SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જંબુઢીવનત્તિ-૧/૧૩ આ મણિ અને તૃણ ત્યાં કૃત્રિમ પણ છે અને અકૃત્રિમ પણ છે. દક્ષિણ વિદ્યાધર શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે પ૦ નગરો છે તેમજ ઉત્તરવિદ્યા ધર શ્રેણીમાં રથનપુર ચક્રવાલ વગેરે ૬૦ નગરો આવેલા છે. આ વિદ્યાધરોની રાજ ધાનીઓ વિભવ, ભવન વગેરેથી ઋદ્ધ છે, સ્વચક્ર અને પરચક્રના ભયથી મુક્ત છે, યાવતુ પ્રતિરૂપ છે વિદ્યાધર શ્રેણિદ્વય નિવાસી મનુષ્યોનું સ્વરૂપ સમચતુરસ્ત્ર આદિ સંસ્થાન વાળા હોય છે. એમના શરીરની ઉંચાઈ પાંચસો ધનુષ વગેરે જેટલી હોય છે. પૂર્વ કૌટિ વર્ષશત આદિ જેટલી આયુ હોય છે. યાવતુ અવ્યાબાધ સુખના ભોક્તા છે તે વિદ્યાધર શ્રેણીઓને બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતના બન્ને પાર્શ્વ ભાગોમાં દશ દશ યોજન ઉપર જઈને બે આભિયોગ્ય શ્રેણિઓ છે શક્ર અને લોકપાલોના કિંકરભૂત જે વ્યંતર દેવ વિશેષ છે, તેમની આ નિવાસભૂત શ્રેણીઓ છે. એઓ બન્ને પૂર્વ પશ્ચિમમાં લાંબી છે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં ચોડી છે. એમનો વિસ્તાર દશ-દશ યોજન જેટલો છે. તેમજ પર્વતની લંબાઈ જેટલી એમની લંબાઈ છે. હે ગૌતમ! એ બને શ્રેણી ઓનો ભૂમિભાગ બહુ સમ છે અને એથી જ તે બહુજ રમણીય છે આ પૂર્વોક્ત આભિયોગ્ય શ્રેણીઓના સ્થાનો પર અનેક વાનયંતર દેવો દેવીઓ સુખપૂર્વક ઉઠતા-બેસતા. રહે છે, યાવતુ શુભ ફળ વિશેષનો ઉપભોગ કરતા રહે છે. તેઓ બન્ને અભિયોગ્ય શ્રેણી. ઓમાં દેવેન્દ્ર દેવરાજ શકના-જે પૂર્વ દિશાનાં દિપાલ સોમ છે. દક્ષિણ દિશાના દિક પાલ યમના પશ્ચિમ દિશાના દિક્યાલ વરુણના અને ઉત્તર દિશાના દિક્યાલ વૈશ્રવણના. તેમના અનેક ભવનો કહેવાય છે. તે ભવનો બહારથી ગોળ છે. અને અંદરથી ચતુરગ્ન છે. થાવત્રાસાદીય છે. પ્રત્યેક ભવનમાં ૪૮-૪૮ કોઠાઓ બનેલા છે. તેમજ ૪૮-૪૮ વન માળાઓ ગોઠવેલી છે. પચક્રનો અહીં ભય નથી. તેમજ સ્વચક્રના ભયથી એ રહિત છે. જેમના હાથોમાં દંડ છે એવા કિંકરભૂત દેવોથી એ ભવનો સંરક્ષિત થયેલા છે. ગોમયા. દિકના લેપનથી એ ભવનો પરિષ્કૃત છે. ગોશીર્ષચન્દ્રન અને સરસ રક્ત ચંદનના અધિ કાધિક પ્રગાઢલેપાદિના એ ભવનોમાં હાથના થાપાઓ લાગેલા છે. સ્થાને સ્થાન પર ચંદન નિર્મિત કલશો એ ભવનોમાં મૂકેલા છે. દરેક ભવનના દરેક દ્વાર પર ચન્દન કલશો ના તોરણો બનેલા છે. એ ભવનોમાં જે પુષ્પમાલા છે- વિસ્તીર્ણ છે. તેમજ વૃત્ત-ગોળ આકારવાળા છે. અને લટકતા છે. એ ભવનોમાં યત્ર તત્ર સરસ પંચવ ણપત તેમજ સુગંધિત પુષ્પોના સમૂહો વિકીર્ણ થયેલા રહે છે. પ્રજ્વલિત કલા ગુરુની, પ્રશ્નસ્તર કુન્દરૂષ્કન્ધ દ્રવ્ય વિશેષની, લોબાનની અને દશાંગધૂપની મનોજ્ઞગબ્ધ સર્વત્ર વ્યાપ્ત છે અપ્સરાઓના સમુદાયો આમથી તેમ હરતા-ફરતા જ રહે છે. દિવ્ય વાજાઓનો નાદ થતો રહે છે. એથી એ મુખરિત રહે છે. એ સવત્મિના રત્નમય છે તેમજ અચ્છથી માંડીને પ્રતિરૂપ છે એ બન્ને આભિયોગ્ય શ્રેણી ઓના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુઓમાં પાંચ પાંચ યોજન ઉપર આગળ જવાથી વૈતાઢ્ય પર્વતનું શિખર કહેવાય છે. શિખર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે. આનો વિસ્તાર ૧૦ યોજન જેટલો છે. એથી આ લંબાઈની અપેક્ષાએ પર્વ તની બરાબર છે. તે શિખરતલ એક પદ્મવરવેદિકા અને એક વનપંડનથી ચારે તરફથી ઘેરાયેલું છે. એઓ બન્નેની લંબાઈ-ચોડાઈનું પ્રમાણ તેમજ એમના સંબંધનું વર્ણન જંબૂદીપની જગતીની પદ્મવરવેદિકા અને વનખંડના વર્ણન જેવું જ છે. શિખર તલનો જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy