SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સુરપનતિ- ૧૯/૧૨૯-૧૯૩ અસ્તિત્વના સંબંધમાં આ પ્રતિપત્તિયો છે. કોઈ એક કહે છે કે ચંદ્ર રોકજ છે, અને તે સર્વજગતને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તથા એકજ સૂર્ય સર્વલોકને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે એ એક બીજો કહે છે. ત્રણ ચંદ્ર અને ત્રણ સૂર્ય સઘળા જગતને અવભાસિત કરે છે ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે. કોઈ એક ત્રીજો કહે છેકે-સાડા ત્રણ ચંદ્ર સમસ્ત લોકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે, સાડાત્રણ સૂર્ય સંપૂર્ણ જગતને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. આ પ્રમાણેના અભિલાપ પ્રકારથી. કહેવું. હું આ વિષયમાં આ વક્ષ્યમાણ પ્રકારથી મારા મતનું પ્રતિપાદન કરું છું. બે સૂર્યોએ તાપિત કરેલ છે. કરે છે અને તાપિત કરશે. છપ્પન નક્ષત્રોએ યોગ કર્યો હતો કરે છે અને કરશે. એકસોછોંતેર ગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે, અને ચાર કરશે, એક લાખ તેત્રીસહજાર નવસોપચાસ તારાગણ શોભા કરતા હતા, શોભા કરે છે, કરશે. બે ચંદ્રો અને બે સૂર્યો તથા છપ્પન નક્ષત્રો હોય છે તથા ગ્રહો એકસોબોંતેર જંબૂદ્વીપમાં વિચરે છે, તથા કોટિકોટિ તારાગણ એક લાખ તેત્રીસહજાર નવસોપચાસ હોય છે, જબૂદ્વીપમાં લવણનામનો સમુદ્ર વૃત્ત વલયાકાર બધી દિશાઓ અને વિદિશાઓને વીંટળાઈને રહે છે, લવણસમુદ્ર સમચક્રવાલથી સંસ્થિત ચક્રવાલના આકારના જેવા સંસ્થાનવાળો છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભથી કેટલા પરિમાણ વાળો કહેલ છે? તેની પરિધિ કેટલી હોય છે? બે લાખ યોજન ચક્રવાલવિખંભથી છે, ૧૫૮૧૧૩થી કંઈક વિશેષ ન્યૂન પરિધિવાળો કહેલ છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થતા હતા, થાય છે અને પ્રભાસિત થશે ચાર સૂય તાપિત કરતા હતા, તાપિત કરે છે અને કરશે એકસો બારસો નક્ષત્રો યોગ કરતા હતા, યોગ કરે છે, અને યોગ કરશે ત્રણસોબાવન મહાગ્રહ ચાર કરતા હતા ચાર કરે છે, અને ચાર કરશે. ૨૬૮૯૦૦ તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. હવે લવણ સમુદ્રના પરિક્ષેપાદિનું ત્રણ ગાથા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.-(પૂર્વોક્ત કથનનેજ સંગ્રહીત કરવાવાળી આ ગાથાઓ છે. તેમાં વિશેષ કંઇજ કહેલ નથી.) લવણ સમુદ્રમાં ધાતકી, ખંડ નામનો દ્વીપ વલયાકારથી આવેલ છે. તથા તે સમચક્રવાલ સંસ્થિત છે. ધાતકી ખંડ દ્વીપનો ચક્રવાલ વિખંભ કેટલો છે? અને તેની પરિધી કેટલા પ્રમાણની છે? ચારલાખ યોજન ચક્રવાલ વિખંભથી છે. તથા ૪૧૧૦૯૬૧ ધાતકી, ખંડની પરિધિ હોય છે. ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રભાસિત થતા હતા. થાય છે અને થશે. ત્રણસો છત્રીસ નક્ષત્રો ધાતકી ખંડ દ્વીપમાં યોગ કરતા હતા, કરે છે, અને યોગ કરશે. ૧૦પ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે. અને ચાર કરશે.૮૩૦૭૦૦ તારા ગણ કોટિ કોટિ શોભા કરતા હતા શોભા કરે છે અને શોભા કરશે. હવે આ વિષયને ત્રણ ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે. (આ સઘળું કથન પહેલા કહેવાઈ ગયેલ છે.) ધાતકીખંડ દ્વીપમાં ફરતા કાલોદધિ નામનો સમુદ્ર વૃત્તવલયાકાર સંસ્થાનથી સંચિત યાવતુ સમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત હોય છે. કાલોદધિ સમુદ્ર આઠલાખ યોજનના ચક્રવાલ વિધ્વંભવાલો પ્રજ્ઞપ્ત કરેલ છે. તથા ૯૧૭૦૬૦૫ યોજનથી કંઈક વધારે પરિધિવાળો કહેલ છે. કાલોદધિ સમુદ્રમાં બેંતાલીસ ચંદ્રોએ પ્રકાશ કર્યો હતો, કરે છે અને કરશે. બેંતાલીસ સૂર્યો ત્યાં આતાપિત થયા હતા થાય છે અને થશે. અગ્યાર Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy