SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સૂરપન્નત્તિ- ૩/- ૩૪ છે. ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે આ બને સૂય સર્વબાહ્યમંડળમાં ઉપક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબૂદીપ નામના દ્વીપના બે ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. અર્થાત્ એક સૂર્ય એક પંચમ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. તથા બીજો સૂર્ય બીજા એક પંચમાંશ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ઠા અઢાર મુહૂતપ્રમાણવાળી રાત્રી હોય છે. અને જઘન્ય બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. | પાહુડ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પાહુડ-૪) ૩પ જોતની સંસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે ? તે આપ કહો. એ જેતતાના વિષયમાં બે પ્રકારની સંસ્થિતિ કહી છે. જે આ પ્રમાણે છે- ચંદ્ર સૂર્યની સંસ્થિતિ અને તાપક્ષેત્રની સંસ્થિતિ ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કેવા પ્રકારથી થાય છે? ભગવાનું કહે છે કે- હે ગૌતમ ! ચંદ્ર સૂર્ય અને તેમના વિમાનોની સંસ્થિતિના સંબંધમાં વિચાર કરતાં આ વક્ષ્યમાણ પ્રકારની સોળ સંખ્યક અન્ય મત રૂપ પ્રતિપત્તિયો છે. કોઈ એક પ્રથમ મતવાદી છે કે સમતુરસ્ત્ર સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. બીજો કોઈ એક કહે છે કે વિષમ ચતુરસ્ત્ર સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ ત્રીજો કહે છે કે સમતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક ચોથો મતવાદી વિષમ ચતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. કોઈ એક પાંચમો મતાવલમ્બી કહે છે કે-સમચક્રવાલ સંસ્થિત ચન્દ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, છઠ્ઠો મતવાદી કહે છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. સાતમો તીર્થોત્તરીય કહે છે કે-ચક્ર એટલે રથાંગ-રથનું પૈડું તેનો જે અર્ધો ભાગ ચક્રવાલના આકારનો તેના જેવું સંસ્થાન જેવું હોય તેવા પ્રકારની સંસ્થિતિવાળા ચંદ્ર સૂર્ય હોય છે, આઠમો મતવાદી કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ છત્રાકારે રૂપે હોય છે. નવમો કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ ગેહાકારથી સંસ્થિત એટલે કે વાસ્તવિધિ વિધાનથી બનેલા ઘરના જેવા સંસ્થાનવાળી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ હોય છે. કોઈ એક એ પ્રમાણે કહે છે કે-પ્રાસાદ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે, કોઈ એક બારમો તીર્થાન્તરીય ગોપુરાકારથી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે તેમ કહે છે. કોઈ એક મતવાદી કહે છે કે સૂર્ય ચંદ્રની સંસ્થિતિ પ્રેક્ષાગૃહની જેમ સંસ્થિત છે, કોઈ એક ચંદ્ર સૂર્યની સંસ્થિતિ વલભી જેવી કહે છે. કોઈ એક કહે છે કે હર્પતલના જેવી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, કોઈ એક એવું કહે છે કે વાલાઝ. પોતિકાના જેવા સંસ્થાનથી યુક્ત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. તેઓમાં જે એમ કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ સમચતુરસાકારથી સંસ્થિત કહેલ છે. આ પહેલા અન્ય મતવાદીનું કથન છે. આ નયથી જાણવું બીજાથી નહીં. ભગવાનું તાપક્ષેત્રના સંબંધમાં અન્યતીર્થિકોના મતાન્તરો રૂપ પ્રતિપત્તિયોને બતાવતાં કહે છે- તાપક્ષેત્ર સંસ્થિતિના સંબંધમાં આ વક્ષ્યમાણ સોળ પ્રતિપત્તિયો કહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy