવસે ગર્ભ રહે તે જ દિવસથી માંડી જ્યાં સુધી બાળક નાનો-ધાવતો હોય ત્યાં સુધી તે સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી તેમને ન કહ્યું. બાલવત્સા-ધાવતું બાળક ખોળામાં હોય તેવી સ્ત્રી બાળકને બાજુમાં મૂકીને ભિક્ષા આપે તો તેની પાસેથી લેવી કહ્યું નહિ. બાળકને જમીન ઉપર કે માંચીમાં મૂકીને ભિક્ષા આપવા ઉઠે તો કદાચ તે બાળકને બિલાડી કે કૂતરું આદિ માંસનો ટૂકડો કે સસલાનું બચ્ચું વગેરે ધારીને મોંમાં પકડીને લઈ જાય, તો બાળકનો નાશ થાય. વળી ભિક્ષા આપતાં તે સ્ત્રીના હાથ ખરડાયા હોય તે કર્કશ હાથે બાળકને પાછી હાથમાં લેતાં બાળકને પીડા થાય ઈત્યાદિ દોષો રહેલા હોવાથી તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા ન કલ્પે. અપવાદ-બાળક મોટો થયો હોય, સ્તનપાન કરતો ન હોય તો તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પે. કેમકે તે મોટો હોઈ બિલાડી આદિ ઉપાડી જવાનો સંભવ નથી. ભોજન કરતાં હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. ભોજન કરતાં હોય અને ભિક્ષા આપવા ઉઠે તો હાથ ધુવે તો અષ્કાયાદિની વિરાધના થાય. હાથ ધોયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy