SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પિંડનિજુત્તિ-(૬૪૩) પણ લાળ પડે, તે જોઇને જુગુપ્સા થાય કે કેવી ગંદી ભિક્ષા લેનારા છે?' હાથ કંપતા હોય તેથી વસ્તુ ઢોળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય. વૃદ્ધ હોવાથી આપવા જતાં પોતે જ પડી જાય, તો જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય કે વૃદ્ધના હાથ પગ આદિ ભાગે કે ઉતરી જાય. વૃદ્ધ જો ઘરનો નાયક ન હોય તો ઘરના માણસોને તેના ઉપર દ્વેષ થાય કે આ છોકરો બધુ આપી દે છે. કાંતો સાધુ ઉપર દ્વેષ કરે કે બન્ને ઉપર દ્વેષ કરે. અપવાદ-વૃદ્ધ હોવા છતાં મોંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય. શક્તિશાળી હોય, ઘરનો માલિક હોય, તો તેનું આપેલું લેવું કલ્પી શકે. મત્ત-દારૂ વગેરે પીધેલો હોય, તો તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. દારૂ આદિ પીધેલો હોવાથી ભાન ન હોય, એટલે કદાચ સાધુને વળગી પડે, અથવા તો બકવાટ કરે કે “અરે ! મુંડીઆ ! કેમ અહીં આવ્યો છે?” એમ બોલતો મારવા પણ આવે, કે પાત્ર આદિ ફોડી નાખે, કે પાત્રમાં થુંકે કે આપતાં આપતાં દારૂનું વમન કરે, તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લોકો સાધુની નિંદા કરે કે “આ લોકોને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા દારૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.' અપવાદ-જો તે શ્રાવક હોય, પરવશ ન હોય અથતુ ભાનમાં હોય અને આજુબાજુમાં લોકો ન હોય તો તે આપે તો લેવું કહ્યું. ઉન્મત્ત-મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલો અથવા તો ભૂત આદિનો વળગાડ થયેલો હોય તેથી ઉન્મત્ત થયેલો હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ. ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદોષ સિવાયના દોષો લાગે. અપવાદ-તે પવિત્ર હોય, ભદ્રક હોય અને શાંત હોય તો લેવું કહ્યું. વેપમાન-શરીર કંપતું હોય તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. શરીર કંપતું હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢોળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે, અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તો, ભાજન તૂટી જાય, છકાય જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શરીર કંપતું હોય, પણ તેના હાથ સ્થિર હોય કંપતા ન હોય તો કહ્યું. જવરિત-તાવ આવતો હોય તેની પાસેથી લેવું કહ્યું નહિ ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત તેનો તાવ કદાચ સાધુમાં સંક્રમે, લોકોમાં ઉહાહ થાય કે “આ કેવા આહાર લંપટ છે તાવવાળા પાસેથી ભિક્ષા લે છે. માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. અપવાદ તાવ ઉતરી ગયો હોય-ભિક્ષા આપતી વખતે તાવ ન હોય તો કહ્યું અંધ-આંધળા પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. શાસનનો ઉદ્દાહ થાય કે “આ આંધળો આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુઓ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.” આંઘળો દેખતો નહિ હોવાથી જમીન ઉપર રહેલા છ જવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તો નીચે પડી જાય, તો તેને વાગે, ભાજન ઉપાડ્યું. હોય અને પડી જાય તો જીવોની વિરાધના થાય. આપતાં બહાર પડી જાય વગેરે દોષો હોવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શ્રાવક કે શ્રદ્ધાળું આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy