SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૪ ૩૧ છે. એ સોળ પરતીર્થિકોમાં એક પહેલો તીર્થાન્તરીય આ પ્રમાણે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિના સંબંધમાં કહે છે કે ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિ વાસ્તુવિધિથી કરવામાં આવેલ ઘરના સમાન કહેલ છે. આ પ્રમાણે વાલાઝપોતિકાના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, કોઈ એક બીજો મતાન્તરવાદી આ પ્રમાણે કહે છે કે ગેહાપણ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ત્રીજો અન્યમતવાદી કહે છે કે પ્રાસાદની જેમ સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ ચોથો મતાવલંબી કહે છે કે ગોપુરના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, છઠ્ઠો કોઈ એક મતવાદી કહે છે કે વલભીના સંસ્થાનની જેમ તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક સાતમો તીર્થાન્તરીય કહે છે કે હમ્મતલના જેવા સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ કહે છે કે-વાલાઝપોતિકાના સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. કોઈ એક કહે છે કે જેવી રીતે આ જંબૂદ્વીપ સંસ્થિત છે, એવા જ પ્રકારના સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ પ્રજ્ઞપ્ત કરેલ છે. કોઈ એમ કહે છે કે જેવા સંસ્થાનથી આ ભારત વર્ષ સંસ્થિત છે એ સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ ઉદ્યાનના સંસ્થાનની જેમ સંસ્થિત જેનું હોય એવા પ્રકારથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે- નિયણના સંસ્થાનના જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે કોઈ એક મતવાદી કહે છે કે- એકતઃ નિષધ સંસસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, કોઈ એક મતવાદી કહે છે કે-રથના બન્ને પાર્શ્વ ભાગોમાં રહેલ નિષધાન જેવા સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક કહે છે કે જેવી રીતે જૈનક નામના પક્ષિનું સંસ્થાન હોય છે. એ પ્રમાણેની તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે. કોઈ એક કહે છે કે બૅનક પક્ષીના પીઠના ભાગ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે. હું આ વિષયના સંબંધમાં આ પ્રમાણે કહું છું ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પના સંસ્થાન જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. અંદર સંકુચિત બહારની બાજું વિસ્તૃત અંદર ગોળ તથા બહાર વિસ્તારવાળું અંદર અંક મુખના જેવું સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખ સરખું સંસ્થિત બન્ને બાજુમાં તેના બે વાહાઓ અવસ્થિત થાય છે, તથા ૪૫-૪૫ હજાર યોજન આયામથી એના બન્ને પડખાઓ અવસ્થિત હોય છે. ભગવાન કદંબના પુષ્પની સંસ્થિતિને બતાવે છે- ૪૫-૫ હજાર યોજનનો આયામ છે એ તાપક્ષેત્ર સંસ્થિતિની બે વાહા અવસ્થિત હોય છે તે આવી રીતે છે. જેમ કે એક સવવ્યંતરની અને બીજી સર્વબાહ્ય મંડળની વાહા તો તેવી રીતે એ વાહાઓ હોવાનું શું કારણ છે ? સભ્યન્ત રની વાહા જે મેરૂ સમાન વિખંભને વ્યાપ્ત કરીને જે વાહા હોય છે તે સભ્યન્તર વાહા કહેવાય છે તે વાહા પદથી, ઝરણાઓના ગમનથી જાણવામાં આવે છે, તથા જે જંબુદ્વિીપના પર્યન્ત ભાગમાં વિખંભને અધિકૃત કરીને લવણ સમુદ્રની દિશામાં જે વાહા એટલે કે અયનગતિ થાય છે. તે સર્વબાહ્ય પદથી ઓળખાય છે. આ બૂઢીપ નામનો દ્વિીપ યાવતુ પરિક્ષેપથી કહેલ છે. તો જ્યારે સૂર્ય સવવ્યંતરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ઉર્ધ્વમુખ કલંબુક પુષ્પની સંસ્થિતિ જેવી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, તેમ કહેવું. આ સંસ્થિતિ અંદરની તરફ સંકુચિત બહારની તરફ વિસ્તારવાળી અંદર વૃત્ત બહાર પૃથુલ અંદર અંકમુખની સમાન સંસ્થિત અને બહાર સ્વસ્તિકના મુખની જેમ સંસ્થિત બન્ને પાર્શ્વમાં તાપક્ષેત્રસંસ્થિતિનું કથન પૂર્વોક્ત પ્રકારથી જ યાવતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy