SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ભરપરિણા- [૨૮] [૨૮]ત્યાર પછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરૂ વિધિ વડે મહાવ્રતની આરોપણા કરે. [૨૯હવે દેશવિરતિ શ્રાવક સમકિતને વિષે રક્ત અને જિનવચનને વિશે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવતો મરણ વખતે આરોપણ કરાય છે. [૩૦]નિયાણા રહિત અને ઉદાર ચિત્તવાલો, હર્ષને લીધે વિસ્તાર પામ્યાં છે રોમરાજી જેનાં એવો તે ગુરૂની, સંઘની અને સાધર્મિકની નિષ્કપટ ભક્તિ વડે પૂજા કરે. [૩૧]પ્રધાન જિનેન્દ્ર પ્રસાદ, જિનબિંબ, અને ઉત્તમ પ્રતિષ્ઠાને વિષે તથા પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, સુતીર્થમાં અને તીર્થંકરની પૂજાને વિશે શ્રાવક પોતાના દ્રવ્યને વાપરે. [૩૨-૩૩]જો તે શ્રાવક સર્વ વિરતિ સંયમને વિષે પ્રીતિવાળો, વિરુદ્ધ મન (વચન) અને કાયાવાલો, સ્વજન કુટુંબના અનુરાગ રહિત, વિષય ઉપર ખેદવાળો અને વૈરાગ્યવાળો. તે શ્રાવક સંથારા રૂપ દીક્ષાને અંગીકાર કરે અને નિયમ વડે દોષ રહિત સર્વવિરિતિ રૂપ પાંચ મહાવ્રતે પ્રધાન સામાયિક ચારિત્રને અંગીકાર કરે. [૩૪-૩૫]હવે તે સામાયિક ચારિત્ર ધારણ કરનારો અને મહાવ્રતને અંગીકાર કરનારો જે સાધુ તથા છેલ્લું પચ્ચખાણ કરું એવા નિશ્ચયવાળો દેશ વિરતિ શ્રાવક. મોટા ગુણો વડે મહાન ગુરૂના ચરણ કમલમાં મસ્તક વડે નમસ્કાર કરીને કહે છે કે હે ભગવન્! તમારી અનુમતિથી ભક્ત પરિજ્ઞા અણશણ હું અંગીકાર કરું છું ૩િ૬-૩૯]આરાધના વડે તેને (અણસણ લેનારને) અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્ત વડે જાણીને, આચાર્ય અણસણ લેવરાવે, નહિ તો નિમિત્ત જોયા વિના લેવાય તો) દોષ લાગે. ત્યાર પછી તે ગુરૂ ઉત્કૃષ્ટ સર્વ દ્રવ્યો પોતાના શિષ્યને દેખાડીને ત્રણ પ્રકારના આહારનાં જાવજૂજીવ સુધી પચ્ચકખાણ કરાવે. તે (ઉત્કૃષ્ટાં દ્રવ્યોને) જોઈને ભવ સમુદ્રના કાંઠે પહોંચેલા મારે આના વડે શું કામ છે એમ કોઈ જીવ ચિંતવે, કોઈ જીવ દ્રવ્યની ઈચ્છા હોય તે ભોગવીને સંવેગ પામ્યો છતાં એ પ્રમાણે ચિંવે. શું મેં ભોગવીને છાંડયું નથી, જે પવિત્ર પદાર્થ હોય તે પરિણામે અશુચિ છે એમ જ્ઞાનમાં તત્પર થઈને શુભ ધ્યાન કરે, જે વિષાદ પામે તેને આવી ચોયણા (પ્રેરણા) આપવી [૪૦]ઉદરમલની શુદ્ધિને અર્થે સમાધિપાન (સાકર વિગેરેનું પાણી) એને સારું હોય તો તે મધુર પાણી પણ તેને પાવું અને થોડું થોડું વિરેચન કરાવવું. [૪૧-૪૨]એલચી, તજ, નાગકેસર અને તમાલપત્ર સાકરવાળું દૂધ કઢીને કઠું કરી પાઈએ તે સમાધિ પાણી કહીએ. (એ પીવાથી તાપ ઉપશમે) ત્યાર પછીઃફોફલાદિક દ્રવ્ય કરીને મધુર ઔષધનું વિરેચન કરાવવું જોઈએ. કેમ કે એ રીતે ઉદરનો અગ્નિ હોલવાવાથી આ (અણશણનો કરનારો) સુખે સમાધિ પામે છે. ૪િ૩અનશન કરનાર તપસ્વી જાવજીવ સુધી ત્રણ પ્રકારના આહાર (અશન, ખાદિમ, અને સ્વાદિમ) ને અહીં વોસિરાવે છે, એમ નિયમિણા કરાવનાર આચાર્ય સંઘને નિવેદન કરે. [૪૪]તે (તપસ્વી) ને આરાધના સબંધિ સર્વ વાત નિરૂપસર્ગ પણે પ્રવર્તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy