SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પ્રતિપત્તિ-૨ નથી? પુરૂષ પોતાના પુરુષપણાનો ત્યાગ ન કરે તો તે જઘન્યથી એક અંતમૂહુર્ત સુધી અને ઉત્કૃષ્ટથી તે કંઈક વધારે બે સાગરોપમથી લઈને નવ સાગરોપમ સુધી ત્યાગ કરતા નથી. તિર્યક પુરૂષ તિર્યંચ પુરૂષપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પૂર્વકોટિ પૃથક્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. આ રીતે આના સ્ત્રી પ્રકરણમાં જેવી રીતની સ્થિતિ કહેલ છે. એવી જ સ્થિતિ આ પ્રકરણમાં પણ ખેચરતિયક પુરૂષોના સંબંધમાં પણ સમજી લેવી. અને આ સંસ્થિતિ પ્રકરણ જલચર, સ્થલચર, ખેચર તિર્યક્ઝોનિક પુરૂષના સંસ્થિતિ પ્રકરણ સુધી અહીં સમજવી. મનષ્ય પૂરૂષોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથક્વ અધિક ત્રણ પલ્યોપમનો છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેઓની કય સ્થિતિનો. કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિનો છે. આ રીતે આ સામાન્ય પણાથી મનુષ્ય પુરૂષોનો અવસ્થાન કાળ- કહ્યો છે. તે પ્રમાણે બધેજ પુરૂષોનો કાયસ્થિતિનો કાળ સમજી લેવો. અકર્મભૂમિજ મનુષ્ય પુરુષોની કાયસ્થિતિ કાળ જેમ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રિયોનો કાયસ્થિતિ કાળ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનો સમજવો. ભવનપતિદેવ પુરૂષોથી લઈને સર્વાર્થ સિદ્ધ દેવપુરૂષ સુધી પહેલાં દેવોની જે ભવસ્થિતિ કહી છે. એ જ પ્રમાણે કાયસ્થિતિ પણ છે. તેમ સમજવું. [૬૩] હે ભગવન્! એક પુરૂષને, પુરૂષપણાનો ત્યાગ કરીને પાછા પુરૂષપણાને પ્રાપ્ત કરવામાં કેટલા કાળનું અંતર હોય ઓછામાં ઓછા એક સમય પછી પ્રાપ્ત કરી લે છે અને વધારેમાં વધારે વનસ્પતિનો જેટલો કાળ કહ્યો છે, તિર્યગ્લોનિક પુરૂષપણાનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિના કાળ પ્રમાણનું છે. જે પ્રમાણે સામાન્ય પણાથી તિર્યક પુરૂષનું અંતર કહ્યું છે, એ જ પ્રમાણે વિશેષ જલચર સ્થલચર અને ખેચર પુરૂષોના પુરૂષપણાનું અંતર પણ સમજી લેવું. ક્ષેત્રની અપેક્ષાથી તેને મનુષ્યપણાને પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે અને વધારેમાં વધારે વનસ્પતિ કાળ પ્રમાણનું અનંત કાળનું અંતર પડે છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેમને ફરીથી મનુષ્ય પુરૂષપણું પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંત કાળનું અંતર પડે છે. કાળથી અનંત ઉત્સર્પિણીયો અને અવસર્પિણીયો થઈ જાય છે. યાવતું ક્ષેત્રથી અનંત લોકો થઈ જાય છે. તે દેશોન અધી પુદ્ગલ પરાવર્ત થાય છે. એ કર્મભૂમિના મનુષ્ય પુરૂષોના પુરૂષપણાનું અને અકર્મભૂમિના મનુષ્ય પુરુષોના પુરુષપણાનું અંતર પોતપોતાની સ્ત્રિયોના પ્રકરણમાં જે જે પ્રમાણનું અંતર કહેવામાં આવેલ છે. તે તે પ્રકારથી સમજી લેવું જેમકે-દેવપુરૂષોનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્ત પછી થાય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ એટલે કે અનંતકાળ વીતી ગયા પછી થાય ભવનવાસી દેવપુરૂષોથી લઈને સહસ્ત્રાર સુધીના દેવપુરૂષોનું જઘન્યથી એક અંત મુહૂર્તનું અંતર પડે છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ એટલે આનત દેવપુરૂષકાળનું અંતર જઘન્યથી વર્ષ પૃથર્વ-ઉત્કૃષ્ટ તીવનસ્પતિકાળ ' એટલે કે-અનંતકાળ સુધીનું છે. આનતદેવ પુરૂષોની જેમજ ગ્રેવેયકના દેવ પુરૂષોનું અંતર પણ સમજી લેવું. અનુત્તરોપપાતિક કાતીત દેવપુરૂષનું અંતર જઘન્યથી વર્ષ પૃથક્વ અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સંખ્યાત સાગરોપમોનું છે. [૬૪] સામાન્ય સ્ત્રી પ્રકરણમાં જે પ્રમાણે અલ્પ બહુપણાનું કથન કરવામાં Jain Eaudation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy