SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. જીવાજીવાભિગમ - ૨/- ૭૦ તિર્યગ્લોનિક નપુંસકો અપૂકાયના કરતાં વિશેષાધિક છે. વાયુકાયના નપુંસકો કરતાં વનસ્પતિ કાયના એક ઇન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો અનંતગણા છે. સાતમા અલ્પ બહુપણાનું કથન અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિયો અને અંતરદ્વીપના મનુષ્ય પુરૂષો આ બન્ને પરસ્પર સમાન છે અને સૌથી ઓછા છે. દેવકર અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષ આ બન્ને પરસ્પરમાં સરખા છે. પરંતુ અંતરદ્વીપની મનુષ્યસ્ત્રિયો અને પુરૂષો કરતાં સંખ્યાતગણા વધારે છે. હરિવર્ષ અને ૨મ્યકવર્ષ રૂપ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો આ બન્ને સ્વસ્થાનમાંતો તુલ્ય છે, પરંતુ દેવકુફ અને ઉત્તરકરૂની સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષોથી સંખ્યાતગણા વધારે છે. હૈમવત અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો બન્ને પરસ્પરમાં સરખા છે. અને હરિવર્ષ અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો બન્ને પરસ્પરમાં સરખા છે. અને હરિવર્ષ અને રમ્યકવર્ષના ત્રિપુરૂષો કરતાં સંખ્યાતગણા વધારે છે. ભરતક્ષેત્ર અને ઐરવત. ક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો હૈમવત અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અને મનુષ્ય પુરૂષો કરતાં સંખ્યાતગણા વધારે છે. પરંતુ આ બન્ને પણ પરસ્પર સરખા છે. ભારત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સમાન છે. અને સંખ્યાતગણી વધારે છે. પૂર્વવિદેહ અને અપરવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષો પરસ્પરમાં સમાન છે, અને ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના મનુષ્ય સ્ત્રિયો કરતાં સંખ્યાતગણા વધારે છે. પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સરખી છે, અને સંખ્યાતગણી વધારે છે. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહની મનુષ્ય સ્ત્રિયો કરતાં અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. દેવકુફ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો પરસ્પરમાં સરખા છે પણ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો કરતાં સંખ્યાતગણા વધારે છે. આજ પ્રમાણે યાવતું દેવકુફ અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકો કરતાં હરિવર્ષ અને રમ્યક વર્ષના મનુષ્ય નપુંસકો બન્ને સમાનતાવાળા છે પણ સંખ્યાતગણા વધારે છે. આઠમા અલ્પ બહુ પણાનું કથન-સૌથી ઓછા અનુત્તરોપપાતિકદેવ પુરૂષો છે. તે કરતાં ઉપરના રૈવેયક દેવપુરૂષો સંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે મધ્યમ ગ્રેવેયકથી લઈને પશ્ચાનુપૂર્વીથી આનતકલ્પ સુધીના દેવપુરૂષો પછી પછીનાં સંખ્યાત ગણાવધારે હોય છે. આનતકલ્પના દેવપુરૂષો કરતાં અધિસપ્તમી તમસ્તમા નામની પૃથ્વીમાં નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સહસ્ત્રારકલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં મહાશુક્ર કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. મહાશુક્ર કલ્પના દેવપુરૂષો કરતાં પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યા ગણા વધારે છે. તેના કરતાં લાન્તક કલ્પના દેવપુરૂષો કરતાં ચોથી પંકપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બ્રહ્મલોક કલ્પના દેવપુરૂષો અસંખ્યાત. ગણા વધારે છે. તેના કરતાં ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો તેના કરતાં માહેન્દ્રકલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સનકુમાર કલ્પના. દેવપુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy