SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૧ ૨૫ હોય છે. શ્રોત્રેન્દ્રિયવાળા પણ હોય છે, યાવત્ નોઈન્દ્રિયવાળા પણ હોય છે. તેઓને સાત સમુદ્ધાતો હોય છે, વેદના સમુદ્દાત યાવત્ કેવિલ સમુદ્દાત આ ગર્ભજ મનુષ્ય સંક્ષી પણ હોય છે, નો સંશી પણ હોય છે અને નો અસંશી પણ હોય છે. સ્ત્રીવેદવાળા પણ હોય છે. પુરૂષવેદવાળા પણ હોય છે. અને નપુંસક વેદવાળા પણ હોય છે. તથા વેદ વિનાના પણ હોય છે. પાંચ પર્યાતિવાળા હોય છે. અને પાંચ અપર્યાશિવાળા પણ હોય છે. ત્રણે પ્રકારની દૃષ્ટિવાળા હોય છે. ચારે દર્શનવાળા પણ હોય છે. જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. તેઓમાં જે જ્ઞાની હોય છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. તથા કેટલાક ચાર જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા હોય છે. બે જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબોધિક જ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાન વાળા હોય છે. જેઓ ત્રણ જ્ઞાનવાળા હોય છે તેઓ આભિનિ બોધિકજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવિધ જ્ઞાનવાળા હોય છે. અથવા આભિનિ બોધિક જ્ઞાનવાળા શ્રુતજ્ઞાનવાળા અને મનઃપર્યવજ્ઞાનવાળા હોય છે. જે ગર્ભમનુષ્યો ચારજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબોધિક જ્ઞાનવાળા યાવત્ મનઃપર્યય જ્ઞાનવાળા પણ હોય છે. એક જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે. જે પ્રમાણે ગર્ભજ મનુષ્યને જ્ઞાની હોવાનું કહ્યું છે,એજ પ્રમાણે તેઓ અજ્ઞાની પણ હોય છે. મનોયોગવાળા પણ હોય છે, વચનયોગવાળા પણ હોય છે. અને કાયયોગવાળા પણ હોય છે. તથા કોઈ કોઈ અયોગી પણ હોય છે. આ ગર્ભજ મનુષ્યોમાં બે ઉપયોગ હોય છે છે તેની ઉત્પત્તિ જોનારકી માંથી થાય તો એકથી છ નાકિયોમાંથી થાય છે. મનુષ્યોની ઉત્પત્તિ તિર્યંગ્યોનિવાળા જીવોમાંથી થાય તો અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભોગ ભૂમિના તિર્યક્ જીવોમાંથી થતી નથી. જો મનુષ્યોમાંથી તેમનો ઉત્પાદથાય તો અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિ ભોગભૂમિના મનુષ્યોમાંથી તથા અંતરદ્વીપજ મનુષ્યોમાંથી તેમનો ઉત્પાદ નથી. કેવળ કર્મભૂમિવાળા મનુષ્યોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે. જો તેમની ઉત્પત્તિ દેવોમાંથી થાય છે, તો સઘળા દેવોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે. આ ગર્ભજ મનુષ્યની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે.મારણાન્તિક સમુદ્દાતથી પણ મરે છે. અને મારણાન્તિક સમુદ્દાત વિના પણ મરે છે. તેઓ નારકોમાં, સઘળા તિર્યંચ્યોનિકો માં અને સર્વ મનુષ્યોમાં પણ જન્મધારણ કરે છે, કેટલાક મનુષ્યો એવા પણ હોય છે કે જેઓ એજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવત્ સમસ્ત દુઃખોનો અંત-નાશ કરી દે છે. આ ગર્ભજ મનુષ્ય પાંચ ગતિયોમાં જવાવાળા હોય છે, અને ચાર ગતિયોમાંથી આવવાવાળા હોય છે. પ્રત્યેક શરીરી સંખ્યાત કોટિ પ્રમાણવાળા હોવાથી સંખ્યાત કહેલા છે. [૫૦] હે ભગવન્ ! દેવોના કેટલા ભેદો છે ? દેવોના ચાર ભેદો કહેલા છે. ભવનવાસી ૧' વાનસ્યંતર ૨, જ્યોતિષ્ક ૩ અને વૈમાનિક ૪. ભવનવાસી દસ પ્રકારના કહ્યા છે. અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર હે ભગવન્ વાનવ્યન્તરદેવ કેટલા પ્રકારના કહ્યા છે ? વાન વ્યંતરથી લઈને વૈમાનિક દેવ પર્યન્તના સમસ્ત ભેદો કે જે પ્રમાણે પ્રશા પના સૂત્રમાં કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવા. ભવનપતિ આદિ દેવ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત અને અપયશ. ત્રણ પ્રકારના શરીરો હોય છે. વૈક્રિય, તેજસ, અને કાર્મણ. આ દેવોના શરીરની અવગાહના બે પ્રકારે ભવધારિણીય અને ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy