SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સરપન્નત્તિ- ૨/૧/૩૨ ગતિ કરે છે, ભગવાન્ કહે છે. એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ ભેદઘાતથી એટલે કે ગતિ વિશેષથી ગમન કરે છે, જે અંતરથી એક મંડળથી બીજા મંડળમાં ગમન કરતાં કરતાં સૂર્ય ભેદઘાતથી જાય છે, તે પ્રકારનો સમય આગળ નથી. બીજા મંડળ સુધી ગયા વિના જ મંડળનો ભોગકાળ ન્યૂન થઈ જાય છે. મંડળના પરિભ્ર- મણના ભોગકાળના નિર્ણય કરવામાં બીજો તીર્થાન્તરીય કહે છે. એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એના કથનમાં આ વિશેષતા છે, જે અંતરથી એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, એટલા પ્રમાણની અહ્વા આગળ જાય છે. આગળ જતો સૂર્ય મંડળકાળને ન્યૂન કરતો નથી. એના મતમાં વિશેષપણું છે. તેમાં જે આ પ્રમાણે કહે છે કે-એક મંડળમાંથી બીજા મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકળાથી છોડે છે, આ નયથી ગતિ જાણવી . પાહુડ ૨/૨ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પાહુડપાહુડ-૩ [૩૩] હે ભગવન્ કેટલા ક્ષેત્રમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરતો કહેલ છે ? આ વિષયના સંબંધમાં ચાર પ્રતિપત્તિયો છે. પહેલો તીર્થાન્તરીય પોતાનો મત દર્શાવે છે. સૂર્ય એક એક મૂહૂર્તમાં છ છ હજાર યોજનમાં ગમન કરે છે. બીજો કોઈ એક કહે છે, પાંચ પાંચ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે, ત્રીજો પરમતવાદી કહે છે. સૂર્ય ચાર ચાર હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. એક ચોથો મતવાદી કહે છે છ, પાંચ, અથવા ચાર, હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. આ ચારે મતવાદીયોમાં જે આ પ્રમાણે કહે છે કે-છ, છ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે, તેમના કહેવાનો અભિપ્રાય છે કે-મુહૂર્તમાં સંચરણ ના સંબંધમાં જે વાદી હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી સ્વમત ને કહે છે કે-સૂર્ય છ છ હજાર યોજન એક એક મુહૂર્તમાં જાય છે. જ્યારે સૂર્યસવભ્યિન્તર મંડળમાં જઇને ગમન કરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢારમુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બારમુહૂર્તની રાત્રી હોય છે, એ દિવસોમાં એક લાખ આઠ હજાર યોજન પ્રમાણનું તાપક્ષેત્ર હોય છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગમન કરે છે ત્યારે ઉત્કૃષ્ટતાવાળી અઢારમુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. યોજન પ્રમાણનું તાપક્ષેત્ર કહેલ છે. ત્યારે સૂર્ય એક એક મુહૂર્તમાં છ છ હજાર યોજન જાય છે. એ અન્યતીર્થિકોમાં જે એવીરીતે કહે છે કે-સૂર્ય એક એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર યોજન ગમન કરે છે. તેમનું કહેવું આરીતે છે-જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે તે વખતે રાત્રિદિવસનું પ્રમાણ એજ પ્રકારનું છે. જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, એ સમયે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે. એ દિવસમાં સાઠ હજાર યોજનનું તાપક્ષેત્ર હોય છે. ત્યારે પાંચ પાંચ હજાર યોજનમાં સૂર્ય એક એક મુહૂર્તમાં ગમન કરે છે. એમાં જે એવું કહે છે કે-જ્યારે સવભ્યિન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ પ્રમાણે છે. એ દિવસમાં બોંત્તેર હજાર યોજન પ્રમાણવાળું તાપક્ષેત્ર થાય છે. તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે રાતદિવસનું પ્રમાણ એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy