SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ- ૩/મ/૧૪૭ દ્વીપોના પરિક્ષેપનું પ્રમાણ ૧૨૫ યોજનાનું છે. આદર્શ મુખ વિગેરે દ્વીપોના પરિક્ષેપનું પ્રમાણ ૧૫૮૧ યોજનાનું છે. તથા પરિધિનું પ્રમાણ અહિંથી બધે તે કંઈક વિશેષાધિક છે. [૧૪૮] અવગાહનામાં વિખંભમાં, અને પરિક્ષેપમાં દરેકની અપેક્ષાથી જુદા પણ આવે છે. તેમાં પહેલાં બીજા, ત્રીજા અને ચોથાના અવગાહ આયામ વિખંભ અને પરિક્ષેપને લઈને અહીંયાં સૂત્રમાંજ સ્પષ્ટતા કરી છે. એજ ચોથા ચતુષ્ટકના અશ્વમુખ વિગેરે દ્વીપો ની લંબાઈ પહોળાઈ છસો છસો યોજનાની છે. અને પરિધિ ૧૮૯૭ અઢાર સો સત્તાણ યોજનથી કંઈક વધારે છે. પાંચમાં ચતુષ્કમાં અશ્વકર્ણ વિગેરે દ્વીપોની લંબાઈ પહોળાઈ સાતસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે ૨૨૧૩ બાવીસસો તેર યોજના નો છઠ્ઠા ચતુષ્કમાં ઉલ્કામુખ વિગેરે દ્વીપેની લંબાઈ પહોળાઈ આઠસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે પચ્ચીસસો ઓગણત્રીસ ૨પ૨૯ યોજનાનો છે. સંતમાં ચતુષ્કમાં લંબાઈ પહોળાઈ નવસો યોજનની છે. અને પરિક્ષેપ કંઈક વધારે ૨૮૫ યોજનાનો છે. [૧૪] ચતુષ્કનો જેટલો વિખંભ છે, તે ચતુષ્કની એટલી જ અવગાહના છે. પહેલા વિગેરે ચતુષ્કનો પરિક્ષેપ જેટલો કહેલ છે, તેના પરિક્ષેપ પ્રમાણમાં અધિકપણું થતું જાય છે. શેષ બધા દ્વીપોનું કથન એકોરૂક દ્વીપના કથન પ્રમાણેનું સમજી લેવું [૧૫૦]હે ભગવન્! ઉત્તર દિશાના એકોરૂક મનુષ્યોનો એકોરૂક નામનો દ્વીપ કયાં કહેવામાં આવેલ છે? જંબૂદ્વીપ નામના આ દ્વીપમાં જે સુમેરૂ પર્વત છે તેની ઉત્તર દિશામાં શિખરી નામનો જે વર્ષધર પર્વત છે તેની ઈશાન દિશાના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ત્રણસો યોજન ચાલવાથી જેમ દક્ષિણ દિશાના એકોરૂક મનુષ્યોનો દ્વીપ કહેલ છે, તેજ રીતથી ઉત્તર દિશાના એકોરૂક મનુષ્યોનો પણ એકોરૂક નામનો દ્વીપ કહેવામાં આવેલ છે. એ ઉત્તર દિશાનો અંતરદ્વીપ શિખરી પર્વતની દાઢાઓ પર આવેલ છે. અને તે તેની વિદિઓમાં છે. શુદ્ધદેતદ્વીપ પર્યન્તના બધા મળીને અઠ્યાવીસ અંતરદ્વીપો. અહિં કહેલ છે. તે બધાનું વર્ણન દક્ષિણ દિશાના અંતર દ્વીપોના વર્ણન પ્રમાણે જ છે. [૧૫૧ હે ભગવન અકર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે ? અકર્મભૂમિના મનુષ્યો ત્રીસ પ્રકારના કહેવામાં આવેલ પાંચ પ્રકારના હૈમવતક્ષેત્રના મનુષ્યો, પાંચ હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય, પાંચ હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય, પાંચ રમ્યકક્ષેત્રના મનુષ્ય, પાંચ દેવકુરૂના મનુષ્યો, અને પાંચ ઉત્તરકુરૂના મનુષ્યો આ ત્રીસ અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિયોમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્યો છે, તેઓ અકર્મભૂમક મનુષ્યો કહેવાય છે. આનું સવિસ્તાર કથન પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના પદમાં કરવામાં આવેલ છે. હે ભગવનું કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે ? પંદર પ્રકારના છે. પાંચ ભરત ક્ષેત્રના, પાંચ ઐરાવતક્ષેત્રના, પાંચ મહાવિદેહ ક્ષેત્રના આ કર્મભૂમિના મનુષ્યો સંક્ષેપથી. બે પ્રકારના થાય છે. આર્ય અને સ્વેચ્છ, પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પ્રજ્ઞાપના પદમુજબ આ સર્વ વર્ણન જાણી લેવું. આ રીતે મનુષ્યોનું નિરૂપણ અહીં પુરુ થયું પ્રતિપત્તિ ૩-“મનુષ્ય”-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પ્રતિપત્તિ ૩-દેવ”) [૧૫૨] હે ભગવનુ દેવ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે ? હે ગૌતમ! દેવો ચાર પ્રકારના છે, ભગવનવાસી, વાનવન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy