SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પ્રતિપત્તિ-૨ ગ્નિની જવાલાનું સ્વરૂપ હોય છે, તે પ્રારંભમાં તીવ્ર દાહ વાળો હોય છે એજ પ્રમાણે પુરૂષ વેદ પ્રારંભમાં તીવ્ર હોય છે. અને પછી જલ્દી શાન્ત થઈ જાય છે.. [૬] હે ભગવનું નપુંસકો કેટલા પ્રકારના હોય છે. હે ગૌતમ ! નપુંસકો ત્રણ પ્રકારના હોય છે. નૈરયિક નપુંસકતિગ્લોનિક નપુંસક અને મનુષ્ય યોનિક નપુંસક. નૈરયિક નપુંસક સાત પ્રકારના હોય છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક, યાવતું અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસક, તિર્યગ્લોનિક નપુંસક પાંચ પ્રકારે છે.એક ઇન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસક, યાવતું પાંચ ઈન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસક. એક ઈન્દ્રિય વાળા તિર્થગ્યોનિક નપુંસકો પાંચ પ્રકારના હોય છે. પૃથ્વીકાયિક એક ઈન્દ્રિય વાળા તિર્યંગ્યો નિકનપુંસક યાવત્ વનસ્પતિકાયિકએકેન્દ્રિય તિર્યોનિક નપુંસક. બે ઈન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસક અનેક પ્રકારના કહ્યા છે. જ ત્રણ ઈન્દ્રિયવાળા તિર્થગ્લોનિક નપુંસકો અને ચાર ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિકનપુંસકોનું નિરૂપણ સમજી લેવું. પાંચ ઈન્દ્રિયોવાળા તિગ્મોનિક નપુંસકો ત્રણ પ્રકારના કહ્યા છે. જલચરનપુંસક સ્થલચર નપુંસક અને ખેચર નપુંસક, આસાલિક નામના ભેદને છોડીને એજ પહેલી પ્રતિપત્તિમાં કહેલા સઘળા ભેદો અહિયાં કહેવા જોઈએ. મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારના કહ્યા છે. કર્મભૂમિના અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો [૬૭હે ભગવનું સામાન્ય નપુંસકની કેટલા કાળની સ્થિતિ-કહેલ છે. નપુંસ કોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે, ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની સામાન્ય નારકની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહેવા માં આવી છે. ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહી છે. સામાન્યપણાથી તિર્યંગ્યો નિકનપુંસકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકોટિની છે. એક ઈન્દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસકની સ્થિતિ સામાન્યપણાથી જઘન્યથી અંતર્મુહૂર્તના અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષની છે. પૃથ્વીકાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસક જીવોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હાર વર્ષની છે. બાકીના જે એક ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિક તેજસ્કાયિક, વાયુકાયિક, તે સઘળાની પૂર્વવતુ પૂર્વવતુ જાણવું સમજી લેવી. બે, ત્રણ, ચાર, ઈન્દ્રિયવાળા, જીવોની સ્થિતિ પાંચમાં ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકોની જઘન્યથી સ્થિતિ એક અંતમુહૂર્તની છે, ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ ૧ એક પૂર્વકોટિની, ચારિત્ર ધર્મની અપેક્ષાથી કર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જઘન્યથી સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોને એક પૂર્વકોટિની છે. ભારત અને ઐરવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય નપુંસક સ્થિતિ પણ ક્ષેત્રની અપેક્ષાથી અને ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂવક્ત કથન પ્રમાણોની સમજવી. પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય - નપુંસકોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકોટિની છે. જન્મની અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક અંતર્મુહૂર્તની છે. સંહરણની અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિવાળા હોય છે. અને ઉત્કૃષ્ટથી દેશોને એક પૂર્વકોટિની સ્થિતિવાળા હોય છે. સામાન્યપણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy