SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-ર,પાહુડ-પાહુડ-૩ પ્રમાણે કહેલ છે. એ દિવસમાં અડતાલીસ હજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર કહેલ છે. એ સમયે સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જેઓ એમ કહે છે કે-છ, પાંચ અગર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. એ વાદી નીચે જણાવેલ પ્રકારથી પોતાનો મત પ્રગટ કરે છે. સૂર્ય ઉદય કાળના મુહૂર્તમાં અને અસ્તમાનકાળના મુહૂર્તમાં શીઘ્રગતિવાળા હોય છે. ત્યારે એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન પ્રમાણ ગમન કરે છે, ચોથો મતવાદી સૂર્યની ગતિના સંબંધમાં આ રીતે પ્રરૂપણા કરે છે, ઉદય કાળમાં અને અસ્તના સમયે સૂર્યમાં શીઘ્રગતિશીલ હોય છે. તેથી એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. તે પછી વચલા તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મધ્યમ ગતિવાળો થાય છે, ત્યારે એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. મધ્યમ તાપક્ષેત્રને પ્રાપ્ત કરીને સૂર્ય મંદગતિવાળો થઈ જાય છે. ત્યારે એક એક મુહૂર્તમાં ચાર ચાર હજાર યોજન ગમન કરે છે. હે ભગવન્! આ પ્રમાણેની વસ્તુતત્વની વ્યસ્થા થવામાં શું કારણ છે? આ જંબુદ્વીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળમાં જઇને ગતિ કરે છે ત્યારે રાત્રિનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે, એ દિવસમાં એકાણુ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે રાત્રિ દિવસનું પ્રમાણ એ જ પ્રમાણેનું હોય છે, એ દિવસમાં એકસઠ હજાર યોજનનું તાપક્ષેત્ર કહેલ છે ત્યારે છે, પાંચ ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં ગમન કરે છે. હવે ભગવાનું પોતાના મતના સંબંધમાં કથન કરે છે. આ પ્રમાણે કહું છું એ સાતિરેક પાંચ પાંચ હજાર યોજન એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. તેમાં શું હેતુ છે તે કહો ! આ જંબૂઢીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. જ્યારે સૂર્ય સવભિંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગમન કરે છે, ત્યારે પાંચ પાંચ હજાર યોજન અને બસો એકાવન યોજન તથા એક યોજનનો સંઠિયા ઓગણત્રીસમો ભાગ આટલા પ્રમાણથી એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે અહીંયાં રહેલા મનુષ્યોને ૪૭૨૬૩ તથા એક યોજનના એકસઠિયા એકવીસ ભાગ પ્રમાણ થી સૂર્ય શીર્ઘ દ્રષ્ટિગોચર થાય છે. ત્યારે રાત દિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય નવીન સંવત્સરને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં અભ્યન્તરના પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગમન કરે છે. એ સૂર્ય સવવ્યંતર મંડળથી પૂર્વકથિત પ્રકારથી બહાર નીકળીને નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવીન સંવત્સરના પહેલા અહોરાત્રમાં સવભિંતર મંડળની પછીના બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય સમીપસ્થ મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પ૨પ૧ યોજન તથા એક યોજના સાઠિયા સુડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે. ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને ૪૭૧૭૯ યોજન તથા એક યોજનના સાઠિયા સતાવન ભાગ તથા સાઠ ભાગને એકસઠથી છેદીને છેદીને ઓગણીસ ચૂર્ણિકા ભાગોથી સૂર્ય શીધ્ર ચક્ષુગોચર થાય છે. સર્વવ્યંતરની પછીના બીજા મંડળના સંચરણ સમયમાં દિવસરાત્રીનું પરિમાણ પૂર્વકથિત પ્રકારથી થાય છે. નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં અત્યંતરના ત્રીજા મંડળમાં ઉપસંદ મણ કરીને ગતિ કરે છે. સવવ્યંતરમંડળની બહાર નીકળીને ત્રીજા મંડળમાં ઉપર્સ ક્રમણ કરીને એ ત્રીજા મંડળમાં ભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા મંડળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy