SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - જીવાજીવાભિગમ – ૩ન-૨/૧૦૨ ભવધારણીય અવગાહના જધન્યથી બાસઠ ધનુષ અને બે હાથની અને ઉત્તર વૈક્રિયરૂપ અવગાહના ધન્યથી આંગળના સંખ્યાતમાં ભાગ રૂપ અને ઉત્કૃષ્ટથી તે એકસો પચ્ચીસ ધનુષની છે. ધૂમપ્રભામાં ભવધારણીયરૂપ શરીરાવગાહના જધન્યથી એક આંગળના અસંખ્યાતમા ભાગ રૂપ અને ઉત્કૃષ્ટથી એકસો પચ્ચીસ ધનુષ પ્રમાણની છે. - ઉત્તર વૈક્રિયરૂપ શીરાવગાહના જઘન્યથી એક આંગળના સંખ્યાતમાભાગ રૂપ ઉત્કૃષ્ટથી અઢીસો ધનુષ છે છઠ્ઠી તમઃપ્રભા નામની પૃથ્વીમાં ભવધારણીય જધન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુષ પ્રમાણની ઉત્તરવૈક્રિય શરીરાવ ગાહના જધન્યથી આંગળના સંખ્યાતમા ભાગ રૂપ અને ઉત્કૃષ્ટઅવગાહના ૫૦૦ ધનુષ પ્રમાણની, સાતમી પૃથ્વીમાં ભવધારણીય શરીરાવગાહના ધન્યથી એક આંગળના અસંખ્યાતમા ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે પાંચસો ધનુષ પ્રમાણની છે. તથા ઉત્તર વૈક્રિય રૂપ શરી૨ાવગાહના જઘન્યથી તો એક આંગળના સંખ્યાતભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુરૂપ છે. [૧૦૩]હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોના શરીરો કયા સંહનનવાળા કહેલા છે કોઈ પણ સંહનનવાળા હોતા નથી. નારકોના શરીરોમાં હાડકાઓ હોતા નથી. શિરાઓ હોતી નથી. સ્નાયુઓ હોતા નથી. તેથી નારકો ના શરીરો સંહન ન વિનાના કહેવામાં આવેલ છે. જે પુદ્ગલો અનિષ્ટ યાવત્ અમનોમ હોય છે, તેઓ તેઓના શરી૨ રૂપે પરિણમે છે. હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના નૈરિયકોના શરીરો કયા સંસ્થાન વાળા હોય છે નારક જીવોના શરીરો બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક ભવધારણીય શરીર અને બીજુ ઉત્તર વૈક્રિય શરીર બંને શરીર હુંડક સંસ્થાનવાળા જ હોય છે. આ પ્રમાણે અધઃસપ્તમી પર્યન્ત સમજી લેવું. ભગવત્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોમાં રહેવાવાળા નૈરિયકોના શરીરો કેવા વર્ણવાળા હોય ? પહેલી પૃથ્વીના નરકાવાસોમાં શરીરોનો વર્ણ કાળો, કાંતીવાળો કે જેને જોવાથી જ શરીરના રૂંવાડા ઉભા થઈ જાય એવા અને ભયકારક અત્યંત કૃષ્ણ કાળા હોય છે. આજ પ્રમાણે બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે કે તેનાથી પણ વધારે અનિષ્ટતર વિગેરે વિશેષણો વાળી દુર્ગંધ આ નારક જીવોના શરીરોમાંથી આવે છે. પહેલી પૃથ્વીના નૈરિયકોના શરીરો કે જેઓની ચામડી ઉપર સેંકડો -ઉઝરડાં કરચલી પડેલી હોય અને તેથી જ જેઓ કાંતિવિનાના હોય,છે તથા જેનો સ્પર્શ પરૂષ કઠોર છે તેવા, બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકોના શરીરો હોય છે. [૧૦૪]હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈયિકોને કેવા પ્રકારના પુદ્ગલો ઉચ્છવાસ પણેથી પરિણમે છે ? હે ગૌતમ જે પુદ્ગલો અનિષ્ટ યાવત્ અમનોજ્ઞ છે.એવા પુદ્ગલોજ શ્વાસોચ્છવાસ રૂપે પરિણમે છે. રત્નપ્રભાપૃથ્વીના નારકોના કથન મુજબ જાણા, તમસ્તમઃપ્રભા પૃથ્વીના નારકોના શ્વાસોચ્છવાસ જાણવું એજ પ્રમાણે પહેલી રત્નપ્રભા પૃથ્વીથી લઈ ને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વીના કથન, સુધીના ના૨ક જીવોને આહા૨૫ણાથી જે પુદ્ ગલો પરિણત થાય છે, તે બધા પણ અનિષ્ટ વિગેરે પૂર્વોક્ત વિશેષણો વાળા જ હોય છે. રત્નપ્રભા પૃથ્વીના નૈયિકોને કેટલી લેશ્યાઓ કહી છે ? રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેવળ એક કાપોત લેશ્યાજ કહી એ જ પ્રમાણે શર્કાપ્રભા માં પણ કેવળ એક કાપોત લેશ્યાજ હોય છે.વાલુકપ્રભા પૃથ્વીના નૈરયિકોને બે લેશ્યાઓ . પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy