SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પિંડનિ′ત્તિ – (૫૩૨) સાચા જ છે, તમને જોયા પહેલા તમારા દાનાદિ ગુણો સાંભળ્યા હતા, ત્યારે મનમાં શંકા હતી કે ‘આ વાત સાચી હશે કે ખોટી હશે ?' પરંતુ આજે તમોને જોવાથી શંકા દૂર થઈ ગઈ છે.’ ઇત્યાદિ પ્રશંસા કરે તે વચનપશ્ચાત્ સંસ્તવ કહેવાય. આવા સંસ્તવદોષવાળી ભિક્ષા લેવાથી બીજા અનેક પ્રકારના દોષો થાય છે. [૫૩૨-૫૩૭] જાપ હોમ બલી અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રી દેવતા હોય તે વિદ્યા. તથા જાપ હોમાદિ વગર સાધ્ય થતો અથવા જેના અધિષ્ઠાતા પુરુષ દેવતા હોય તે મંત્ર. ભિક્ષા મેળવવા માટે વિદ્યા કે મંત્રનો ઉપયોગ કરે તો તે પિંડ વિદ્યાપિંડ કે મંત્રપિંડ કહેવાય. આવો પિંડ સાધુને લેવો કલ્પે નહિ. ગંધસમૃદ્ધ નામના નગરમાં બૌદ્ધ સાધુનો ભક્ત ધનદેવ રહેતો હતો. તે બૌદ્ધ સાધુઓની ભક્તિ કરતો હતો. તેને ત્યાં જો જૈન સાધુ આવ્યા હોય તો કંઇ પણ આપતો નહિ. એક વખત તરૂણ સાધુઓ પરસ્પર ભેગા થઇને વાતો કરતા હતા, ત્યાં એક સાધુ બોલ્યો કે ‘આ ધનદેવ સંયત સાધુને કંઇ પણ આપતો નથી. આપણામાં કોઇ એવો છે કે જે ધનદેવ પાસે ઘી, ગોળ આદિ ભિક્ષા અપાવી શકે ?’ એક સાધુ બોલી ઉઠ્યો કે “મને આજ્ઞા કરો, હું ધનદેવ પાસે દાન અપાવરાવું.' સાધુઓએ કહ્યું કે ‘સારૂં. તમને આજ્ઞા આપી. તે સાધુ ધનદેવના ઘર પાસે ગયો અને તેના ઘર ઉપર વિદ્યાનો પ્રયોગ કર્યો. એટલે ધનદેવે સાધુને કહ્યું કે ‘શું આપું ?” સાધુઓએ કહ્યું કે ‘ઘી, ગોળ, વસ્ત્ર આદિ આપો. ધનદેવે ખૂબ ઘી, ગોળ કપડાં વગેરે આપ્યાં. સાધુઓ ભિક્ષા આદિ લઇને ગયા પછી પેલા સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે ધનદેવને ભાન આવ્યું. ઘી, ગોળ વગેરે થોડું જોતાં તેને થયું કે ‘કોઇ મારાં ઘી, ગોળ વગેરેની ચોરી કરી ગયું.’ અને પોતે વિલાપ કરવા લાગ્યો. લોકોએ પૂછ્યું કે ‘કેમ વિલાપ કરો છો ? શું થયું ?' ધનદેવે કહ્યું કે ‘મારૂં ઘી વગેરે કોઇ ચોરી ગયું લાગે છે.’ લોકોએ કહ્યું કે ‘તમારા હાથે જ સાધુઓને જોઇએ તેટલું આપ્યું છે અને હવે ચોરીની બૂમ શેની પાડો છો ?' આ સાંભળી ધનદેવ મૌન થઇ ગયો. વિદ્યા સંહરી લેતાં તે સ્વભાવસ્થ થયો. હવે જો તે સાધુનો દ્વેષી હોય તો બીજી વિદ્યા વડે સાધુઓને સ્થંભિત કરી દે કે મારી નાખે, અથવા લોકોને કહે કે વિદ્યા દિથી બીોનો દ્રોહ કરીને જીવે છે તેથી માયાવી છે, કપટી છે, વગેરે જેમ ફાવે તેમ બોલે. આથી સાધુઓની નિંદા થાય, રાજકુલમાં લઇ જાય તો વધ, બંધનાદિ કદર્થના થાય. માટે સાધુઓને વિદ્યાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી કલ્પે નહિ. [૫૩૮-૫૫૪] ચૂર્ણપિંડ-અદૃશ્ય થવું કે વશીકરણ કરવા, આંખમાં આંજવાનું અંજન તથા કપળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તે ચૂર્ણ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં ચૂર્ણનો ઉપયોગ કરવો, તે ચૂર્ણપિંડ કહેવાય. યોગપિંડ-સૌભાગ્ય અને દૌર્ભાગ્યને કરવાવાળા પાણી સાથે ઘસીને પીવામાં આવે તેવા ચંદન આદિ, ધૂપનો વાસ આપવાવાળા દ્રવ્ય વિશેષો તથા આકાશગમન, જળસ્થંભન આદિ કરે તેવા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યોગ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં યોગનો ઉપયોગ કરવો, તે યોગપિંડ કહેવાય. ચૂર્ણપિંડ ઉપર ચાણાક્યે જાણી લીધેલા બે અદૃશ્ય સાધુનું દૃષ્ટાંત, પાદલેપનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy