SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨૬ પિંડનિજજુત્તિ-(પાપ) આચાર્યશ્રીનો આવો પ્રભાવ જોઈ, દેવશમાં તાપસે પોતાના ૪૯૯ તાપસો સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઈ. અજ્ઞાન લોકો શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલો આ ઉપયોગ બરાબર હતો, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કહ્યું નહિ. એમાં પણ સંયમ વિરાધના આત્મ વિરાધના, પ્રવચન વિરાધના રહેલી છે. સાધુએ ભિક્ષાદિ નિમિત્તે ચૂર્ણ, યોગ, મૂળકર્મ-આદિ પિંડો ગ્રહણ કરવા નહીં. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. પ્રયોગ કર્યાની ખબર પડે તો સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ભિનયોનિ કરવાથી જીંદગી સુધી તેને ભોગનો અંતરાય થાય. અક્ષતયોનિ કરવાથી મૈથુન સેવે. ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલીનતા થાય. જીવહિંસા થાય. આ રીતે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને પ્રવચન વિરાધના વગેરે દોષો થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કહ્યું નહિ. મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે. [પપપ-પ૬૧] શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણા કહી છે - ગવેષણા, ગ્રહણ એષણા, ગ્રાસ એષણા, ગવેષણા-દોષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણા-દોષ વગરનો આહાર ગ્રહણ કરવો તે. ગ્રાસ એષણા-દોષોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરવો તે. ઉગમના સોળ અને ઉત્પાદનના સોળ દોષો, આ બત્રીશ દોષો કહ્યા તે ગવેષણા કહેવાય છે. ગdવષણાનું નિરૂપણ પુરૂં થયું. ગ્રહણ એષણાના દશ દોષોમાં આઠ દોષો સાધુ અને ગૃહસ્થ બનેથી ઉત્પન્ન થાય છે. બે દોષો (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે. ગ્રહણ એષણાના ચાર નિક્ષેપા-પ્રકારો થાય છે. નામ ગ્રહણ એષણા, સ્થાપના ગ્રહણ એષણા, દ્રવ્ય ગ્રહણ એષણા, ભાવગ્રહણ એષણા નામગ્રહણ એષણા- ગ્રહણ એષણા નામ હોય તે. સ્થાપનાગ્રહણ એષણા-ગ્રહણ એષણાની સ્થાપના આકૃતિ કરી હોય તે. દ્રવ્યગ્રહણ એષણાત્રણ પ્રકારે-સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે. ભાવગ્રહણ એષણા-બે પ્રકારે-આગમ ભાવગ્રહણએષણા અને નોઆગમ ભાવગ્રહણ એષણા. આગમભાવગ્રહણ એષણા-ગ્રહણ એષણાનો જાણકાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવગ્રહણ એષણા-બે પ્રકારે-પ્રશસ્તભાવ ગ્રહણ એષણા અને અપ્રશસ્તભાવ ગ્રહણ એષણા. પ્રશસ્તભાવગ્રહણ એષણા-સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ. અપ્રશસ્તભાવગ્રહણ એષણા- શંકિત આદિ દોષવાળાં આહારપાણી ગ્રહણ કરવાં. ભાવ ગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડનો અધિકાર છે. અપ્રશસ્તપિંડના દશ પ્રકારો બતાવે છે. [૫૨] શકિતદોષ-આધાકમદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. પ્રતિદોષ-સચિત્ત પૃથ્વીકાયાદિ ખરડાએલો આહાર ગ્રહણ કરવો તે. નિખિદોષસચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરવો તે. પિહિતદોષ-સચિત્ત આદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. સંહતદોષ-જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી હોય. તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરવો તે. દાયકદોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy