SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જીવાજીવાભિગમ - ૧-૪૭ છે, એજ પ્રમાણે જાણવું ભગવનુ ભુજપરિસર્પોનું તેના કેટલા ભેદો છે? જે પ્રમાણે સંમૂર્છાિમ ભુજપરિ સર્પોના ભેદોનું કથન કર્યું છે, એજ પ્રમાણે સમજી લેવું. આ ભુજ પરિસપોના ચાર શરીરો હોય છે. તેઓના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળનાં અસંખ્યાતમાં ભાગની હોય છે, અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથક્વની હોય છે. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટીની હોય છે. બાકી બધા જ દ્વારોનું કથન જે રીતે ગર્ભજ ઉર પરિસર્પના પ્રકરણમાં આવેલા છે, એજ પ્રમાણે સમજી લેવું. વિશેષતા ફક્ત એ કે ભુજપરિસપો જ્યારે પોતાની પયરય છોડે છે, અને જ્યારે નારકોમાં જાય છે, તો તેઓ બીજી જે શર્કરાપૃથ્વી છે, ત્યાંના નારકોમાં જાય છે, [૪૮] હે ભગવનું ગર્ભજ ખેચરોના ભેદો કેટલા કહેલા છે? ખેચરજીવો ચાર પ્રકારના કહેલા છે. ચર્મપક્ષી વિ. પહેલાં સંમૂચ્છિમ ખેચરોના ચાર પ્રકારો છે, એજ પ્રમાણે સમજવું. અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્વની હોય છે. સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. [૪૯] હે ભગવન મનુષ્યો કેટલા પ્રકારના હોય છે ? બે પ્રકારના હોય છે. સંમૂર્છાિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય આ સંમૂર્છાિમ મનુષ્યોને ત્રણ શરીરો હોય છે. ઔદારિક, તેજસ અને કામણ. તેઓની શરીરની અવગાહન જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. સંહનન, સંસ્થાન, કષાય, લેશ્યા, આ દ્વારોનું કથન જે પ્રમાણે બે ઇન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યું છે. એજ પ્રમાણેનું અહિયાં પણ સમજી લેવું. તેઓને પાંચે ઇન્દ્રિયો હોય છે. સંશિદ્વાર અને વેદદ્વારનું કથન બે ઇન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. તેઓ અપતિવાળા હોય છે. દષ્ટિદ્વાર, દર્શનદ્વાર, જ્ઞાનદ્વાર યોગદ્વાર અને ઉપયોગદ્વાર આ કારોનું કથન પૃથ્વીકાયિક જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે અહિયાં સમજી લેવું. તેઓનો આહાર બે ઈન્દ્રિયવાળા જીવોના જેવો હોય છે. તેઓનો ઉપપાત- નૈરયિક, દેવ, તેજ, વાયુ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા એટલાને છોડીને બાકીના જીવમાંથી થાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તનીજ હોય છે. તેઓ મારણાન્ટિક સમુદ્યાતથી પણ મરે છે,અને આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ કરે છે. તેઓ પોતાની પર્યાયિને છોડીને નૈરયિક, દેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ્થાનોને છોડીને બાકીના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે,બે ગતિ અને બેજ આગતિની હોય છે. હે ભગવનું ગર્ભજ મનુષ્યો કેટલા હોય છે? ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના કહ્યા છે. કર્મભૂમિક, અકર્મભૂમિક, અને અંતરદ્વીપજ. આ પ્રમાણે ગર્ભજ મનુષ્યોના ભેદો જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવા, યાવતુ તેઓ છહ્મસ્થ અને કેવલી હોય છે. આ ગર્ભજ મનુષ્ય સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત અને અપતિ. તેઓને પાંચ શરીરો હોય છે. શરીર અવગાહ ના જઘન્યથી એક આંગળી ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ સુધીની હોય છે. તેઓને છ એ સંવનન હોય છે, છએ સંસ્થાનો હોય છે ચારે કષાય હોય છે.આ ગર્ભજ મનુષ્યો ચારે સંજ્ઞાવાળા હોય છે, હે ગૌતમ ગર્ભજ મનુષ્યો છએ વેશ્યાવાળા અને વેશ્યાવિના પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy