SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૮૬ અમ્રુત કલ્પે ૨૨ સાગરોપમ આયુ સ્થિતિ જાણવી. આ રીતે કલ્પપતિના કલ્પમાં આવું સ્થિતિ કહી હવે અનુત્તર અને રૈવેયક વિમાનોના વિભાગ ને સાંભળો અધો-મધ્યમ-ઉર્ધ્વ એ ત્રણ રૈવેયક છે અને પ્રત્યેકના ત્રણ પ્રકારે છે. એ રીતે રૈવેયક નવ છે. સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, વત્સ, સુવત્સ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. નીચે વાળા ગ્રેવેયક માં ૧૧૧, મધ્યમ રૈવેયકમાં ૧૦૦, ઉપરના રૈવેયકમાં ૧૦૦ અને અનુત્તરોપપાતિક માં પાંચ વિમાન કહયા છે હે નમિતાંગિ ! સૌથી નીચે વાળા રૈવેયક દેવો નું આયુ ૨૩-સાગરોપમ બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ ૧-૧ સાગરોપમ આયુ સ્થિતિ વધતી જાય છે. વિજય-વૈજયંત-જયંતઅપરાજિત એ ચાર ક્રમશઃ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર માં સ્થિત છે મધ્યમાં સવથિસિદ્ધ નામે પાંચમું વિમાન છે. આ બધાં વિમાનોની સ્થિતિ ૩૩ સાગરોપમાં કહી છે. સવથિસિદ્ધ માં અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગરોપમ કહી છે. [૧૮૭-૧૮૮] નીચે ઉપરના બે-બે કલ્પયુગલ અર્થાત્ આ આઠ વિમાન અર્ધ ચંદ્રાકાર છે અને મધ્યના ચાર કલ્પ પૂર્ણ ચંદ્રાકાર છે. રૈવેયક દેવાના વિમાન ત્રણ ત્રણ પંક્તિમાં છે. અનુત્તર વિમાન હુલ્લક- પુષ્પ ના આકારવાળા હોય છે. [૧૮૯-૧૯o] સૌધર્મ અને ઈશાન એ બે કલ્પો માં દેવવિમાન ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મ એ ત્રણ કલ્પોમાં વાયુ ઉપર પ્રતિષ્ઠિત છે અને લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ ઘનોદધિ, ઘનવાત બંનેના આધાર પર પ્રતિષ્ઠિત છે. તેનાથી ઉપરના બધાં વિમાનો આકાઅંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉદ્ગલોકના વિમાનની આધાર વિધિ કહી. [૧૯૧-૧૯૩ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ-નીલ-કાપોત અને તેને લેશ્યા હોય છે. જ્યોતિષ્ઠ, સૌધર્મ અને ઈશાન દેવોમાં તેજલેશ્યા હોય છે. સાનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પદ્મવેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુકલતેશ્યા હોય છે. સૌધર્મ અને ઈશાન બે કલ્પો વાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સનત્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકના દેવોનો વર્ણ પદ્ય જેવો શ્વેત અને તેની ઉપરના દેવોનો વર્ણ શુકલ હોય છે. [૧૯૪-૧૯૮] ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની ઊંચાઈ સાત હાથ પ્રમાણ હોય છે. હે સુંદરી ! હવે ઉપરના કલ્પપતિ દેવોની ઊંચાઈ ને સાંભળ. સૌધર્મ અને ઈશાનની સાત હાથ પ્રમાણ, તેની ઉપર બળે કલ્પ સમાન હોય છે અને એક-એક હાથ પ્રમાણ માપ ઘટતું જાય છે. રૈવેયકોની બે હાથ પ્રમાણ અને અનુત્તર વિમાનવાસીની ઊંચાઈ એક હાથ પ્રમાણ હોય છે. એક કલ્પ થી બીજા કલ્પના દેવોની સ્થિતિ એક સાગરોપમ થી અધિક હોય છે અને તેની ઊંચાઈ તેનાથી ૧૧ ભાગ ઓછી હોય છે. વિમાનોની ઊંચાઈ અને તેની પૃથ્વીની જાડાઈ તે બંનેનું પ્રમાણ ૩૨૦૦ યોજન હોય છે. [૧૯૯-૨૦૨] ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની કામક્રીડા શારીરિક હોય છે. હે સુંદરી હવે તું કલ્પપતિઓની કામકૂડા વિધિ સાંભળ. સૌધર્મ અને ઈશાન કલ્પો માં જે દેવ છે તેની કામક્રીડા શારીરિક હોય છે. સાનકુમાર અને માહેન્દ્ર ની સ્પર્શ દ્વારા હોય છે. બ્રહ્મ અને લાંતક ના દેવોની ચક્ષુ દ્વારા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy