SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આઉરપચ્ચકખાણ [૧૭] આ પચ્ચકખાણ અને વિસ્તારવાળી આરાધના મને થાઓ. [૧૭]સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહંતોને નમસ્કાર થાઓ, જિનેશ્વરોએ કહેલું તત્ત્વ હું સદહું છું, પાપકર્મને પચ્ચકખું છું. [૧૮]જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સિદ્ધોને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યો છે તેવો સંથારો હું અંગીકાર કરું છું. [૧૯]જે કાંઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મન, વચન, કાયાએ કરી હું વોસિરાવું છું. વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપ) ત્રણ પ્રકારનું સામાયિકે હું કરું છું. [૨૦] બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભોજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું વોસિરાવું છું. [૨૧]આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અખિલ (અસત્ય) વચનને, સર્વ અદત્તાદાન ચોરી ને, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચકખું છું. [૨૨]મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે. કોઈની સાથે મારે વેર નથી, વાંચ્છનાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. [૨૩]રાગને, બંધને તથા દ્રષને, હર્ષને, રાંકપણાને, ચપળપણાને, ભયને, શોકને, રતિને અને અરતિને હું વોસિરાવું છું. [૨૪]મમતા રહિતપણામાં તત્પર થયેલો હું મમતાનો ત્યાગ કરું છું. વળી, મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને વાસિરાવું છું. [૨૫]મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા ચારિત્રમાં આત્મા, પચ્ચકખાણમાં, આત્મા અને સંજમ જોગમાં પણ આત્મા (આલંબન) થાઓ. [ ૨જીવ એકલો જાય છે, નક્કી એકલો ઉપજે છે, એકલાને જ મરણ પણ, થાય છે, અને કર્મરહિત થયો છતાં એકલો જ સિદ્ધ થાય છે. [૨૭]જ્ઞાન. દર્શન સહિત મારો આત્મા એક શાશ્વતો છે, બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. [૨૮]જેનું મૂળ સંબંધ છે એવી દુઃખની પરંપરા આ જીવે મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન અને કાયાએ કરી વોસિરાવું છું. [૨૯]પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણો અને ઉત્તર ગુણો મેં આરાધ્યા નહિ તે સર્વને હું નિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિક્કામું છું. ૩િ૦-૩૧]સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના, રાગ, દ્વેષને અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું છું અને ગહું છું. [૩૨]નિંદવા યોગ્યને હું નિંદું છું અને જે મને ગહેવા યોગ્ય છે તે (પાપોને) ગણું છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને વોસિરાવું છું. [૩૩]જેમ વડિલ આગળ બોલતો કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આલોવે. [૩૪]જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy