SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૬૧૩ ૧૩૧ આ દરેકમાં ચાર ચાર ભાંગા થાય છે. કુલ સોળ ભાંગા થાય. થોડી સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી, થોડી સુકી વસ્તુ થોડા આર્દ્રમાં બદલવી થોડી સુકી વસ્તુ બહુ આર્દ્રમાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા આર્ડમાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ આર્દ્રમાં બદલવી, થોડી આર્દ્ર વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી આર્દ્ર વસ્તુ બહુ સુકામા બદલવી બહુ આર્દ્ર વસ્તુ થોડી સુકામાં નાખવી બહુ આર્દ્ર વસ્તુ બહુ સુકામાં નાખવી, થોડી આર્દ્ર વસ્તુ થોડા આર્ડમાં નાખવી થોડી આર્દ્ર વસ્તુ બહુ આર્દ્રમાં નાખવી બહુ આર્દ્ર થોડા આર્ડમાં નાખવી બહુ આર્દ્ર બહુ આર્દ્રમાં નાખવી હલકા ભાજનમાં જ્યાં થોડામાં થોડું, તેમાં પણ સુકામાં સુકુ અથવા સુકામા આર્દ્ર, આર્દ્રમાં સુકુ કે આર્દ્રમાં આર્દ્ર બદલવામાં આવે તે આચીર્ણ વસ્તુ સાધુને લેવી કલ્પે, તે સિવાયની અનાચીર્ણ વસ્તુ કલ્પે નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની એક પણ વસ્તુ કલ્પે નહિ. તેમજ ભારે ભાજનથી બદલે તો પણ તે કલ્પે નહિ. કેમકે ભારે વાસણ હોવાથી આપના૨ને ઉપાડવા-મૂકવામાં શ્રમ પડે, પીડા થવા સંભવ છે. તથા ગરમ વાસણ હોય અને કદાચ પડી જાય કે તૂટી જાય તો પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના થાય. [૬૧૪-૬૪૩] નીચે જણાવેલા ચાલીસ પ્રકારના દાતા પાસેથી ઉત્સર્ગ માર્ગે સાધુએ ભિક્ષા લેવી કલ્પે નહિ. ન બાળક-આઠ વર્ષની અંદરની ઉંમરનો હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે. વડીલ હાજર ન હોય તો ભિક્ષા આદિ લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પોતાની નાની ઉંમરની પુત્રીને કહ્યું કે ‘સાધુ ભિક્ષા માટે આવે તો આપજે.’ એક સાધુ સંઘાટક ફરતાં ફરતાં તેને ઘેર આવ્યા. બાલિકા વહોરાવા લાગી. નાની છોકરીને મુગ્ધ જોઇ મુખ્ય સાધુએ લંપટતાથી બાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહોરી લીધી. માએ કહ્યું હતું એટલે બાલિકાએ બધું વહોરાવી દીધું. તે સ્ત્રીને ખેતરેથી આવી ત્યારે કંઈ ન જોતા તેને ગુસ્સો આવ્યો અને બોલી કે “કેમ બધુંએ આપી દીધું ?' બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઇ લીધું.' સ્ત્રી રોષાયમાન થઇ ગઇ અને ઉપાશ્રયે આવીને ઘાંટા પાડીને બોલવા લાગી કે તમારો સાધુ કેવો કે બાલિકા પાસેથી બધુંએ લઇ લીધું ?” સ્ત્રીનો મોટો અવાજ સાંભળી લોકો ભેગા થઇ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. ‘આ લોકો માત્ર વેષધારી છે, લૂંટારા છે, સાધુપણું નથી.’ વગેરે જેમતેમ બોલવા લાગ્યા. આચાર્ય ભગવંતે શાસનનો અવર્ણવાદ થતો જોયો આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને ફરીથી આવું ન કરીશ' એમ કહીને ખૂબજ ઠપકો આપ્યો. આ રીતે શાસનનો ઉડ્ડાહ આદિ દોષો રહેલા છે, માટે આ રીતે વડીલની ગેરહાજરી વગેરેમાં નાના બાળક પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ-વડિલની હાજરી હોય અને તે અપાવડાવે તો નાના બાળક પાસેથી પણ ભિક્ષા લેવી કલ્પે. વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે ૭૦ વર્ષની ઉંમરવાળા વૃદ્ઘ પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. અતિવૃદ્ધપણાને લીધે તેના મોંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy