SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્રતિપત્તિ -૮ ૧૬૯ કહેલ છે કે પૃથ્વીકાય ૧ અપ્લાય ૨ તેજસ્કાય ૩ વાયુકાયિક ૪ વનસ્પતિકાયિક ૫ બે ઈંદ્રિય ૬, ઈંદ્રિય ૭, ચૌઈંદ્રિય ૮ અને પંચેન્દ્રિય ૯ અહીયાં બધાની સ્થિતિનું વર્ણન કરી લેવું જોઈએ. પૃથ્વીકાયિક જીવોની કાયસ્થિતિ અસંખ્યાત કાલની છે. આ અસંખ્યાત કાળ અસંખ્યાત ઉત્સર્પિણી રૂપ થાય છે. અન્યલોકની અપેક્ષાએ અસંખ્યાત લોક રૂપ હોય છે.એજ પ્રમાણે અપ્લાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિક જીવોની કાય સ્થિતિનો કાળ પૃથ્વીકાયિક-અનંત કાળ પ્રમાણ રૂપ જ વનસ્પતિકાયિક જીવોની કાયસ્થિતિનો કાળ અનંતકાળ રૂપ છે. બે ઈન્દ્રિય, તે ઈંદ્રિય, તે ઈંદ્રિય, ચૌ ઈંદ્રિય, આ જીવોની કાય સ્થિતિનો કાળ સંખ્યાત કાળ રૂપ છે તથા પંચેન્દ્રિય જીવોની કાય સ્થિતિનો કાળ કંઈક વધારે એક હજાર સાગરોપમનો છે. આ સઘળા જીવો નો અંતકાળ આ પ્રમાણે છે. પૃથ્વીકાયિક જીવ જઘન્યથી એક અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટથી અંતર અનંત કાળનું હોય છે. એજ પ્રમાણેનો અંતરકાળ અપ્લાયિક; તેજસ્કાયિક વાયુકાયિક દ્વીન્દ્રિય તે ઈંદ્રિય, ચૌઈદ્રિય અને પંચેન્દ્રિય જીવોના સંબંધમાં પણ સમજવું વનસ્પતિકાયિકનો અંતકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળનો છે. પંચેન્દ્રિય જીવ સૌથી ઓછા છે. તેના કરતાં ચાર ઈંદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈંદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. બેઈંદ્રિયવાળા જીવોનું પ્રમાણ તેના કરતાં વિશેષાધિક છે. એકેન્દ્રિય તેજસ્કાયિકનું પ્રમાણ તેના કરતાં અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં અપ્લાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષાધિક છે. આ રીતનું સ્પષ્ટીકરણ નવ પ્રકારના જે સંસારી જીવ કહેલા છે, તેના સંબંધમાં છે. પ્રતિપત્તિઃ ૮- ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પ્રતિપત્તિઃ૯-દશવિધ [૩૬૮] જે મર્મજ્ઞોએ સંસારી જીવો દસ પ્રકારના છે, એ પ્રમાણે કહ્યું છે, પ્રથમ સમયવર્તીએકેન્દ્રિય, અપ્રથમસમયવર્તીએકેન્દ્રિય, પ્રથમસમયવર્તીબેઈદ્રિય, અને અપ્રથમસમયવર્તીબેઈદ્રિત્ય, યાવતું અપ્રથમસમયવર્તી પંચેન્દ્રિય. હે ભગવન્ ! પ્રથમ સમયવર્તી એક ઈંદ્રિયવાળા જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? પ્રથમ સમયવર્તી એક ઈંદ્રિયવાળા જીવની સ્થિતિ જઘન્યથી એક સમયની છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયની છે. અપ્રથમ સમયવર્તી એક ઈંદ્રિયવાળા જીવની સ્થિતિ જઘન્યથી તો એક ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક સમય કમ બાવીસ હજાર વર્ષની આજ પ્રમાણે પ્રથમ સમયવર્તી જેટલા એકેન્દ્રિયાદિક જીવો છે, એ બધાની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એકજ અંતર્મુહૂર્તની છે. અપ્રથમ સમયવર્તી એક ઈંદ્રિય વિગેરે જીવોની સ્થિતિ જઘન્યથી એક સમય કમ ક્ષુલ્લક ભવગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી પોતપોતાની કહેવામાં આવેલ સ્થિતિ પ્રમાણે છે. પ્રથમ સમયવર્તી સઘળા એક ઈંદ્રિયવાળા વિગેરે જીવોની કાય સ્થિતિનોકાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયનો છે. તથા અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિયાદિક જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક સમય કમ ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી એક ઈંદ્રિયવાળા જીવોનો કાય સ્થિતિનો કાળ વનસ્પતિ કાલ પ્રમાણ છે. બે ઇંદ્રિય, તે ઈંદ્રિય અને ચાર ઈંદ્રિયવાળા જીવોનો કાય સ્થિતિનો કાળ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy