SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વબારો-૨ ૧૧૭ વગેરે સુણ વિશેષોથી રહિત હોય છે. આ પ્રમાણે આ સર્વ વૃક્ષો પ્રશસ્ત કંદો વાળા છે. યાવતું વૃક્ષો બહુ જ સુંદર શોભા સંપન્ન દ્રષ્ટિ ગત થાય છે. તે કાળમાં ભારતવર્ષમાં ઠેક ઠેકાણે અનેક ભેરુ તાલ-વૃક્ષ વિશેષ-ના વનો હોય છે હેરુતાલના વનો હોય છે, મેરુતા લના વનો હોય છે, પ્રભાતાલના વનો હોય છે. સાલવૃક્ષોના વનો હોય છે, સરલ વૃક્ષોના વનો હોય છે, સપ્તપણના વનો હોય છે, પૂગફલી-સોપારીના વૃક્ષોના વનો હોય છે, ખજૂરી-પિંડખજૂરોના વનો હોય છે. અને નારિયેલના વૃક્ષોના વનો હોય છે. આ વનો માં આવેલા વૃક્ષોની નીચેના ભૂમિ ભાગો કુશ-કાશ અને બિલ્વાદિ લતાઓથી સર્વથા રહિત હોય છે. આ વૃક્ષો પણ પ્રશસ્ત મૂળ વાળા હોય છે. પ્રશસ્ત કંદવાળા હોય છે. ઈત્યા દિ તે કાળ ભરત ક્ષેત્રમાં ઠેકઠેકાણે ઘણી સેરિકા નામની લતા ઓના સમૂહો હોય છે. નવમાલિકા નામની લતાઓના સમૂહો હોય છે. કોરંટ નામની લતાઓના સમૂહો હોય છે. બધુ જીવક મનોવદ્યગુલ્મો નીલર્કિટિકા કુર્જકના સિંદૂવારના મુદુગર વેલી યૂથિકા સ્વર્ણ જુહીના મલ્લિકા લતાના વાસંતિકા લતાના વસ્તુલના ગુલ્મો વસ્તુલ મગતિ કાના ગુલ્મો હોય છે. ચંપકના ગુલ્મો હોય છે. આ સર્વ ગુલ્મો અતીવ સુંદર હોય છે અને આરોપ યુક્ત મેઘના સમૂહ જેવા હોય છે. તેમજ પાંચ વર્ણવાળા પુષ્પોને ઉત્પન્ન કરતા રહે છે. એ ગુલ્મો ભરત ક્ષેત્રમાં સ્થિત બહુસમરમણીય ભૂમિભાગને વાયુથી કંપિત શાખાઓના અગ્રભાગથી વર્ષેલા પુષ્પોથી અલંકત કરે છે. તે કાળમાં ભરત ક્ષેત્રમાં ઠેક ઠેકાણે અનેક પાલતાઓ યાવતુ શ્યામલતા હોય છે. ઠેકઠેકાણે ઘણી વનરાજિઓ હતી એ વનરાજિઓ કૃષ્ણ છે અને કૃષ્ણ રૂપથી અવભાસિત થાય છે. યાવત્ એઓ ખૂબજ સોહામણી લાગે છે. [૩૩] તે સષમસુષમા નામના આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે તે સ્થાનોમાં મત્તાંગ નામના કલ્પવૃક્ષો હતા. યાવતું ચન્દ્રપ્રભા મણિ શિલિકા ઉત્તમમદ્ય તથા વર વારુણી એ સર્વે માદકરસ વિશેષો છે. આ સર્વે સુપરિપાકગત પુષ્પો ફળો તેમજ ચોય નામક ગન્ધ દ્રવ્ય વિશેષના રસોમાંથી બનાવવામાં આવે છે, તથા એમના માં શરીરને પુષ્ટ કરનારા દ્રવ્યોનું સમ્મિશ્રણ રહે છે. આ પ્રમાણે અનેક જાતના આસવો પણ તૈયાર કરવામાં આવે છે. જે આ સર્વ સુરા વિશેષોના વર્ણ ગબ્ધ રસ અને સ્પર્શ વિશિષ્ટ પ્રકાર ના હોય છે. જેમ લોક પ્રસિદ્ધ ચન્દ્રપ્રભા વગેરે સુરાઓ હોય છે. તેમજ મત્તાંગ જાતિના દુમગણ પણ સ્વતઃ સ્વભાવથી અનેક પ્રકારના અમાદક પદાર્થોના રૂપમાં પરિણત થઈ જાય છે. તે પ્રથમ આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે અનેક ભૂતાંગ નામના કલ્પવૃક્ષો હોય કલ્પવૃક્ષો તે યુગલિકોને અનેક પ્રકારના ભાજનોને પ્રદાન કરતા રહે છે. આ સૂત્રપાઠગત પદોની વ્યાખ્યા જીવાભિગમ સૂત્ર થી જાણી લેવી. | [૩૪] હે ભદત ! તે સુષમસુષમાં આરકના સદ્ભાવમાં ભરતક્ષેત્રમાં યુગલિક મનુષ્યોના સ્વરૂપ કેવું હોય છે? હે ગૌતમ ! તે સમયે મનુષ્ય યુગલિક સ્ત્રી-પુરુષ જેમનું સંસ્થાન સમીચીન છે એવા તેમજ કચ્છપ જેવા ઉન્નત સુંદર ચરણોવાળા હોય છે. હે ભદન્ત ! તે સુષમસુષમા કાળ ના સમયે ભરત ક્ષેત્રની સ્ત્રીઓના આકાર ભાવ પ્રત્ય વતાર-સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે. ગૌતમ ! તે મનુષ્ય સ્ત્રીઓ-સુપ્રમાણમાં ઉત્પન્ન થયેલા મસ્તકાદિ અંગોવાળી હોય છે. તેમજ સુજાત સવાઁગ યુક્ત હોવાથી તેઓ ખૂબજ સુંદર હોય છે. એમના બને ચરણો અતિકાન્ત-અતિ સુંદર હોય છે, વિશિષ્ટ પ્રમાણોપેત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy