SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપતિ-૨ ત્રણ ભેદો કહ્યા છે. તે પછી આ વેદોની સ્થિતિના સંબંધમાં બીજો અધિકાર કહ્યો છે. તે પછી આ વેદોની કાયસ્થિતિ નો કાળ કહ્યો છે. તે પછી અંતર-વિરહકાળ કહ્યો છે. તે પછી તેના સંબંધમાં અલ્પ બહુપણાનું કથન કરવામાં આવ્યું છે. તથા તેનો પ્રકાર કેવો હોય છે? એ પણ પ્રકટ કરવામાં આવેલ છે આ રીતે સંસાર સમાપન સંસાર માં રહેલા ત્રણ પ્રકારના જીવોના સંબંધમાં આ બીજી પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે. પ્રતિપત્તિઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૩-ચતુર્વિધ) – નૈરયિક-ઉદ્યોઃ ૧ - [૭૪]જે આચાર્યોએ એવું કહ્યું છે. કે સંસારી જીવો ચાર પ્રકારના છે, તેઓએ નૈરયિક તિર્યગ્લોનિક મનુષ્ય અને દેવો આ રીતે સંસારી જીવો ચાર પ્રકારના કહેલા છે. [૭]હે ભગવનું નારકોનું શું લક્ષણ છે? હે ગૌતમ નૈરયિકો સાતપ્રકારના કહ્યા છે. પહેલી રત્નપ્રભા યાવતું સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિકો ૭]હે ભગવનું પહેલી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે? હે ગૌતમ પહેલી પૃથ્વીનું નામ ધમાં છે, અને તેનું ગોત્ર રત્નપ્રભા છે. બીજી પૃથ્વીનું નામ વંશા અને ગોત્ર શર્કરપ્રભા, ત્રીજી પૃથ્વીનું શૈલા ચોથી પૃથ્વીનું અંજના છે. પાંચમી રિઝા છઠી મઘા સાતમી માધવતી ત્રીજી પૃથ્વીનું ગોત્ર 'વાલુકાપ્રભા' ચોથી પંકપ્રભા પાંચમી ધૂમપ્રભા” છઠી ‘તમ પ્રભા’ સાતમીનું ગોત્ર તમસ્તમ પ્રભા છે. [૭૭-૭૮] ધમાં વંશા, શેલા, અંજના, રિઝા, મઘા, અને માઘવતી, આ સાત પૃથ્વીઓના ક્રમશઃ સાત નામો છે. તથા રત્ના, શર્કરા, વાલુકા, પંકા, ધૂમા, અને તમા, અને તમસ્તમાં આ સાત પૃથ્વીયોના ક્રમશ સાત ગોત્ર છે. [૭] હે ભગવનું આ રપ્રભા પૃથ્વી કેટલી વિસ્તાર વાળી કહેલી છે? હે ગૌતમ! પહેલી પૃથ્વીનો વિસ્તાર એક લાખ એંસીહજાર યોજનનો છે. [૮] પહેલી એક લાખ એંસી હજાર યોજન બીજી એકલાખ બત્રીસ હજાર યોજનનો છે. ત્રીજી એક લાખ અઠયાવીસ હજારયોજનનો ચોથી એકલાખ વીસ હજાર યોજનનો પાંચમી એક લાખ અઢાર હજાર યોજનનો છે. છઠી એક લાખ સોળ હજાર યોજનનો તથા સાતમી પૃથ્વીનો વિસ્તાર એકલાખ આઠ હજાર યોજનાનો છે. [૮૫] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વી કેટલા પ્રકાર ની કહી છે? ત્રણ પ્રકારની કહી છે. ખર કાંડ, પિંક બહુલ કાંડ, “અબ્બહુલકાંડ. ખરકાંડ સોળ પ્રકારનો કહેલ છે. રત્નકાંડ, વજકાંડ, વૈડૂર્યકાંડ લોહિતાક્ષ કાંડ મસારગલ્લકાંડ હંસગર્ભકાંડ પુલાકકાંડ સૌગંધિકકાંડ જ્યોતિરસકાંડ અંજનકાંડ “અંજનપલાક' “રજતકાંડ, જાતરૂપ અંક ફ ટિકકાંડ બરકાંડ' રત્નકાંડ એક પ્રકારનો જ કહેલ એજ પ્રમાણે યાવત રિઝકાંડ પણ એકજ પ્રકારનો કહેલ છે. પંક બહુલ કાંડ એક પ્રકારનોજ કહેલ છે. શર્કરપ્રભા પૃથ્વી એક પ્રકારનીજ કહી યાવત્ સપ્તમી પૃથ્વી પણ એક જ પ્રકારની કહી છે | [૪૨]આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસો કહ્યા છે. [૮૩)પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસો છે. બીજી માં પચ્ચીસલાખ નરકાવાસો છે. ત્રીજી માં પંદરલાખ, ચોથીમાં દશલાખ, પાંચમીમાં ત્રણ લાખ. છઠ્ઠી માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy