SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨ ૩૩ [૧૨]ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અમૃત (અતીચાર) ના કરનારા એવા નિરવદ્ય વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગરહિત મરણ યોગ્ય છે. [૧૩]ઉપશમ સુખને વિષે અભિલાષવાળો, શોક અને હાસ્ય રહિત, પોતાના જીવિતને વિષે આશા રહિત, વિષય સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિષે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલો છે એવો (ભક્ત પરિજ્ઞા મરણને યોગ્ય છે.) [૧૪] જેણે મરણની અવસ્થા નિચે કરી છે જેણે સંસારનું વ્યાધિગ્રસ્ત અને નિર્ગુણપણું જાણ્યું છે, એવો ભવ્ય યતિ અથવા ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને યોગ્ય જાણવો. [૧૨]વ્યાધિ જરા અને મરણરૂપી મગરોવાળો, નિરંતર જન્મરૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનારો સંસારરૂપી સમુદ્ર ઘણો દુરંત છે, એ ખેદની વાત છે. [૧૬]પશ્ચાતાપથી પીડાએલો, જેને ધર્મ પ્રિય છે, દોષને નિંદવાને તૃષ્ણાવાળો, તથા દોષ અને દુશીલપણા વડે પણ સહિત એવા પાસત્કાદિક પણ અનસનને યોગ્ય છે. [૧૭-૧૮]આ અનશન કરીને હર્ષ સહિત વિનય વડે ગુરૂના ચરણકમળ આગળ આવી હસ્તકમલ મુકુટ પેઠે કપાળે લગાડી ગુરૂ વાંદીને આ પ્રમાણે કહે. હે સપુરૂષ ! ભક્ત પરિજ્ઞારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયમિક ગુરૂ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને હું ઈચ્છું છું. [૧૯-૨૨]દયારૂપ અમૃત રસથી સુંદર તે ગુરૂ પણ તેને કહે છે કે-(હે વત્સ !) આલોચણ લઈ, વ્રત ઉચરી, સર્વને ખમાવવાપૂર્વક, ભક્ત પરિજ્ઞા અણશણને અંગીકાર કર. ઈચ્છે ! એમ કહીને ભક્તિ અને બહુમાન વડે શુદ્ધ સંકલ્પવાલો, ગયેલા અનર્થવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંદીને. પોતાના શલ્યને ઉદ્ધરવાને ઈચ્છતો, સંવેગ (મોક્ષનો અભિલાષ) અને ઉદ્વેગ (સંસાર છોડવાની ઈચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાળો શુદ્ધિને માટે જે કંઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. હવે તે આલોયણના દોષે કરીને રહિત, બાળકની જેમ બચપણના વખતથી જેવું આચરણ કર્યું હોય તેવું સમ્યક પ્રકારે આલોચન કરે. ૨૩-૨૪]આચાર્યના સમગ્ર ગુણે સહિત આચાર્ય પ્રાયશ્ચિત આપે ત્યારે, સમ્યક પ્રકારે તે પ્રાયશ્ચિતતપ આદરીને નિર્મલભાવવાળો તે શિષ્ય ફરીને કહે. દારૂણ દુઃખરૂપ જલચર જીવોના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિર્વિઘ્ન વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મૂકો. (સ્થાપો) [૨પીજેણે કોપને ખંડ્યો છે તેવો અખંડ મહાવ્રતવાલો તે યતિ છે, તો પણ પ્રવ્રજ્યા વતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. [૨]સ્વામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરો વિધિ વડે બનાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યંત ચારિત્ર પાળીને તે પણ ગુરૂને એ પ્રમાણે જણાવે છે. [૨૭]જેણે અતિચાર સહિત વ્રત પાળ્યું તથા આકુદી (કપટ) દડે વ્રત ખંડયું એવા પણ સમ્યક ઉપસ્થિત થએલા તેને શિષ્યને) ઉપસ્થાપના કરી છે. [3] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy