SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ જીવાજીવાભિગમ- ૩ર્નિં-૧/૮૩ પાંચ કમ એકલાખ, સાતમી અધસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસો છે. [૮૪]સપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા નરકાવાસો કહેલો છે. કાલ, મહાકાળ, રૌરવ મહારૌરક, અને પાચમું અપ્રતિષ્ઠાન [૮૫] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં શું ધનોદધી છે.? ધનવાત છે ? તનુવાત છે? અવકાશાન્તર બધું છે ? હે ગૌતમ ! આ યાવત્ તમતમાં પ્રભા પૃથ્વીના નીચેના ભાગ સુધીમાં સમજવું [૮૬] આ રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડો પૈકી પહેલો જે ખરકાંડ છે, તે કેટલા વિસ્તારનો કહ્યો છે ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીનો જે ખરકાંડ છે, તે સોળ હજાર યોજનના વિસ્તાર વાળો કહ્યો તે એક હજાર યોજનની જાડાઈ-વાળો છે. એજ પ્રમાણે યાવતુ રિઝકાંડ સુધીના જે સોળ કાંડો છે, તે બધાજ એક એક હજાર યોજનની જાડાઈ-વાળા છે. આ રત્નપ્રભા પૃથ્વીનો જે પંક બહુલ કાંડ છે, તે ચોર્યાશી હજાર યોજનના વિસ્તાર- વાળો છે. ત્રીજો જે અબ્બહુલકાંડ છે, તે એંસી હજાર યોજનની જાડાઈવાળો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે જે ધનોદધિ છે, તે કેટલા વિસ્તાર વાળો કહ્યો છે? તે વીસ હજાર યોજનાના વિસ્તારવાળો કહેલ છે. ધનોદધિની નીચે જે ધનવાત છે તે અસંખ્યાત હજાર યોજનના વિસ્તાર વાળો કહ્યો છે. ધનવાતની નીચે તનુવાત છે તે પણ અસંખ્યાત હજાર યોજનના વિસ્તાર વાળો છે. શર્કરપ્રભા પૃથ્વીનો જે ધનોદધિ છે, તે તે વીસ હજાર યોજનના વિસ્તારવાળો છે. જે ધનવાત છે, તે અસંખ્યાત હજાર યોજના વિસ્તારવાળો છે. ધનવાત પ્રમાણે જ તનુવાત પણ છે અને અવકા શાન્તર પણ એજ પ્રમાણે સમજવું. જે પ્રમાણે શર્કરપ્રભા પૃથ્વીના ધનોદધિ વિગેરેનો વિસ્તાર અને અવકાશાન્તરનો વિસ્તાર કહેલ છે. એજ પ્રમાણે યાવતું અધઃસપ્તમી પૃથ્વી સુધીની સમજી લેવો. આ એકલાખ એંસી હજાર યોજનાના વિસ્તાર વાળી રત્ન પ્રભા પૃથ્વીના કેવલીના જ્ઞાનથી ક્ષેત્ર છેદપણાથી વિભાગ કરવામાં આવે છે, તો તે તે વિભાગોના આશ્રિત દ્રવ્યો વર્ણની અપેક્ષાથી પાંચ વર્ણવાળા હોય છે. ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગંધ વાળા રસની અપેક્ષાથી પાંચ પ્રકારના રસોવાળા હોય છે. સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે આઠે પ્રકારના સ્પર્શીવાળા હોય છે. સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પાંચે સંસ્થાન વાળા હોય છે. અને અન્યો અન્ય સંબદ્ધ વિગેરે વિશેષ ણોવાળા હોય છે. અને પરસ્પર સમુદાય પણાથી રહે છે, હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી નો જે સોળ હજાર યોજનાના વિસ્તારવાળો ખરકાંડ નામનો કાંડ છે. તેના કેવળીની બુદ્ધિથી પ્રતર વિભાગના કરવાથી તેના આશ્રયથી રહેલ જે દ્રવ્ય છે, તે શું વર્ણની અપેક્ષાથી કણ-કાળા વર્ણ વાળા હોય છે. પરસ્પરમાં સંબદ્ધ વિગેરે પણાથી યાવતુ રહે છે? હા ગૌતમ! તે દ્રવ્ય પૂર્વોકત પ્રશ્ન વાકયના કથન પ્રમાણેનું હોય છે. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો જે “રત્નકાંડ નામનો કાંડ છે, તેના ક્ષેત્રછેદથી પ્રતિવિભાગ પણાથી તેના આશ્રિત જે દ્રવ્ય છે તે શું વર્ણથી કાળા યાવત પરસ્પર મળીને પરસ્પર સમુદાય પણાથી રહે છે ? હા આ વાત રિઝકાંડ સુધી સમજી લેવી રત્નપ્રભા પૃથ્વી ના પંકબ હુલકંડ કે જ ચોયાંશી હજાર યોજનની જાડાઈ વાળો છે. જ્યારે ક્ષેત્રચ્છેદનારૂપ માં વિભાગ કરવામાં આવે તો ઉપર પ્રમાણે જાણવું જે ધનોદધિ છે, કે જેની જાડાઈ વિસ્તાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy