SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૪. આગમમાં કુશળ, કહેલા ગુપ્ત રહસ્યોને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલોયણ લેવી જોઈએ.) [૩૫) હે ભગવન્! રાગે કરી, દ્વેષે કરી, અકતજ્ઞપણાએ કરી અને પ્રમાદે કરી (બીજાને) મે જે કંઈ તમારૂં અહિત કહ્યું હોય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. [૩૬] મરણ ત્રણ પ્રકારનું કહે છે બાલ મરણ, બાલ- પંડિત મરણ અને પંડિત મરણ જેણે કરી કેવળીઓ મરણ પામે છે. છે. [૩૭] વળી જેઓ આઠ મદવાળા, નાશ પામેલી બુદ્ધિવાળાં અને વક્રપણાને (માયાને) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેઓ નિશ્રે આરાધક કહેલા નથી. [૩૮]મરણ વિરાધે છતે (અસમાધિ મરણ વડે) દેવતામાં દુર્ગતિ થાય છે. સમ્યકત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સંસાર થાય છે. [૩૯-૪૬]દેવની દુર્ગતિ કરી ? અબોધિ શું ? શા હેતુએ (વારંવાર) મરણ થાય? કયા કારણે સંસારમાં જીવ અનંતકાળ સુધી ભમે ? મરણ વિરાધે છતે કંદપ (મશ્કરા) દેવ, કિલ્બિષિક દેવ, ચાકરદેવ, અસુરદેવ અને સંમોહા (સ્થાન ભ્રષ્ટ રખડુ ) દેવ એ પાંચ દુર્ગતિઓ થાય છે. આ સંસારમાં મિથ્યા દર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ લેશ્યાવાળા જે જીવો મરણ પામે તેઓને બોધિ બીજ દુર્લભ થાય છે. આ સંસારમાં સમ્યક દર્શનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ લેશ્યાવાળા જ જીવો મરણ પામે છે તે જીવોને બોધિ બીજ (સમક્તિ) સુલભ થાય છે. જેઓ વળી ગુરૂના શત્રુભૂત ઘણા મોહવાળા, દૂષણ સહિત, કુશીલ હોય છે અને અસમાધિએ મરણ પામે છે તેઓ અનંત સંસારી થાય છે. જિનવચનમાં રાગવાળા, જેઓ ગુરૂનું વચન ભાવે કરીને કરે છે, દૂષણ રહિત અને સંકુલેશરહિત હોય છે તેઓ થોડા સંસારવાળા થાય છે. જેઓ જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્માઓ) બાળ મરણો અને ઘણી વાર ઈચ્છા રહિતપણે મરણ પામશે. શસ્ત્રગ્રહણ (શસ્ત્રથી આપઘાત કરવો) વિષભક્ષણ, બળીમરવું, પાણીમાં બૂડીમરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. ૪િ૭] ઉર્ધ્વ, અઘો, તિથ્ય (લોક) માં જીવે બાળમરણો કયાં. પણ હવે દર્શન, જ્ઞાને સહિત એવો હું પંડિત મરણે મરીશ. [૪૮] ઉદ્વેગ કરનારાં જન્મ મરણ અને નરકને વિષે ભોગવેલી વેદનાઓ, એઓને સંભારતો હમણાં તું પંડિત મરણે મર. [૪૯]જો દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જોવી (સંસારમાં ભોગવેલાં વિશેષ દુઃખોને યાદ કરવાં.) સંસારમાં ભમતો હું શું શું દુઃખ નથી પામ્યો (એમ વિચારવું.) [૫૦]વળી મેં સંસાર ચક્રમાં સર્વે પણ પુદ્ગલો ઘણી વખત ખાધા, તેમજ પરિણમાવ્યા, તો પણ હું તૃપ્તિ પામ્યો નહિ. [૫૧]તરણાં અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, તેમ કામ ભોગો વડે આ જીવ તૃપ્તિ પામતો નથી. [પર]આહારના કારણે કરી (તંદુલીયા) મત્સ્યો સાતમી નરકભૂમિમાં જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy