SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પ્રતિપત્તિ-૨ નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ઈશાન કલ્પના દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે છે. તે કરતાં ઈશાનકલ્પની -દેવીયો સંખ્યાત ગણી વધારે છે. તે કરતાં સૌધર્મ કલ્પના દેવપુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેથી સૌધર્મકલ્પની દેવસ્ત્રિયોદેવીયો સંખ્યાત ગણી વધારે છે. સૌધર્મ કલ્પની દેવિયો કરતાં ભવનવાસી દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. ભવનવાસી દેવો કરતાં ભવનવાસી દેવોની સ્ત્રિયો-દેવીઓ સંખ્યાતગણી વઘારે છે. ભવનવાસી દેવિયો કરતાં આ રત્નપ્રભા પૃથ્વીના જે નૈરયિક નપુંસકો છે, તે ઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં વાતવ્યન્તર દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેથી વાતવ્યન્તર દેવસ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. વાનવ્યન્તર દેવિયો કરતાં જ્યોતિષ્ક દેવપુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેથી જ્યોતિષ્ક દેવોની સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. નવમું અલ્પ બહુપણું કહે છે. અંતરદ્વીપની મનુષ્યસ્ત્રિયો અને અંતરદ્વીપના મનુષ્યપુરૂષો એ બન્ને સ્વસ્થાનમાં બરોબર છે. દેવકુર અને ઉત્તરકર રૂપ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો સંખ્યાતગણી વધારે કહ્યા છે. અને પરસ્પર એ બન્ને સરખા છે. તેના કરતાં હરિવર્ષ અને રમૂકવર્ષ રૂ૫ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. અને સ્વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. તેના કરતાં હૈમવત અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તથા સ્વસ્થાનમાં-પરસ્પરમાં તુલ્ય છે. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો તેના કરતાં સંખ્યાતગણા વધારે. અને વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. ભારત અને ઐરવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તથા સ્વસ્થાનમાં એ પરસ્પર તુલ્ય છે. તેના કરતાં પૂર્વવિદેહ અને અપરવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તથા સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. તેના કરતા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તથા સ્વસ્થાનમાં તેઓ પરસ્પર તુલ્ય છે. તેના કરતાં અનુત્તરોપપાતિક દેવપુરૂષ અસંખ્યાતગણા વધારે છે. ઉપરિતન રૈવેયકને લઈને પશ્ચાનુપૂર્વીથી આનત કલ્પના દેવ પુરૂષો સંખ્યાતગણા વધારે છે. તેના કરતા અધઃસપ્તમી પૃથ્વીમાં જે નૈરયિક નપુંસકો છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકો તેના કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સહસ્ત્રાર કલ્પના દેવપુરૂષો છે પૃથ્વીના નૈરયિક નપુંસકો કરતાં અસંખ્યાત ગણા વધારે મહાશુક કલાના જે દેવ પુરૂષો છે તેઓ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. પાંચમી પૃથ્વીના નૈરયિક નપુંસકો મહાશુક્ર કલ્પના દેવપુરૂષો કરતાં અસંખ્યાત ગણા વધારે છે. લાન્તક કલ્પના દેવ પુરૂષો પાંચમી પૃથ્વીના નારક નપુંસકો કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચોથી પૃથ્વીના નારકો અસંખ્યાતગણો વધારે છે. તેનાથી બ્રહ્મલોક કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેનાથી ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો અંસખ્યાત ગણા. વધારે છે. ત્રીજી પૃથ્વીના નારકો કરતાં માહેન્દ્ર કલ્પના દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે તેના કરતાં સનકુમાર કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અંતરદ્વીપજ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દેવકુફ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy