SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તંદુલયાલિય- [૭૩] બાવીસ વાહ તંદુલ ખાય છે એ ગણિત અનુસાર ૪૦ કરોડ, ૮૦ લાખ ચોખાના ઘણા થાય છે તેમ કહયું છે. આ રીતે સાડા બાવીસ વાહ તંદુલ ખાતો તે સાડા પાંચ કુંભ મગ ખાય છે. અતિ ૨૪૦૦ આઢક ઘી અને તેલ કે ૩૬ હજાર પલ મીઠું ખાય છે. તે બે માસે કપડા બદલતો હોય છ00 ધોતી પહેરે છે. એક માસે બદલતો હોય તો ૧૨૦૦ ધોતી પહેરે છે. એ રીતે હે આયુષ્યમાન ૧૦૦ વર્ષની આયુ વાળા મનુષ્યોના તેલ-ઘી, મીઠું, ભોજન અને વસ્ત્ર નું બધું ગણિત કે માપતોલ છે, આ ગણિત પરિમાણ પણ મહર્ષિઓએ બે પ્રકારે કહેવું છે. જેની પાસે આ બધું છે તેની ગણના કરી, જેની પાસે આ કંઈ નથી તેની શું ગણના કરવી? [૭૪-૮૦]પહેલા વ્યવહાર ગણિત જોયું હવે સૂક્ષ્મ અને નિશ્ચયગત ગણિત જાણવું જોઈએ. જો આ પ્રકારે ન હોય તો ગણના વિષમ જાણવી. સવધિક સૂક્ષ્મકાળ, જેનું વિભાજન ન થઈ શકે તેને “સમય” જાણવો. એક શ્વાસોશ્વાસમાં અસંખ્યાત સમય થાય છે. હૃષ્ટપુષ્ટ, ગ્લાનિ રહિત અને કષ્ટરહિત પુરુષ નો જે એક શ્વાસોશ્વાસ હોય છે તેને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોક નો એક લવ, ૭૭ લવનું એક મુહૂર્ત કહ્યું છે. હે ભગવન્! એક મુહૂર્તમાં કેટલા ઉશ્વાસ કહ્યા છે ? હે ગૌતમ ! ૩૭૦૩ ઉશ્વાસ થાય છે. બધા જ અનંતજ્ઞાનીઓએ આ જ મુહૂર્ત-પરિમાણ બતાવેલું છે. બે ઘડી નું એક મુહૂર્ત, સાઈઠ ઘડીનો એક અહોરાત્ર, પંદર અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષનો એક મહિનો થાય છે. [૮૧-૮૬]દાડમના પુષ્પની આકૃતિ વાળી લોખંડની ઘડી બનાવી તેના તળમાં છિદ્ર કરવું. ત્રણ વર્ષની ગાયના બચ્ચાની પૂંછડીના ૯૬ વાળ જે સીધા હોય અને વળેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા બે વર્ષના હાથીના બચ્ચાની પૂંછડીના બે વાળ, જે ટુટેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા ચારે માસા સોનાની એક ગોળ અને કઠોર સોય કે જેનું પરિમાણ ચાર અંગુલ હોય તેવું છિદ્ર હોવું જોઈએ. તે ઘડીમાં પાણીનું પરિણામ એ આઢક હોવું જોઈએ. તે પાણી ને કપડાં દ્વારા ગાળીને પ્રયોગ કરવો. મેઘનું સ્વચ્છ પાણી અને શરદકાલીન પર્વતીય નદી ના જ જેવું પાણી લેવું. [૮૭-૯૨]૧૨- માસનું એક વર્ષમાં એક વર્ષના ૨૪-પક્ષ અને ૩૬૦ રાતદિવસ હોય છે. એક રાત્રિ દિવસમાં ૧,૧૩,૯૦૦ ઉશ્વાસ હોય છે એક મહિનામાં ૩૩પપ૭૦૦ ઉશ્વાસ થાય છે. એક વર્ષમાં ૪૦૭૪૮૪૦૦ ઉશ્વાસ થાય છે. ૧૦૦ - વર્ષના આયુષ્યમાં ૪૦૭૪૮૪૦૦૦૦ ઉશ્વાસ થાય છે. હવે રાત દિવસ ક્ષીણ થતા આયુ ના ક્ષય ને જુઓ. (સાંભળો) [-૧૦૧]રાત દિવસમાં ત્રીસ અને મહિનામાં ૯૦૦ મુહૂર્ત પ્રમાદિના નાશ પામે છે. પણ અજ્ઞાની તેને જાણતા નથી. હેમંત ઋતુમાં સૂર્ય પૂરા ૩૬૦૦ મુહૂર્ત આયુનો નાશ કરે છે. એ જ રીતે ગ્રીષ્મ અને વર્ષો ઋતુઓમાં પણ થાય છે તેમ જાણવું. આ લોકમાં સામાન્ય થી સો વર્ષના આયુષ્યમાં ૫૦ વર્ષ નિદ્રામાં નાશ પામે છે. એ જ રીતે ૨૦ વર્ષ બાળપણ અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે. બાકીના ૧૫ વર્ષ ઠંડી, ગરમી, માર્ગગમન, ભૂખ, તરસ, ભય, શોક અને વિવિધ પ્રકારના રોગ થાય છે. એમ ૮૫ વર્ષ નાશ પામે છે. જે સો વર્ષ જીવનાર હોય તે ૧૫ વર્ષ જીવે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy