SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫૫૪ ૧૨૫ યોગપિંડ ઉપર શ્રી સમિતિસૂરિનું દ્રષ્ટાંત, મૂલકમપિંડ ઉપર અક્ષતયોનિ તથા ક્ષતયોનિ કરવા ઉપર બે સ્ત્રીનું દૃષ્ટાંત, વિવાહ વિષયક મૂલકર્મપિંડ ઉપર પણ બે સ્ત્રીનું દ્રષ્ટાંત અને ગભધાન તથા ગર્ભપાડનારૂપ મૂલકમપિંડ ઉપર રાજાની બે રાણીઓનું દ્રષ્ટાંત. ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જો ગણ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયોગ કરે તો આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયોગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયોગ કરે તો તેવો પિંડ સાધુને માટે અકથ્ય છે. મૂલકર્મપિંડ-મંગલને કરનારી લોકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું, ધૂપ વગેરે કરવો, તથા ગભધાન, ગર્ભસ્થંભન, ગર્ભપાત કરાવવો, રક્ષાબંધન કરવું, વિવાહ લગ્નાદિ કરાવવાં કે તોડાવવાં વગેરે. ક્ષતયોનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારીકા આદિને આપે કે જેથી યોનિમાંથી રૂધિર વહ્યા કરે. અક્ષતયોનિ એટલે ઔષધ આદિના પ્રયોગથી વહેતું રૂધિર બંધ થાય. આ બધુ આહારાદિ માટે કરે તો મૂલકર્મપિંડ કહેવાય. બ્રહ્મદ્વિીપમાં દેવશમાં નામનો કુલપતિ ૪૯૯ તાપસો સાથે રહે છે. પોતાનો મહિમા બતાવવા માટે સંક્રાંતિ આદિ પર્વ દિવસે દેવશર્મા પોતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કષ્ણા નદી ઉતરીને અચલપુર નગરમાં આવતો હતો. લોકો આવો અતિશય જોઇને આશ્ચર્ય પામ્યા, તેથી ભોજન આદિ સારી રીતે આપીને તાપસોનો સારો સત્કાર કરતા હતા. આથી લોકો તાપસની પ્રશંસા કરતા હતા અને જૈનોની નિંદા કરતા. હતા, તથા શ્રાવકોને કહેવા લાગ્યા કે તમારા ગુરુઓમાં છે આવી શક્તિ?” શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતિસૂરિજી પાસે જઈને વાત કરી. આચાર્ય મહારાજ સમજી ગયા કે તે પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતો નથી.” આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું કે તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા. તાપસો સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે ધોવા કે લેપોનો જરા પણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.” શ્રાવકો તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું. તાપસો ભોજન માટે આવ્યા, એટલે શ્રાવકો તાપસોના પગ ધોવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યો. કેમકે “પગ ધોવાય તો લેપ નીકળી જાય.' શ્રાવકોએ કહ્યું કે “પગ ધોયા વગર ભોજન કરાવીએ તો અવિનય થાય, માટે પગ ધોયા પછી જ ભોજન કરાવાય.’ શ્રાવકોએ તાપસોના પગ બરાબર ધોયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકો તેમની સાથે નદી કિનારે ગયા. કુલપતિ પોતાના તાપસો સાથે નદી ઉતરવા લાગ્યો. પરંતુ લેપ નહિ હોવાથી પાણીમાં ડૂબવા લાગ્યો આ દ્રશ્ય જોતાં લોકોમાં તેમની અપભ્રાજના થઈ કે અહો ! આ તો લોકોને છેતરવા માટે લેપ લગાવીને નદી ઉતરતા હતા. આ વખતે તાપસી આદિના પ્રતિબોધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લોકો સાંભળે એમ બોલ્યા કે “હે કૃષ્ણા ! અમારે સામે કિનારે જવું છે. ત્યાં તો નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લોકો તથા તાપસો સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy