SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર પન્નવણા - ૨૩/૧/પ૩૮ જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ ! એ પ્રમાણે ‘વેદે એમ સમજવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેમ જ્ઞાનાવરણીય કર્મ કહ્યું તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ કહેવું. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર કર્મ પણ એમ જ સમજવું. પરન્તુ પણ તેને અવશ્ય વેદે. એ રીતે એક વચન અને બહુ વચનના સોળ દંડક જાણવા. [૩૯] જીવે બાંધેલા, સ્પષ્ટ-ગાઢ સ્પર્શ વડે સ્પર્શેલા, સંચિત, ઉપસ્થિત થયેલા, થોડા વિપાકને પ્રાપ્ત થયેલા, વિશિષ્ટ પ્રાપ્ત થયેલા, ઉદયને પ્રાપ્ત થયેલા, જીવે કરેલા, જીવે નિવર્તિત-સામાન્યરૂપે કરે, જીવે પરિણાવેલા, સ્વયં ઉદયને પ્રાપ્ત થયેલા, પરના નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા, સ્વ અને પર નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીય કર્મનો ગતિને પામાં, સ્થિતિને પામી, ભવને પામી, પુદ્ગલ પરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? હે ગૌતમ ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો ભાવતું પુદ્ ગલપરિણામને પામી દશ પ્રકારનો અનુભવ-વિપાક કહ્યો છે. તે શ્રોત્રેન્દ્રિયાવરણ, શ્રોત્રેન્દ્રિયવિજ્ઞાનાવરણ, નેત્રન્દ્રિયાવરણ, નેત્રંદ્રિયવિજ્ઞાનાવરણ, ઘ્રાણેન્દ્રિયાવરણ, ધ્રાણેન્દ્રિવિજ્ઞાના વરણ, રસાવરણ, રસનેન્દ્રિયવિજ્ઞાનાવરણ, સ્પશરિવણ અને સ્પર્શેન્દ્રિય વિજ્ઞાનાવરણ. જે પુગલોને, પુદ્ગલપરિણામને અને વિસસા-સ્વભાવ વડે પુદુંગલોના પરિણામને વદે છે, તેઓના ઉદય વડે જાણતો નથી, જાણવાની ઇચ્છાવાળો છતાં પણ જાણતો નથી. જાણીને પછી પણ જાણતો નથી. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આચ્છાદિતજ્ઞાનવાળો પણ થાય છે. હે ગૌતમ ! એ જ્ઞાનાવરણીય કર્મ છે, હે ગૌતમ ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો યાવતું પુદ્ગલપરિણામને પામી દશ પ્રકારનો અનું ભાવ કહ્યો છે. હે ભગવન્જીવે બાંધેલા દર્શનાવરણ કર્મનો યાવતુ પુદ્ગલપરિણામનો પામી. કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે? હે ગૌતમ ! નવ પ્રકારનો. નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સ્યાનદ્ધિ, ચક્ષુદર્શનાવરણત, અચકું દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ. જે પુદ્ગલ, પુદ્ગલો, પગલપરિણામ કે સ્વભાવ વડે થયેલા પુગલોના પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જોવા લાગ્ય વસ્તુને જોતો નથી, જોવા ની ઇચ્છાવાળો છતાં પણ જોતો નથી. જોયા પછી પણ જોતો નથી. દર્શનાવરણ કર્મના ઉદયથી આચ્છાદિતદર્શનવાળો પણ થાય છે. હે ગૌતમ ! એ દર્શનાવરણીય કર્મ છે. હે ભગવનું જીવે બાંધેલા સતાવેદનીય કર્મનો યાવતું પુઠ્ઠલપરિણામને પામી કેટલા પ્રકારનો. મનોજ્ઞ શબ્દો, મનોજ્ઞ રૂપો, મનોજ્ઞ ગન્ધો, મનોજ્ઞ રસો, મનોજ્ઞ સ્પશે, મન સંબન્ધી સુખ, વચન સંબન્ધી સુખ અને શારીરિક સુખ. જે પુગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ અને સ્વભાવવડે થયેલા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે સાતવેદનીય કર્મ વેદે છે. હે ગૌતમ ! એ સાતાવેદનીય કર્મ છે. હે ભગવન! જીવે બાંધેલ અસાતા વેદનીય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે? ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર તેમજ જાણવો. પરન્તુ અમનોજ્ઞ શબ્દો યાવત્ શરીર સંબન્ધી દુઃખ હે ગૌતમ ! એ અસાતવેદનીય કર્મ છે, હે ભગવન્! જીવે બાંધેલા મોહનીય કર્મનો યાવતુ કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનો. સમ્યક્તવેદનીય, મિથ્યાત્વવેદનીય, સમ્યુગ્મિથ્યાત્વવેદનીય, કષાયવેદનીય અને નોકષાયવેદનીય. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy