SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સરપનત્તિ- ૨/૩/૩૩ ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ હજાર બસો બાવન અને એક યોજનના સાઠિયા પાંચ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા ૪૭૦૯૬ યોજન અને એક યોજના સાઠિયા તેત્રીસ ભાગ તથા સાઠના એક ભાગને એકસાઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી સૂર્યશીધ્ર દ્રષ્ટિગોચર થાય છે. આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડળથી તેના પછીના મંડળમાં ગમન કરતા કરતા એક યોજનના સાઠિયા અઢાર અઢાર ભાગ એક એક મંડળમાં મુહૂર્ત ગતિમાં વધારતા વધારતા ચોર્યાશી યોજનામાં કંઈક ઓછા પુરૂષ છાયાને વધારતા વધારતા સર્વબાહ્યમંડળમં જઈને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦પ યોજના અને એક યોજનના સાઠિયા પંદર ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયા રહેલા મનુષ્યોને ૩૧૮૩૧ યોજન અને એક યોજનના સાઠિયા તીસ ભાગ પ્રમાણથી સૂર્ય શીધ્ર દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે આ પહેલા છ માસ થાય છે, અને એજ પહેલા છ માસનું પર્યવસાન છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણના કરીને ગતિ કરે છે, ત્યારે પ૩૦૪ યોજન તથા એક યોજનના એકસઠિયા સતાવન ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા મનુષ્યોને ૪૧૯૧૬ યોજન તથા એક એક યોજનના સાઠિયા ઓગણચાલીસ ભાગ તથા સાઠના ભાગને એકસાઠથી છેદીને સાઠ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીઘ ચક્ષુગોચર થાય છે. એ બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના ત્રિીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૩૦૪ તથા એક યોજનના સાઠિયા ઓગણચાલીસ ભાગ પ્રમાણ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે આ મનુષ્યલોક માં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર એક યોજન તથા એક યોજનના સાઠિયા ઓગણપચાસ ભાગ તથા સાઠ ભાગને એકસઠથી ભાગીને તેવીસ ચૂર્ણિકા ભાગ પ્રમાણથી સૂર્ય શીધ્ર દ્રષ્ટિગોચર થાય છે. રાત્રિ દિવસનું પરિમાણ પહેલાં કહેલ પ્રકારથી જ થાય છે. પૂર્વોક્ત પ્રમાણથી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. અને બાર મૂહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. આ કહેલ ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય એના પછીના મંડળમાં સંક્રમણ કરીને એક યોજનના સાઠિયા અઢાર અઢાર ભાગ એક મંડળમાં મુહૂર્તગતિને ન્યૂન કરીને કંઈક વધારે પંચાસી પંચાસી યોજન પુરૂષછાયાને વધારતા વધારતા સવભ્યિન્તરમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સભ્યતરમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે પરપ૧ યોજન અને એક યોજનના સાઠિયા અડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્યારે ત્યાં રહેલા મનુષ્યોને ૪૭૨૬૨ તથા એક યોજનના સાઠિયા એકવીસ ભાગથી સૂર્ય શીઘ દૃષ્ટિગોચર થાય છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. આ બીજા છ માસ કહેલ છે. આજ બીજા છ માસનું પર્યવસાન કહેલ છે, આ રીતે આજ આદિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy