SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ પન્નવા - ૨૮/૧/૫૫૫ ભવિષ્ય કાળે આહારરૂપે કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે-એ પ્રમાણે જેમ નૈરિયકોને કહ્યું તેમ કહેવું. હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે કે બધાનો આહાર કરતો નથી ? હે ગૌતમ ! બેઇન્દ્રિ યોને બે પ્રકારનો આહાર રૂપે કહ્યો છે-લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પુદ્ગલોને લોમાહારપણે ગ્રહણ કરે છે તે બધાનો સમગ્રપણે આહાર કરે છે. અને જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે તેઓના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર ભાગો સ્પર્શ કર્યા સિવાય કે સ્વાદ લીધા સિવાય નાશ પામે છે. હે ભગવન્ ! સ્વાદ લીધા સિવાયના અને સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલોમાં ક્યા પુદ્ગલો કોનાથી અલ્પ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પુદ્ગલો સ્વાદ લીધા સિવાયના છે,તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. હે ભગવન્ ! બેઇન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છેતે તેઓને કેવા રૂપે વારંવાર પરિણમેછે ? હે ગૌતમ ! તેઓને જિજ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિવિધપણે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ તેઓ અનેક હજાર ભોગો સુધ્ધાં સિવાય, સ્વાદ લીધા સિવાય કે સ્પર્શ કર્યા સિવાય નાશ પામે છે. હે ભગવન્ ! સુંધ્યા સિવાયના, સ્વાદ લીધા સિવાયના કે સ્પર્શ કર્યા સિવાયના એ પુદ્ગલોમાં ક્યા પુદ્ગલો કોનાથી અલ્પ છે ? હે ગૌતમ ! સૌથી થોડા પુદ્ગલો સુધ્ધાં સિવાયના છે. તેથી સ્વાદ લીધા સિવા યના પુદ્ગલો અનન્તગુણા છે, તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. હે ભગવન્ ! તેઇન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે પરિણમે છે ? હે ગૌતમ ! તે પુદ્ગલો ઘ્રાણેન્દ્રિય, જિર્વેન્દ્રિય અને સ્પર્શને ન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. ચઉન્દ્રિયોને ચક્ષુઇન્દ્રિયોને ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિજ્ઞેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની વિમાત્રા-વિવિધ રૂપે તે પુદ્ગલો વારંવાર પરિણમે છે. બાકી બધું તેઇન્દ્રિયોની પેઠે જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો તેઇન્દ્રિયોની પેઠે સમજવા. પરન્તુ તેમાં જે આભોગનિવર્તિત-ઇચ્છાપૂર્વક આહાર કરે છે તે સંબન્ધે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે દિવસે કેઓને આહારની ઇચ્છા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેને કેવા રૂપે પરિણમે છે ? હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બિલ્વેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. મનુષ્યો પણ એમજ સમજવા. પરન્તુ આભોગનિવર્તિત આહાર સંબન્ધે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ દિવસ આહરની ઇચ્છા થાય છે. વ્યન્તરો નાગકુમારની પેઠે જાણવા. એમ જ્યોતિષિક દેવો પણ જાણવા. પણ આભોગનિર્તિત આહાર સંબન્ધે જઘન્યથી દિવસપૃથક્વે-અને ઉત્કૃષ્ટથી પણ દિવસપૃથક્વે આહારની ઇચ્છા થાય છે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. પરન્તુ આભોગનિવર્તિત આહાર સંબન્ધે જઘન્યથી દિવસ પૃથÒ અને ઉત્કૃષ્ટથી તેત્રીશ હજાર વરસે આહાર ની ઇચ્છા થાય છે. બાકી બધું અસુરકુમારોની પેઠે -યાવત્ -એઓને વારંવાર પરિણમે છે-ત્યાં સુધી જાણવું. સૌધર્મ દેવલોકમાં આભોગગનર્તિત આહાર સંબન્ધે જઘન્યથી દિવસ પૃથક્વે અને ઉત્કૃષ્ટ બે હજાર વરસે આહારાભિલાષ થાય છે. ઈશાન દેવલોક સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી સંબન્ધે જઘન્યથી દિવસપૃથક્ત્વ અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy