SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ દેવિંદથઓ– [૧૫૧] સૂર્ય થાય એ રીતે આગળ-આગળ ગણતા જવું) " [૧પ૨]જો તું દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા ની સંખ્યા જાણવા ઈચ્છતી હો તો એક ચંદ્ર પરિવારની સંખ્યાથી ગુણા કરવાથી તે દ્વીપ-સમુદ્રના નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણી શકાશે. [૧૫૩-૧૫]માનુષોત્તર પર્વત ની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત છે ત્યાં ચંદ્રમાં અભિજિત નક્ષત્રના યોગ વાળો અને સૂર્ય પુષ્ય નક્ષત્રના યોગ વાળો હોય છે. સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્યનું અંતર ૫૦ હજાર યોજનથી ઓછું હોતું નથી. ચંદ્ર નું ચંદ્ર થી અને સૂર્યનું સૂર્યથી અંતર ૧- લાખ યોજન હોય છે. ચંદ્રમાથી સૂર્ય અંતરિત છે અને પ્રદીપ્ત સૂર્યથી ચંદ્રમાં અંતરીત છે. તે અનેક વર્ણના કિરણો વાળા હોય છે. [૧૫૭-૧૫૮]એક ચંદ્રપરિવારના ૮૮ ગ્રહ અને ૨૮ નક્ષત્ર હોય છે. ૬૬૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે. [૧૫૯-૧૬૧]સૂર્ય-દેવોની આયુસ્થિતિ ૧ હજાર વર્ષ પલ્યોપમ અને ચંદ્ર દેવોની આયુ સ્થિતિ ૧ લાખ વર્ષ પલ્યોપમથી અધિક કહી છે. ગ્રહોની ૧-પલ્યોપમ, નક્ષત્રોની અડધો પલ્યોપમ અને તારાની (૧/૪) પા પલ્યોપમ કહી છે. જ્યોતિષ્ક દેવોની જઘન્યસ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિસાધિક એક લાખ પલ્યોપમ વર્ષ કહી છે. [૧૨]મેં ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કહી છે. હવે મહાગુ ઋદ્ધિવાળા ૧૨ કલ્પપતિ ઈન્દ્રોનું વિવરણ કરીશ. F૧૬૩-૧૬૮] પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, ત્રીજા સનત્કુમાર, ચોથા માહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ છઠ્ઠા લાંતક, સાતમા મહાશુક્ર, આઠમાં સહસ્ત્રાર, નવમાં આણત, દશમાં પ્રાણત અગિયારમાં આરણ અને બારમાં અય્યત ઈન્દ્ર હોય છે. આ પ્રકારે આ બાર કલ્પપતિ ઈન્દ્ર કલ્પોના સ્વામી કહેવાયા એમના સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી, આ કલ્પવાસીની ઉપર જે દેવગણ છે તે સ્વશાસિત ભાવના થી ઉત્પન્ન થાય છે. કેમકે રૈવેયક માં અન્ય રૂપ અથતું દાસ ભાવ કે સ્વામી ભાવથી ઉત્પત્તિ સંભવ નથી. જે સમ્યક્દર્શન થી પતિત પણ શ્રમણ-વેશ ધારણ કરે છે તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે રૈવેયક સુધી થાય છે. [૧૬૯-૧૭૩]અહીં સૌધર્મ કલ્પપતિ શક્ર મહાનુભવના ૩૨ લાખ વિમાનોનું કથન છે. ઈશાનેન્દ્ર ના ૨૮ લાખ, સનકુમાર ના ૧૨- લાખ, મહેન્દ્ર માં ૮- લાખ, , બ્રહ્મલોક માં ૪- લાખ, લાંતક માં પ૦ હજાર, મહાશુક માં ૪૦ હજાર, સહસ્ત્રારમાં છ હજાર, આણત- પ્રાણતમાં ૪૦૦, આરણ અય્યત માં ૩૦૦ વિમાનો કહ્યા છે અર્થાત્ આટલી સંખ્યાના વિમાનોનું અધિપતિ પણું તે-તે ઈન્દો ભોગવે છે. [૧૭૪-૧૮]આ પ્રકારે હે સુંદરી ! જે કલ્પ માં જેટલા વિમાન કહેવાયા તે કલ્પપતિની સ્થિતિ વિશેષ ને સાંભળ શક મહાનુભાગની બે સાગરોપમ, ઈશાનેન્દ્રની આધિક બે સાગરોપમ, સનકુમારેન્દ્ર ની સાત સાગરોપમ, માહેન્દ્ર ની સાધિક સાત સાગરોપમ, બ્રહ્મલોકેન્દ્રની દશ સાગરોપમ, લાંત કેન્દ્ર ની ૧૪ સાગરોપમ, મહાશુકેન્દ્રની ૧૭- સાગરોપમ, સહસ્ત્રારેન્દ્રની ૧૮ સાગરોપમ, આનત કલ્પ ૧૯ અને પ્રાણત કલ્પ ૨૦ સાગરોપમ, આરણ કલ્પ ૨૧ સાગરોપમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy