SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જીવાજીવાભિગમ - ૨/-/૬૪ આવેલ છે,એજ પ્રમાણે સામાન્ય પુરૂષોનું અલ્પ બહુપણું કહી લેવું. યાવત્ દેવ પુરૂષોના અલ્પ બહુપણાના પ્રકરણથી પહેલાં પહેલાંનું ગ્રહણ કરાયું છે. સૌથી ઓછા વૈમાનિક દેવપુરૂષ છે. વૈમાનિકદેવ પુરૂષો કરતાં ભવનવાસી દેવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. ભવનવાસીદેવ પુરૂષો કરતાં વાનવ્યન્તર દેવપુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. વાનવ્યન્તરદેવ પુરૂષો કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે. દેવોમાં સૌથી ઓછા અનુત્તરોપપાતિક દેવ હોય છે. પુરૂષ કે જે જલચર સ્થલચર અને ખેચર પુરૂષ તથા મનુષ્ય પુરૂષ કે જે કર્મભૂમિના અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્યરૂપ અને દેવ પુરૂષ કે જે ભવનવાસી અસુરકુમાર વિગેરે વાનવ્યંતર જ્યોતિષ્મ વૈમાનિક પુરૂષ વિગેરે બધા પ્રકારના જીવોમાં સૌથી ઓછા અંતરદ્વીપના મનુષ્ય પુરૂષો છે, અંતરદ્વીપના મનુષ્યપુરૂષો કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરૂ મનુષ્ય પરસ્પર બન્ને સરખા પરંતુ તેથી સંખ્યાત ગણા વધારે હોય છે, દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય પુરૂષો કરતાં હરિવર્ષ અને રમ્યક વર્ષ આ બેઉ અકર્મભૂમિના મનુષ્ય પુરૂષ પરસ્પર સમાન હોય છે, અને સંખ્યાત ગણા વધારે હોય છે. હરિવર્ષ અને રમ્યક વર્ષ ક્ષેત્રના મનુષ્ય પુરુષો કરતાં આ હૈમવત અને હૈરણ્યવત વર્ષ આ બન્ને ક્ષેત્રના મનુષ્ય પુરુષ અન્યો અન્ય સંખ્યામાં સરખા છે અને સંખ્યાતગણા વધારે છે. હૈમવત અને હૈરણ્યવત વર્ષ અકર્મભૂમિના મનુષ્ય પુરુષો કરતાં ભરત અને ઐરવત આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરુષ ક્ષેત્રના સરખા પણાથી પર સ્પર બન્ને સરખા છે. અને સંખ્યાતગણા વધારે હોય છે. ભરત અને ઐરવત આ બન્ને ક્ષેત્રોના મનુષ્ય પુરુષો કરતાં આ પૂવિદેહ અપરિવદેહ આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરૂષ ક્ષેત્રના સરખાપણાથી સરખી સંખ્યાવાળા સંખ્યાતગણા વધારે હોય છે. પૂર્વ વિદેહ અને અપર વિદેહના મનુષ્ય પુરુષ કરતાં અનુત્તરોપપાતિક દેવ પુરુષ અસંખ્યાત ગણા વધારે હોય છે. અનુત્તરોપપાતિક દેવપુરૂષો કરતાં ઉપરતન ત્રૈવેયક પ્રસ્તટના દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે, તેના કરતાં મધ્યમ ચૈવેયક દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં અધસ્તન પ્રૈવેયક દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં અચ્યુત કલ્પના દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. આવું અચ્યુત કલ્પના દેવ પુરૂષોની આગળ પદ્માનું પૂર્વિથી આનત કલ્પના દેવપુરૂષ પર્યન્ત પહેલા પહેલાની અપેક્ષાથી પછી પછીના દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. આનત કલ્પના દેવ પુરૂષો કરતાં સહસ્રાર કલ્પના દૈવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે આનાથી આગળ માહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો સુધીના દેવ પુરૂષો એક એકની અપેક્ષાથી અસંખ્યાત ગણા વધારે હોય છે,યાવત્ સૌધર્મ કલ્પના દેવપુરૂષો કરતાં ભવનવાસી દેવ પુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં ખેચર તિર્યંગ્યોનિક પુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં સ્થલચર તિર્થંગ્યોનિક પુરૂષ સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જલચર તિર્યંગ્યોનિક પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં વાનવ્યન્તર દેવપુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે. તેના કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષો સંખ્યાત ગણા વધારે હોય છે. [૬૫] હે ભગવન્ પુરૂષવેદ કર્મની કેટલા કાળની બંધ સ્થિતિ કહી છે હે ગૌતમ ! પુરૂષ વેદકર્મની બંધ સ્થિતિ જઘન્યથી આઠ વર્ષની છે. ઉત્કૃષ્ટથી દસ સાગરોપમ કોટિની કહી છે. અબાધા કાળથી ન્યૂન કર્મસ્થિતિ કર્મ નિષેક છે. જે પ્રમાણે વનના દવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy