SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૯ સોછોંતેર નક્ષત્રોએ કાલોદધિ સમુદ્રમાં યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. ત્રણહજાર છસો છ— મહા ગ્રહોએ સંચરણ કર્યું હતું. કરે છે, અને સંચરણ કરશે. ૨૮૧૨૯૫૦ કોટિ કોટિ તારા ગણોએ શોભા કરી હતી શોભા કરે છે અને શોભા કરશે, હવે આનેજ ચાર ગાથાઓ દ્વારા કહે છે. (આ ગાથાઓ મૂળના કથન પ્રમાણેજ છે.) કાલોદધિ સમુદ્ર ફરતો પુષ્કરવર નામનોદ્વીપ વૃત્ત વલયાકાર સંસ્થાનથી યુક્ત થઈને ચારે તરફ વીંટળાઇને રહે છે. પુષ્કરવરદ્વીપ શું સમચક્રવાલ સંસ્થાન વાળો છે ? પુષ્કરવરદ્વીપ સમચક્રવાલ સંસ્થિત હોય છે. સોળહજાર યોજન ચક્રવાલ વિધ્વંભથી કહેલ છે. તથા તેની પરિધિ એક કરોડ બાણુલાખ ઓગણપચાસહજાર યોજન છે. પુષ્કરવરદ્વીપમાં ચુંમાલીસસો ચંદ્રો પ્રભાસિત થયા હતા, થાય છે, અને પ્રભાસિત થશે? ચુંમાલીસસો સૂર્યો તાપિત થયા હતા તાપિત થાય છે. અને તાપિત થશે. ચારહજાર બત્રીસ નક્ષત્રોએ યોગ કર્યો હતો યોગ કરે છે, અને યોગ કરશે. બારહજાર છસોબોંતેર મહાગ્રહોએ ચાર કર્યો હતો ચાર કરે છે અને ચાર કરશે. ૯૬૪૪૪૦૦ તારાગણ કોટિકોટીએ શોભા કરી હતી, શોભા કરે છે અને શોભા કરશે. હવે આ બધાની ચાર સંગ્રહ ગાથા કહે છે. (આનો અર્થ મૂળના કથન અનુસાર કહેલ છે.) - પુષ્કરવરદ્વીપનો બહુ મધ્ય દેશભાગમાં માનુષોત્તર નામનો પર્વત વલયાર સંસ્થાનથી રહેલ છે. તેથી આ પુષ્કરવરદ્વીપ બે ભાગમાં વહેંચાઈને રહેલ છે. અત્યંતર અને બાહ્ય આ રીતના બે ભાગથી વહેંચાયેલ છે. તેથી અત્યંતર પુષ્કરાઈ અને બાહ્ય પુષ્કરાઈ આ પ્રમાણે કહેવામાં આવે છે. પુષ્કરાઈ દ્વીપ સમચક્રવાલથી સંસ્થિત છે. વિષમ ચકવાલથી સંસ્થિત નથી. અત્યંતર પુષ્કરાઈ ચક્રવાલ વિધ્વંભથી ૧૪૨૩૦ ૨૪૯ પ્રમાણની પુષ્કરવર દ્વીપની પરિધી કહી છે અભ્યત્તર પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર ચંદ્રો પ્રભાસિત થતા હતા પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. તથા બોંતેર સૂર્ય તપતા હતા તપે છે તપશે. બેહાર સોળ નક્ષત્રોએ યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. ૬૩૩૬ મહાગ્રહોએ ચાર કર્યો હતો ચાર કરે છે અને ચાર કરશે. ૪૮૨૨૦૦ તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા શોભા કરે છે અને શોભા કરશે. હવે મનુષ્ય ક્ષેત્રના વિષયમાં કથન કથન કરવામાં આવે છે. મનુષ્યક્ષેત્ર પિસ્તાલીસલાખ યોજન આયામ વિખંભથી એક કરોડ યોજન બેંતાલીસલાખ આટલા પ્રમાણની પરિધીવાળું કહેલ છે. એક લાખ જેબૂદ્વીપનું તે પછી લવણસમુદ્રનું પૂર્વનું એલાખ અને પશ્ચિમનું બેલાખ આ રીતે ચાર લાખ ધાતકીખંડની બન્ને તરફના ચાર ચાર લાખ આ રીતે આઠ લાખ તથા કાલોદધિ સમુદ્રના પૂર્વપશ્ચિમ બન્ને બાજુના મેળવાથી સોળલાખ તથા અભ્ય તર પુષ્કરાઈ પૂર્વ પશ્ચિમના આઠ આઠલાખ વિષ્ફભ માનુષક્ષેત્રનો થાય છે. મનુષ્ય ક્ષેત્રમાં પૂર્વપ્રતિપાદિત ક્રમ પ્રમાણે એકસોબત્રીસ ચંદ્ર પ્રભાસિત થતા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે એકસોબત્રીસ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે ? ત્રણ હજાર છસોનુ નક્ષત્રો યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે.- અગીયાર હજાર છસોસોળ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે. અઠ્યાવીશ લાખ ચાલીસહજારને સાતસો તારાગણ કોટિ કોટિ શોભા કરા હતા, શોભા કરે છે, અને શોભા કરશે ? અહીં સૂત્રમાં કહેલા તમામ વિષયોને ગાથાઓ દ્વારા આચાર્ય કહે છે. આઠ લાખ યોજન આત્યંતર પુષ્કરાઈનો વિખંભ- છે. મનુષ્ય ક્ષેત્રનો વિષંભ પિસ્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy