SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯ પ્રતિપત્તિ-૩, દેવ [૧પ૩ હે ભગવનું ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! દસ પ્રકારના છે. અસુરકુમાર નાગકુમાર વિગેરે ભવનપતિ દેવોનું વર્ણન તથા વાનવ્યન્તર વિગેરે સઘળા દેવોનાભેદોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું. ૧પ૪]હ ભગવનું ભવનવાસી દેવોના ભવનો કયાં કયા સ્થળે કહેલ છે ? હે ગૌતમ ! એક લાખ એંસી હજાર યોજનાના વિસ્તારવાળી ધૂળ આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેનાભાગમાં એક એક હજાર યોજનને છોડીને વચ્ચેના એક લાખ અઠોતેર હજાર યોજન પ્રમાણે ભાગમાં આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જ પ્રમાણેનું કથન સમજી લેવું એ રીતે ભવનવાસી દેવોના સાત કરોડ બોંતેર લાખ ભવનો છે, આ ભવનો બહારથી વૃત્ત- આકારના હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રના સ્થાનપદનું વર્ણન છે તે મુજબ જાણી લેવું [૧૫]હે ભગવન ! ભવનવાસીયોમાં અસુરકુમાર નામના જે ભવનવાસી દેવો છે, તેઓના ભવનો કયાં કહેવામાં આવ્યા છે? તથા આ અસુરકુમાર દેવો ક્યાં આગળ રહે છે? પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં અસુરકુમારોનું કથન છે તે મુજબ જાણવું. | [૧૫] હે ભગવનું અસુરેન્દ્ર અસુરરાજ ચમરઈન્દ્રની કેટલી પરિષદાઓ છે ? ત્રણ પરિષદાઓ કહેવામાં આવેલ છે. પહેલી સમિતા પરિષદા, બીજી ચંડા પરિષદા અને ત્રીજી જાતા આત્યંતર પરિષદા, અભ્યાંતર પરિષદાનું નામ સમિતા છે. મધ્યની જે પરિષદા છે, તેનું નામ ચંડા છે. અને જે બાહ્ય પરિષદા છે, તેનું નામ જાયા છે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરાજ ચમરની અભયન્તર પરિષદામાં ૨૪000 ચોવીસ હજાર દેવો કહ્યા છે. બીજી મધ્યમ પરિષદમાં ૨૮૦૦૦ છે. બાહ્ય પરિષદમાં ૩૨૦૦૦ દેવો છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની આભ્યન્તર પરિષદામાં ૩૫૦ દેવિયો છે. મધ્ય મિકા સભામાં ૩૦૦ દેવિયો છે. અને બાહ્ય પરિષદામાં ૨પ૦ દેવિયો છે. અસુરેન્દ્ર અસુરાજ ચમરની આભ્યન્તર સભાના દેવોની સ્થિતિ અઢિ પલ્યોપમની મધ્ય પરિષદાના દેવોની સ્થિતિ બે પલ્યોપમની કહેલ છે. અને બાહ્ય પરષિદાના દેવોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે. તથા આભ્યન્તર પરિષદાની દેવિયોની સ્થિતિ દોઢ પલ્યોપમની છે.મધ્યમપરિષદની દેવિ યોની સ્થિતિ એક પલ્યોપમની છે. બાહ્ય પરિષદાની દેવિ યોની સ્થિતિ અર્ધા પલ્યોપમની કહેલ છે. હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરાજની જે આભ્ય તર પરિષદા છે, તે પરિષદાના દેવો જો બોલાવવામાં આવે તોજ આવે છે. મધ્યમ પરિષદાના જે દેવો છે તેઓને બોલાવવામાં આવે તો પણ આવે છે અને વિના બોલાવ્યા પણ આવે છે તે બાહ્ય પરિષદના જે દેવો છે. તેઓ વગર બોલાવ્યે આવે છે. જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ને કુટુંબ સંબંધી કોઈ સારૂં નરસું કામ આવી પડે છે. ત્યારે તે આભ્ય ન્તર પરિષદાની સાથે તે સંબંધમાં તેઓની સંમતિ લે છે. પૂછપરછ કરે છે. તથા આભ્ય ત્તર પરિષદાના દેવોની સાથે જે કરવાનો નિશ્ચય કરેલ હોય છે તે બાબતમાં તેઓ મધ્યમ પરિષદાના દેવોને સૂચના આપે છે. અને બાહ્ય પરિષદાના દેવો સાથે વિચાર- વામાં આવેલ કાર્ય કરવાની આજ્ઞા આપે છે. આજ કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર અસુરરાજની સમિતા ચંડા અને જાયા એ નામની ત્રણ પરિષદાઓ છે. [૧૧૭]હે ભગવનું ! ઉત્તરદિશામાં આવેલ અસુરકુમારોના ભવનો કયાં કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં બલિપ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy