SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જંબુદ્રીવપન્નત્તિ - ૨/૨૯ ઉત્તર કુરુના માણશોના જ હોય-કોટિઓને એકદમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કોઈ પણ સ્થાને તલમાત્ર પણ સ્થાન ખાલી હોય નહીં આમ ભર્યાપછી તેમાં વિવર રહેશે નહીં વાયુ પ્રવિષ્ટ થઈ શકશે નહીં નિબિડરૂપમાં હોવાથી અગ્નિ પણ તેમને ભસ્મ કરી શકશે નહીં તે બાલાગ્ન કોટિઓથી તે પલ્થ સારી રીતે અતીવ નિબિડ રૂપમાં પૂરિત થઈ જાય ત્યારે તેમાં સો વર્ષ નીકળી જવા બાદ એક બાલાવ્ર કોટિ બહાર કાઢવી જોઈએ આમ કરતાં કરતાં જેટલા કાળમાં તે પલ્ય તે બાલાવ્ર કોટિઓથી રિક્ત થાય છે, બાલાગ્નનો સ્વલ્પાંશ પણ તેમાં રહે નહીં એટલે તો તેટલા કાળનું નામ પલ્યોપમ કાળ છે. આ પલ્યમાં સંખ્યાત કોટિ કોટિ પ્રમાણ વર્ષ સમાપ્ત થઈ જાય છે. આને બાદર પલ્યોપમ કહેવામાં આવે છે, પૂર્વોક્ત બાલાગ્નોમાં એક એક બાલાગ્રના અસંખ્યાત ખંડો કરી નાખવા જોઈએ અને ત્યાર બાદ તેમના વડે આ પલ્યને પૂરિત કરવું. આ સ્થિતિમાં આ પલ્યની લંબાઈ પહોળાઇ તેમજ અવગાહ ઊત્સેધાંગુલયોજન પ્રમાણ થઇ જશે. હવે દર સો વર્ષે એક બાલાગ્રખંડનો તેમાંથી અપહાર કરવો આ પ્રમાણ જેટલા કાળમાં તે પલ્ય તે બાલાગ્રોના અપહાર થી સર્વથા નિર્લિપ્ત બની જાય. એવો તે અસંખ્યાત કોટી કોટી વર્ષ પ્રમાણ વાળો કાળ સૂક્ષ્મ પલ્યોપમ કાળ કહેવામાં આવે છે. [૩૦] પલ્યોપમની જે દશ ગુણિત કોટીકોટી તે એક સાગરોપમનું પ્રમાણ. [૩૧] એવા સાગરોપમ પ્રમાણથી ચાર સાગરોપમ કોટા કોટિનો એક સુષમ સુષમા કાળ હોય છે. એને જ અવસર્પિણી નો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. ત્રણ સાગરોપમ કોટા કોટીનો દ્વિતીય કાલ જે સુષમા છે તે હોય છે. બે સાગરોપમ કોટા કોટિનો તૃતીય કાળ જે સુષમ દુષ્પમા છે. તે હોય છે. ૪૨ હજાર વર્ષ કમ ૧ કોટા કોટી સાગરોપમનો દુષ્મમ સુષમાકાળ હોય છે, આ ચોથો કાળ છે. ૨૧ હજાર વર્ષનો દુષ્મમા નામે પ મો કાળ હોય છે. તથા આટલાજ હજાર વર્ષનો દ્યો કાળ જે દુષમ-દુખમાં દુષ્ય મા નામે ૫ મો કાળ હોય છે. તથા આટલાજ હજાર વર્ષનો ૬ઠ્ઠો કાળ જે દુષ્પમ દુખમા છે તે હોય છે. આ પ્રમાણે સર્વ સંકલનાથી અવસર્પિણી કાળ ૧૦ કોડા કોડી સાગરોપમનો હોય છે. ઉત્સર્પિણી કાળમાં પ્રથમ કાલ જે દુષ્મમ દુષમા છે તે ૨૧ હજાર વર્ષનો હોય છે. એને જ ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરક કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળના છઠ્ઠા સુષમા સુષમા આરક સુધીનું કથન સમજી લેવું જોઈએ. [૩૨] હે ભદન્ત ! આ જંબુદ્વીપ નામના દ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રમાં આ અવ સર્પિણી કાળના સુષમ સુષમા નામના પ્રથમ આરક માં જ્યારે તે પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થામાં વર્તી રહ્યો હતો. ભરતક્ષેત્રનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર- હતો. હે ગૌતમ ! જ્યારે જંબૂદ્રીપાશ્રિત આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળના સમયે પ્રથમ સુષમસુષમા નામક પ્રથમ આરક પોતાની સર્વોત્કૃષ્ટ અવસ્થા પર ચાલી રહ્યો હતો, તે સમયમાં અહીં ભૂમિ ભાગ બહુ સમ રમણીય હતો મૃદંગના મુખ પટ નો આકાર હોય છે. યાવત્ તે અનેક પ્રકારના પાંચ વર્ણવાળા મણિઓ થી તેમ જ તૃણોથી સુશોભિત હતો આ સુષમ સુષમા કાલમાં આ ભરત ક્ષેત્રમાં અનેક ઉદ્દાલ, કુદાલ, મોદ્દાલ, કૃતમાલ’ નૃત્તમાલ, દંતમાલ, નાગમાલ, શૃંગમાલ, શંખમાલ અને શ્વેતમાલ નામના પ્રસિદ્ધ ઉત્તમ વૃક્ષ જાતિના ઉત્તમ વૃક્ષ સમૂહો કહેવામાં આવેલ છે. આ સર્વ વૃક્ષો પોત પોતાના મૂળ ભાગોમાં અને શાખાપ્રશાખા આદિના મૂળ સ્થાનોમાં કુશ અને વિકુશબલ્વન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy