SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ પાહુડ-૧૮ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપિલ્યોપમકાળ પરિમાણ યાવતું ત્યાં તે તે વિમાનોમાં સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યપણાથી એક પલ્યો પમ કાળના ચોથા ભાગ પ્રમાણ કાળની યાવત્ સ્થિતિ હોય છે. તથા ઉત્કરથી એટલે કે સવધિકપણાથી એક પલ્યોપમ કાળની અર્થાતું એક લાખ વર્ષથી કંઈક વધારે સમય ચંદ્રવિમાનમાં ચંદ્રવિમાનાધિષ્ઠાતા દેવોની અને તેમના સામાનિક અંગરક્ષકો વિગેરે ની સ્થિતિ હોય છે. ચંદ્રવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહી છે ? જઘન્યથી, પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટથી અપલ્યોપમથી જેટલા કાળથી કંઇક અધિક કાળ પર્યન્તની સ્થિતિ કહી છે. સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કળની કહી છે ? જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને સવકિપણાથી એક પલ્યોપમ અથતુ એક હજાર વર્ષથી કંઈક વધારે સ્થિતિ હોય છે. સૂર્ય વિમાનમાં દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? સુર્ય વિમાનની અધિષ્ઠાત્રીદેવિયોની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ તથા પાંચસો વર્ષથી કંઈક વધારે. કાળની હોય છે. ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યો પમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. ગ્રહવિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ કાળની સ્થિતિ હોય છે.નક્ષત્ર વિમાનમાં દેવોની કેટલાકાળની સ્થિતિ કહી છે? જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધપિલ્યો પમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે.નક્ષત્રવિમાનમાં તેઓની અધિષ્ઠાત્રી દેવીયોની સ્થિતિ કેટલા કાળની કહી છે? જઘન્યથી એક પલ્યોપમના આઠમા ભાગ જેટલા કાળની સ્થિતિ હોય છે. અને ઉત્કર્ષથી એક પલ્યોપમના ચોથા ભાગ જેટલા કાળની યાવતુ નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ હોય છે. તારા વિમાનમાં તેના અધિષ્ઠાતા દેવોની સ્થિતિ કેટલાકાળની પ્રજ્ઞપ્ત કરેલ છે ? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ચોથા ભાગ પર્યન્ત જેટલા કાળની ત્યાં સ્થિતિ રહે છે. તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કેટલા કાળ ની કહી છે? જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટથી કિંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ જેટલી તારા વિમાનમાં દેવિયોની સ્થિતિ કહેવામાં આવી છે. ચંદ્ર અને સૂર્ય પરસ્પર તુલ્ય હોય છે. અર્થાતુ આકાર, પ્રકાર, પરિ માણ, તેજ, પ્રકાશ, પ્રભાવ પ્રમાણાધિકારાદિમાં સરખા હોય છે. તથા સૌથી ઓછા પ્રહ, નક્ષત્ર, તારારૂપથી અલ્પ પરિમાણવાળા કહેલા છે. આ પ્રમાણે સ્વશિષ્યોને પ્રતિ પાદન કરીને કહેવું. ચંદ્રસૂર્ય એ બન્ને બધા વિષયો માં સમાન હોય છે. તેમની અપેક્ષાએ નક્ષત્ર સંખેગણા કહ્યા છે. સંખ્યાતીતગણા હોતા નથી. | પાહુડ-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૧૯) [૧૨૯-૧૯૩] આ લોકમાં સૂર્યો કેટલા કહ્યા છે? હે ભગવાન કેટલા અને કેટલા પ્રમાણવાળા ચંદ્ર-સૂર્ય બધા લોકમાં અવભાસિત થાય છે? સર્વલોક સંબંધી ચંદ્ર સૂર્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy