SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ५० જીવાજીવાભિગમ - ૩તિ-૧/૧૩૦ અપર્યાપ્ત એ પ્રમાણેના બે જ ભેદો હોય છે. હે ભગવન્ પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવો કેટલા પ્રકારના હોય છે ? પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવો ત્રણ પ્રકારના છે જલચર પંચેન્દ્રિય, સ્થલચર, ખેચર. જલચર પંચેન્દ્રિય બે પ્રકાર ના છે. સંમૂર્ચ્છિમ અને ગર્ભજ. સંમૂર્ચ્છિમ જીવો બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. ગર્ભજ જલચર બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. સ્થલચર પંચેન્દ્રિય તિર્થંગ્લોનિક જીવો બે પ્રકારના કહ્યા છે. ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદ સ્થલચર બે પ્રકારના સંમૂર્છિમ અને ગર્ભજ. જે પ્રમાણે જલચર જીવોના ચાર ભેદો કહ્યા છે.એજ પ્રમાણે સ્થલચર જીવોના પણ ચાર ભેદો કહેવા જોઈએ. પરિસર્પ સ્થલચરોના બે ભેદો કહ્યા છે. ઉ૨:પરિસર્પ સ્થલચર અને ભુજપરિસર્પસ્થલચર, ઉર:પરિસર્પ સ્થલચર બેપ્રકા૨ના સંમૂર્છિમઅને ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકોના બે ભેદો થાય છે. સંમૂર્છિમ પંચેન્દ્રિય અને ગર્ભજ. સંમૂર્ણિમ ખેચર બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્તક. એ જ પ્રમાણે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવ વિશે સમજવું. ખેચર પંચેન્દ્રિય તિર્થંગ્યોનિક જીવોનો યોનિ સંગ્રહ કેટલા પ્રકારનો કહેવામાં આવેલ છે ? ત્રણ પ્રકારનો છે. અંડજ પોતજ અને સંમૂર્છિમ. આમાં પણ અંડજ ત્રણ પ્રકારના સ્ત્રી, પુરૂષ, અને નપુંસક પોતજ જીવો પણ ત્રણ પ્રકારના હોય છે સ્રી, પુરૂષ, અને નપુસંક સંમૂર્છિમ ખેચર જીવો છે, તે બધાજ નિયમથી નપુંસકજ હોય છે. હૈ [૧૩૧] હે ભગવન્ આ પક્ષિઓને કેટલી લેશ્યાઓ કહેવામાં આવી છે ? પક્ષિઓને છ લેશ્યાઓ કહેવામાં આવી છે. કૃષ્ણલેશ્યા' યાવત્ શુકલલેશ્યા. તેઓ સમ્યગ્ દષ્ટિવાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે. અને મિશ્ર દષ્ટિવાળા પણ હોય છે. તેવા જીવો જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. આમાં જેઓ જ્ઞાની હોય છે, તેઓને ત્રણ જ્ઞાન હોય છે. અને જેઓ અજ્ઞાની હોય છે, તેઓને ત્રણ અજ્ઞાન હોય છે. તેઓ ત્રણે પ્રકારના યોગવાળા હોય છે. તે જીવો બંને ઉપયોગવાળા હોય છે, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિના જીવોને અને અંતર દ્વીપ જ મનુષ્ય અને તિર્યંચોને છોડીને બાકીના તૈયિક તિર્યંચ અને દેવો માંથી આવેલા જીવો પક્ષીપણાથી ઉત્પન્ન થાય છે. કેવલ અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા અકર્મભૂમિના જીવોમાંથી અને અંતરદ્વીપજ મનુષ્ય અને તિર્યંચોમાંથી આવેલા જીવો પક્ષિઓમાં ઉત્પન્ન થતા નથી આ જીવોને પાંચ સમુદ્દાત છે. વેદનાસમુદ્દાત યાવત્ તૈજસસમુદ્દાત,તે જીવો મારણાનિક સમુદ્ઘાત કરીને પણ મરે છે, અને મા૨ણાન્તિક સમુદ્દાત કર્યા વિના પણ મરે છે, હે ભગવન્ ! તે જીવો મરીને સીધા કયા જાય છે ? અને કયાં ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોમાં ઉત્પન્ન થાય છે ? તિર્યંગ્યોનિકે માં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં ઉદ્ધર્તના કહેવામાં આવી છે, એ જ પ્રમાણે અહિયાં પણ ઉદ્ધર્તના સમજી લેવી. હે ભગવન્ તે પક્ષિ રૂપ કેટલા લાખ જાતી કુલકોટીયોની કહી છે કે ગૌતમ તેઓની બાર લાખ યોનિપ્રમુખ કુલકોટી કહેવામાં આવી છે. ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકોનો યોનિસંગ્રહ ત્રણ પ્રકારનો છે. અંડજ, પોતજ, અને સંમૂર્ચ્છિમ, બાકી બધું ખેચર મુજબ જાણવું, કેવળ સ્થિતિદ્વાર, ચ્યવન દ્વાર, ઉત્ક્રર્તના દ્વાર, અને કુલકોટિ દ્વારમાં ભિન્નપણુ આવે છે. ભુજપરિસર્પ તિર્યંચ્યો નિકોની સ્થિતિ જધન્યથીતો અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટીની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy