SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પિંડનિત્ત-(૪૩) સિવાય આપે તો લોકોમાં જુગુપ્સા થાય કે “એંઠી ભિક્ષા લે છે. માટે ભોજન કરતા હોય તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-હાથ એંઠા થયા ન હોય કે ભોજન કરવાની શરૂઆત કરી ન હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું. મનંતી-દહીંનું વલોણું કરતી હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. દહીં આદિ વલોવતી હોય તો તે સંસક્ત (જીવવાળું) હોય તે સંસક્ત દહીં આદિથી ખરડાએલા હાથે ભિક્ષા આપતા તે રસ જીવોનો વિનાશ થાય માટે તેના હાથે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-વલોણું પુરૂં થઈ ગયું હોય અને હાથ કોરા હોય, તો લેવું કહ્યું અથવા તો વલોણામાં હાથ બગડેલા ન હોય તો લેવું કહ્યું. ભજંતી- ચૂલા ઉપર તાવડી આદિમાં ચણાદિ સેકતી હોય તો ભિક્ષા ન કલ્પે. અપવાદ-ચૂલેથી તાવડી ઉતારી લીધી હોય કે સંઘટ્ટો ન હોય તો કલ્પ. દલતી-ઘંટી આદિમાં અનાજ દળતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-દળતાં દળતાં તે ઉભી થઈ હોય અને સાધુ આવી જાય અને આપે તો લેવું કહ્યું, અથવા અચિત્ત વસ્તુ દળતી હોય તો લેવું કહ્યું. ખંડતી-ખાણીયા આદિમાં ખાંડતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-સાંબેલું ઉંચું કરેલું હોય અને સાધુ આવી જાય તો ઉપાડેલા સાંબેલામાં કણ ચોટેલા ન હોય તો, સાંબેલું નિર્જીવ જગ્યામાં મૂકીને આપે તો લેવું કહ્યું. પીસતી-પત્થર, ખાણીયા આદિમાં લસોટતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-વાટી રહ્યા હોય, સચિત્તનો સંઘટ્ટો ન હોય તેવા વખતે સાધુ આવે અને આપે તો લેવું કહ્યું. પીંજંતી-રૂ છૂટું છૂટું કરતી હોય તો લેવું કહ્યું નહિ. રૂચિંતી-કપાસમાંથી રૂ જુદુ કાઢતી હોય તો લેવું કલ્પ નહિ. કંનંતી-રૂમાંથી સુતર કાંતતી હોય તો લેવું કહ્યું નહિ. મઘાણી-રૂની પુણીઓ બનાવતી હોય તો લેવું કલ્પ નહિ.. અપવાદ-પિંજવા આદિનું કામ પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત રૂ ને પીંજતી હોય તો ભિક્ષા લેવી કહ્યું. અથવા તો ભિક્ષા આપ્યા પછી હાથ ન ધુએ એમ હોય તો લેવું કહ્યું. અથતુ પશ્ચાત્ કર્મદોષ ને લાગે એમ હોય તો લેવું કહ્યું. સચિત્ત પૃથ્વીકાય આદિ વસ્તુ (સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવન ભરેલી બસ્તી, ફળ, મત્સ્ય આદિ) હાથમાં હોય તો ભિક્ષા લેવી ન કલ્પે. સાધુને ભિક્ષા આપવા માટે સચિત્ત વસ્તુ નીચે મૂકીને આપે તો લેવું ન કલ્પ. સચિત્ત વસ્તુ ઉપર ચાલતી હોય અને આપે તો લેવું ન કલ્પે. સચિત્ત વસ્તુનો સંઘટ્ટો કરતા આપે, માથામાં સચિત્ત ફુલની વેણી, ફુલ આદિ હોય અને આપે તો ભિક્ષા લેવી કહ્યું નહિ. પૃથ્વીકાય આદિનો આરંભ કરતી હોય તો તેની પાસેથી લેવું ન કલ્પે. કોદાળી આદિથી જમીન ખોદતી હોય ત્યારે પૃથ્વીકાયનો આરંભ થાય, સચિત્ત પાણીથી સ્નાન કરતી હોય, કપડાં ધોતી હોય કે વૃક્ષ ઉપર પાણી સીંચતી હોય તો અપ્લાયનો આરંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy