SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જીવાવાભિગમ - ૨-૭ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જે પ્રમાણોની સ્થિતિ કહેલી છે, એ જ પ્રમાણોની સ્થિતિ યાવતુ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની પણ સમજવી. ઈત્યાદિ હે ભગવનું નપુંસક જો પોતાના નપુંસકભાવનો પરિત્યાગ ન કરે તો તે ક્યાં સુધી ત્યાગ નથી કરતા? હે ગૌતમ ! નપુંસ કોની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળની છે. નૈરયિક નપુંસકોની કાયસ્થિતિ જઘન્યથી તો દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે. એજ પ્રમાણે પૃથ્વીકાયિકોની સ્થિતિ કહેવી જોઈએ. નપુંસક જો તિર્યંગ્યોનિક નપુંસકપણાથી થતા રહે તો તે ઓછામાં ઓછાં એક સમય સુધી થાય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ એટલે કે અનંતકાળ સુધી થતા રહે છે. આ જ પ્રમાણે તિર્યગ્લોનિક નપુંસકોમાં એક ઇન્દ્રિયવાળા નપુંસક જીવોની કાયસ્થિતિનું કાળમાન છે. વિશેષની અપેક્ષાથી વનસ્પતિકાયિક એક ઈન્દ્રિયવાળા નપુંસકોની કાયસ્થિતિનો કાળમાન પણ સામાન્યતઃ એક ઇન્દ્રિયવાળીની કાયસ્થિતિના કાળમાન પ્રમાણે જ છે. પૃથ્વી કાયિક અપકાયિક,તે ઉકાયિક અને વાયુકાયિકોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે, આમાં કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષા અંસખ્યાતલોક સમાપ્ત થઈ જાય છે, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા નપુંસકોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળની છે. પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસક જીવોની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વની છે. પાંચ ઈન્દ્રિય વાળા તિર્યંગ્યોનિનપુંસક જીવની જેમ જલચર તિર્યંગ્યોગુ, સ્થલચર ઉરપરિસર્પ ભુજપરિસર્પ, અને મહોરગ આ નપુંસકોની કાયસ્થિતિ પણ જઘન્યથી એક અંતર્મુહૂર્ત ની છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્વની છે. ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિનો કાળમાન ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્તનો છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્વનો છે, ચારિત્રધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની કાયસ્થિતિનું પ્રમાણ જઘન્ય થી એક સમયનું છે, અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછું પૂર્વકોટિ છે. બન્ને સ્થાનોની ભાવના પહેલા કહ્યા પ્રમાણેની સમજી લેવી. સામાન્ય નપુસકની જેમજ કર્મભૂમિના જે મનુષ્ય નપુંસકો છે, તેઓની પણ કાયસ્થિતિ સમજવી. અકર્મભૂમિક મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પૃથક્વ છે, સંહરણની અપેક્ષાથી તેઓની કાય સ્થિતિનો કાળ જઘન્ય થી એક અંતર્મુહૂર્તનો છે. કેમ કે ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિનું છે. સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જેવી કાયસ્થિતિ છે,એજ પ્રમાણોના બધા ની જ યાવતુ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી અંતર્મુહૂર્ત પૃથકત્વની છે. તથા સંહરણની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિ જઘન્યથી એક અંત મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિની છે. નપુંસક જીવને નપુંસક વેદથી છૂટયા પછી ફરી પાછા નપુંસક થવામાં જઘન્ય એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટ સાગરોપમ શત પૃથક્વનું છે. પુરૂષ અને નપુંસકની કાયસ્થિતિ ક્રમથી ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથક્ત હોય છે. નૈરયિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણ એટલે કે-અનંતકાળનું છે. રત્નપ્રભા નૈરયિક નપુંસકોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy