SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૩ સંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. પાહુડ ૨/૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પાહુડ – ૨ - ગુર્જરછાયા પૂર્ણ (પાહુડ-૩) ૨૯ [૩૪] ચંદ્ર સૂર્ય કેટલા ક્ષેત્રને અવભાસિતકરેછે?ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે ? અને પ્રકાશિત કરે છે ? હે ભગવન્ તે આપ કહો. એ વિષયમાં આ બાર પ્રતિપત્તિઓ કહેવામાં આવેલ છે. કોઇ એક કહે છે ગમન કરતા ચંદ્ર અને સૂર્ય એક દ્વીપ અને એક સમુદ્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. કોઈ બીજો કથન કરે છે કે- ત્રણ દ્વીપો અને ત્રણ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ત્રીજો કોઈ પોતાનો મત પ્રકટ કરે છે. અર્ધચતુર્થ દ્વીપોને અને અર્ધ ચતુર્થ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, કોઈ ચોથો કહે છે- સાત દ્વીપો અને સાત સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. કોઈ એક કહે છે- દસ દ્વીપો અને દસ સમુદ્રોને સૂર્ય ચંદ્ર અવભાસિત કરે છે, યાવત્ પ્રકાશિત કરે છે. કોઈ એક છઠ્ઠો કહેવા લાગ્યો કે- બાર દ્વીપો અને બાર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. યાવત્ પ્રકાશિત કરે છે. કોઈ એક સાતમો કહે છે. બેંતાલીસ દ્વીપો અને બેંતાલીસ સમુદ્રોને ચંદ્રસૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આઠમો અન્યતીર્થિક કહેવા લાગ્યો બોંતેર દ્વીપો અને બોંતેર સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. નવમો અન્યમતાવલમ્બી એકસો બેંતાલીસ દ્વીપો અને એ કસો બેંતાલીસ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, યાવત્ પ્રકાશિત કરે છે, કોઈ દસમો કથન કરે છે. બોંતેર દ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે પ્રકાશિત કરે છે. અગ્યારમો મતવાદી કેદ્વીપોને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. બારમો પોતાનો મત દર્શાવે છે.૧૦૭૨ દ્વીપોને અને ૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આ તમામ પ્રતિપત્તિયો મિથ્યા છેભગવાન્ આ કથનથી જુદા પ્રકારે કહે છે આ જંબૂદ્વીપ સર્વ દ્વીપ અને સમુદ્રોમાં યાવત્ પરિક્ષેપથી કહેલ છે. તે જંબુદ્વીપ આ પૃથ્વીમાં સર્વ માન્યતાથી નિર્ણિત થયેલ છે, પૂર્વપર જંબુદ્રીપ નામનો દ્વીપ ચારે દિક્ષાઓમાં એક લાખ છપ્પન હજાર નદીયોથી યુક્ત કહેલ છે, જેમ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ નામના સૂત્રમાં સઘળી રીતે સારી રીતે સમ્યકતયા વર્ણવેલ છે. તેનું સઘળું વર્ણન જોઈ લેવું. જંબૂદ્વીપનામનો આ દ્વીપ પાંચ ચક્ર ભાગોથી સંસ્થિત છે. ગૌતમસ્વામી પૂછે છેજંબુદ્રીપ નામનો દ્વીપ પાંચ ચક્રવાલ ભાગોથી સંસ્થિત કેવી રીતે કહેલ છે ? જ્યારે આ બેઉ સૂર્યો સર્વાયંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપ પાંચીયા ત્રણ ચક્રવાલ ભાગોને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, એક સૂર્ય દ્વયર્ધ પાંચ ચક્રવાબ ભાગને અવભાસિત કરે છે. યાવત્ પ્રકાશિત કરે છે. એક સૂર્ય પાંચ ચક્રવાલ ભાગના એક દ્વયર્ધ ભાગને અવભાસિત કરે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy