________________
૫૪-૨૨
ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય, યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા પણ હોય પણ હોય. મિથ્યાદર્શનપ્રકત્યયિકી ક્રિયા ન હોય. એમ યાવત્ સ્તનિતકુમારને જાણવું. હે ભગવન્ ! મિથ્યાદર્શનથ્યની વિરતિવાળા પંચેન્દ્રિય તિર્યંચને એમજ પૃચ્છા કરવી. હે ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય. માયાપ્રત્યયિકી ક્રિયા હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય. મનુષ્યને જીવને પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની જેમ કહેવું. હે ભગવન્ ! એ આરંભિકી ક્રિયા, યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓ હોય છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેથી પારિગ્રહીકી ક્રિયાઓ વિશેષાધિક છે, તેથી આરંભિક ક્રિયાઓ વિશેષાધિક છે અને તેથી માયાપ્રત્યયિકી ક્રિયાઓ વિશેષાધિક છે.
પદ-૨૨ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પદ-૨૩-ક્રર્મપ્રકૃતિ -:ઉદ્દેસો- ૧ઃ
[પ૩૪] કેટલી કર્મપ્રકૃતિઓ છે ? જીવ કેવી રીતે બાંધે છે ? કેટલા સ્થાને બાંધે છે? કેટલી પ્રકૃતિઓ વેદે છે ? ક્યા કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ છે ?
[૫૩૫] હે ભગવન્ ! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ. જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર, અને અંતરાય. હે ભગવન્ ! નૈયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું.
1688
[૫૩૬] હે ભગવન્ ! જીવ કેવી રીતે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે, દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે, દર્શનમોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્ ! નૈયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે ? હે ગૌતમ ! એમજ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્ ! જીવો આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે ? એમજ બાંધે છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું.
[૫૩૭] હે ભગવન્ ! જીવ કેટલા સ્થાનોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! બે સ્થાને બાંધે. રાગથી અને દ્વેષથી.રાગ બે પ્રકારનો છે.માયા અને લોભ. દ્વેષ બે પ્રકારનો છે, ક્રોધ અને માન. જીવવીર્ય વડે યુક્ત એ ચાર સ્થાનકોએ એ પ્રમાણે જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નૈરિયેક યાવત્ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવન્ ! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકોએ બાંધે ? હે ગૌતમ ! બે સ્થાનકોએ બાંધેઇત્યાદિ એમજ જાણવું. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. એમ દર્શનાવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચતનના સોળ દેડકો જાણવા.
[૫૩૮] હે ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? હે ગૌતમ ! કદાચ વેદે અને કદાચ ન વેદે. હે ભગવન્ ! નૈરિયક જ્ઞાનાવરણીય કર્મ વેદે ? હે ગૌતમ ! અવશ્ય વેદે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ મનુષ્યને જીવનને પેઠે કહેવું. હે ભગવન્ ! જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org