________________
[૬૭]
नमो नमो निम्मल दंसणस्स પંચામ ગણધાર શ્રી સુધામાંામિને નમઃ
૩૦ ગચ્છાચાર પઈગ્ણય
સાતમું પ્રકિર્ણક- ગુર્જર છાયા
[૧]દેવેન્દ્રોથી નમિત મહાઐશ્વર્યશાળી, શ્રીમહાવીરદેવને નમસ્કાર કરીને, શ્રુતરૂપ સમુદ્રમાંથી સુવિહિતમુનિ સમુદાયે આચરેલ ગચ્છાચાર સંક્ષેપથી ઉદ્ધરીને હું કહીશ.
[૨] ગૌતમ ! આ જગતમાં કેટલાએક એવા પણ જીવો છે કે જે, એ ઉન્માર્ગગામી ગચ્છમાં રહીને અથવા તેનો સહવાસ કરીને ભવપરંપરામાં ભમે છે. કારણ કે અસત્પુરૂષોનો સંગ શીલવંત-સજ્જનને પણ અધઃપાતનો હેતુ છે.
[૩-૭]ગૌતમ ! અર્ધ પ્રહર-એક પ્રહર-દિવસ-પક્ષ-એક માસ-અથવા એક વર્ષપર્યન્ત પણ સન્માર્ગગામી ગચ્છમાં રહેનાર આળસુ-નિરુત્સાહી અને વિમનસ્ક મુનિ પણ, બીજા મહાપ્રભાવવાળા સાધુઓને સર્વ ક્રિયાઓમાં અલ્પ સત્ત્વવાળા જીવોથી ન થઈ શકે એવા તપાદિરૂપ ઉદ્યમ કરતા જોઈને, લજ્જા અને શંકા તજી દઈ ધર્માનુષ્ઠાન કરવામાં ઉત્સાહ ધરે છે. વળી ગૌતમ ! વીર્યોત્સાહવડે જ જીવે જન્માન્તરમાં કરેલા પાપો મુહૂર્તમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે, માટે સારીરીતે પરીક્ષા કરીને જે ગચ્છ સન્માર્ગપ્રતિષ્ઠિત હોય તેમાં જીવનપર્યન્ત વસવું. કેમકે જે સંયત-સક્રિયાવાન્ હોય તેજ મુનિ છે.
[૮]આચાર્ય મહારાજ ગચ્છને માટે મેથી, આલંબન, સ્તંભ, દ્રષ્ટિ, ઉત્તમ યાન સમાન છે. એટલે કે મેથી- (જે બંધથી પશુઓ મર્યાદાએ વર્તે તે) માં બંધાએલ પશુઓ જેમ મર્યાદામાં વર્તે છે, તેમ ગચ્છ પણ આચાર્યના બંધનથી મર્યાદાએ પ્રવર્તે છે. ખાડા આદિમાં પડતાં જેમ હસ્તાદિકનું આલંબન ધારી રાખે છે, તેમ સંસારરૂપ ગતિમાં પડતા ગચ્છને આચાર્ય ધારી રાખે છે. જેમ સ્તંભ પ્રાસાદનો આધાર છે, તેમ આચાર્ય પણ ગચ્છરૂપ પ્રાસાદનો આધાર છે. જેમ દ્રષ્ટિ શુભાશુભ વસ્તુ જીવને બતાવનાર છે, તેમ આચાર્ય પણ ગચ્છને ભાવિ શુભાશુભ બતાવનાર છે. જેમ છિદ્રવિનાનું ઉત્તમ વહાણ જીવોને સમુદ્રતીરે પહોંચાડે છે, તેમ આચાર્ય પણ ગચ્છને સંસારના તીરે પહોંચાડે છે. માટે ગચ્છની પરીક્ષા કરવા ઈચ્છનારાએ પ્રથમ આચાર્યનીજ પરીક્ષા કરવી.
[૯-૧૧]હે ભગવન્ ! છદમસ્થમુનિ કયા ચિન્હોથી ઉન્માર્ગગામી આચાર્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org